હું મરી જાઉં પછી મારી પચાસ ટકા મિલકત બન્ને સંતાનો વચ્ચે વહેંચી દેવી અને બાકીની મિલકત સારી ગૌશાળા, અનાથાશ્રમ અને શિક્ષણસંસ્થામાં દાન કરવી. આ માટે હું ફલાણા ભાઈને ટ્રસ્ટી બનાવું છું..
આવા વીલ કે સિયતનામાથી આપણે બધા પરિચિત છીએ, પણ હવે ભારતની સુપ્રીમ કોર્ટે ઘડેલી નિયમાવલી અનુસાર પુખ્ત વયની કોઈ પણ વ્યક્તિ પોતાનું લિવિંગ વીલ બનાવી શકે છે. વિસયતનામું અને લિવિંગ વીલ વચ્ચે તફાવત એ છે કે વિસયતનું એક્ઝિક્યુશન માણસના અવસાન પછી કરવામાં આવે છે, જ્યારે લિવિંગ વીલનો અમલ માણસ ગંભીર માંદગીમાં પટકાય ત્યારે કરવાનો હોય છે. આ વીલ માણસ પૂરા હોશોહવાસમાં હોય ત્યારે બનાવે છે, જેમાં એ પોતે માંદો પડે ત્યારે કેવી સારવાર ન આપવી અથવા તો સારવાર કે ઉપચાર ક્યાંથી અટકાવી દેવાં એની સ્પષ્ટતા એ વ્યક્તિએ જ કરી હોય છે.
લિવિંગ વીલ શા માટે?
ભારતમાં આ પ્રકારનું (લિવિંગ) વીલ લાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા મુંબઈના જાણીતા ગાયનેકોલૉજિસ્ટ ડૉ. નિખિલ દાતાર ચિત્રલેખાને કહે છે: ‘આજે અમુક પ્રકારનાં કૅન્સર, ડિમેન્શિયા જેવી બીમારી કે કિડની ફેઈલ્યૉર, વગેરેમાં તબીબી સારવાર અપાય છે, પણ એનો કોઈ અર્થ નથી. મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે દરદીને વેન્ટિલેટર પર મૂકીને એના શ્વાસ પરાણે ચાલુ રાખવામાં આવે છે. કૅથેટર, ડાયાલિસિસ, હાર્ટ-લંગ મશીન, વગેરે કામે લગાડીને દરદીની શારીરિક સિસ્ટમને જીવિત રાખી શકાય છે. સમજો કે માત્ર ટેક્નોલૉજીના આધારે મેડિકલ ટ્રીટમેન્ટ આપીને મૃત્યુને પાછું ઠેલવામાં આવે છે, જીવન લંબાવવામાં આવતું નથી. દરદીને આ રીતે, પથારીમાં પેશાબ-મળ સાથે જિવાડવાથી એનું માન સચવાતું નથી. જો કે આવા સંજોગમાં પણ કાયદાના બંધનને કારણે ડૉક્ટર દરદીનું વેન્ટિલેટર બંધ કરી શકતા નથી. વળી, ટ્રીટમેન્ટ અંગે સંતાનો કે સ્વજનોમાં મતભેદ થાય ત્યારે પણ ડૉક્ટરની હાલત કફોડી થાય છે. આ સ્થિતિ નિવારવા જો વ્યક્તિએ અગાઉથી લિવિંગ વીલ કરી રાખ્યું હોય તો પરિવારજનો એનો અમલ કરી શકે.’
Esta historia es de la edición July 10, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 10, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.