નવોદિત લેખકો, વાર્તાકારો, નાટ્યકારો, ચિત્રકારોની શિબિર, વર્કશૉપ્સ કે કૅમ્પ અવારનવાર યોજાતાં જ રહેતાં હોય છે, પણ મુંબઈનાં નાયકદંપતી દ્વારા શરૂ થયેલી શિબિર નામે સાહચર્ય જરા વેગળી છે. અધ્યાપક દંપતી ભરત નાયક-ગીતા નાયક દ્વારા યોજાતી આ શિબિરમાં સાહચર્યની ત્રિવેણી રચાય છે, કેમ કે આ સાહચર્ય પતિ-પત્નીનું છે, મિત્રોનું છે, કળા-સાહિત્યનું છે.
૧૯૮૮માં મુંબઈના પરા ઘાટકોપરમાં નાયકદંપતીના એક રૂમ-રસોડાના ઘરમાંથી આ સાહિત્યયજ્ઞ આરંભાયો. એમણે ગુજરાતી સાહિત્ય-કળાનું સામયિક ગદ્યપર્વ શરૂ કર્યું એ સાથે જ સાહચર્ય શિબિરની પણ શરૂઆત કરી, જેમાં કવિ કમલ વોરા, નાટ્યલેખક નૌશિલ મહેતા, નાટ્યકર્મી મનોજ શાહ, ચિત્રકાર-લેખક ગુલામ મોહમ્મદ શેખ, ચિત્રકાર અતુલ ડોડિયા, ચિત્રકાર સ્વર્ગીય ભૂપેન ખખ્ખર, સર્જક પ્રબોધ પરીખ, વાર્તાકાર હિમાંશી શેલત, કિરીટ દૂધાત, હર્ષદ ત્રિવેદી, નાટ્યકર્મી મહેન્દ્ર જોશી, અજય સરવૈયા, વગેરે વગેરે અનેક સર્જક જોડાયાં. જે આમાં જોડાય એ સતત ત્રણ દિવસ સાથે રહીને લેખન કરે, પઠન કરે, સાહિત્ય, કળાવિષયક ચર્ચા કરે. કોઈ નવું લખે, તો કોઈ અધૂરું લખેલું પૂરું કરે, તો કોઈ નવું આયોજન કરે.
૧૯૮૮માં સાહચર્યનું પહેલું મિલન સંત બાલાજીના પાલઘર નજીક ચીંચણીમાં આવેલા આશ્રમમાં થયું હતું. એ પ્રથમ મિલન હતું એટલે બધાને કુતૂહલ અને ઉત્સુકતા હતી કે જુદાં જુદાં ક્ષેત્રના સર્જકો સાથે રહીને સર્જન કરશે કે પછી એ એક મેળો બની રહેશે? જો કે આજે એ યાદ કરતાં દરેક જણ એકસૂરે કહે છે કે સાહચર્યનો આનંદ એવો આવ્યો કે બીજા વરસની આતુરતાપૂર્વક રાહ જોવાતી. એને યાદ કરતાં જાણીતા ચિત્રકાર ગુલામ મોહમ્મદ શેખ કહે છેઃ ‘સાહચર્યની પહેલી બેઠકમાં આશ્રમની એક ઓરડીની બહાર જૂતાં અને અહં ઉતારવાનો સંદેશ ભૂપેન ખખ્ખરની દાઢે-મોઢે ચડ્યો હતો. પાછળથી એ યાદગીરીને અતુલ ડોડિયાએ એક ચિત્ર રૂપે કંડારી હતી.’
Esta historia es de la edición May 13, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 13, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.