દેશના ભાગલા પડ્યા અને મોએ સર્વ મમાં ૭૭ વર્ષ પૂર્ણ થશે. પાકિસ્તાન એટલે આમ તો ભારતના વિભાજન બાદનો એક ટુકડો, પણ એ વિભાજન પછી રાજકીય અને ભૌગોલિક રીતે સમસમીને બેસી રહેવા સિવાય ભારત પાસે ત્યારે કોઈ વિકલ્પ નહોતો. અલગ રાષ્ટ્ર તરીકે જન્મ લીધા પછી પાકિસ્તાને તરત એ જ વર્ષે અને એ પછી પણ ત્રણ વાર ભારત સાથે નાનાં-મોટાં યુદ્ધ કરી પછડાટ ખાધી, પરંતુ એમાંથી ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધ કચ્છને પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ખૂબ પ્રભાવિત કરી ગયાં.
કચ્છના વરિષ્ઠ પત્રકાર કીર્તિભાઈ ખત્રીનું પુસ્તક ૧૯૬૫નું યુદ્ધ... કચ્છનો અંગભંગ કોના વાંકે? થોડા દિવસમાં પ્રકાશિત થઈ રહ્યું છે ત્યારે ૧૯૬૫નું યુદ્ધ કચ્છ માટે શા માટે મહત્ત્વનું રહ્યું એનાં પૃષ્ઠો ખૂલી રહ્યાં છે. ૧૯૬૫નું પાકિસ્તાન સાથેનું યુદ્ધ ભારત જીતી તો ગયું, પણ કચ્છ હારી ગયું હતું, કારણ કે એ યુદ્ધમાં કચ્છનો કેટલોક હિસ્સો-જમીન ભારતે ગુમાવવાં પડ્યાં હતાં. કચ્છ માટે તો આ કારમો ઘા હતો. શરીરનો કોઈ ભાગ કપાઈ જાય તો કેવી વેદના થાય? કચ્છ આજેય એ પીડાનો . અનુભવ । કરી રહ્યું છે. કચ્છના ઈતિહાસનું એ દુઃખદ અને કરુણ પ્રકરણ હવે દસ્તાવેજીકરણનું સ્વરૂપ પામી એક પુસ્તક તરીકે બહાર આવી રહ્યું છે. એનું શ્રેય જાય છે કીર્તિભાઈ ખત્રીને...
કીર્તિભાઈ ખત્રી સાડા ત્રણ દાયકા જેટલો સમય કચ્છના મુખ્ય પ્રહરી અખબાર કચ્છમિત્ર સાથે તંત્રી તરીકે જોડાયેલા હતા, એ કાર્યકાળ દરમિયાન એમણે અગ્રલેખો દ્વારા કચ્છની ૧૯૬૫ના યુદ્ધની વેદનાને વાચા આપવા પ્રયત્ન કર્યો હતો તો હવે એપ્રિલથી જૂન, ૧૯૬૫ સુધી ચાલેલા એ યુદ્ધને છ દાયકા જેટલો સમય વીત્યો છે ત્યારે એ સમગ્ર ઘટનાક્રમને એમણે પુસ્તકનું રૂપ આપ્યું છે.
શું છે આ પુસ્તકમાં?
Esta historia es de la edición July 01, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 01, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
સોશિયલ મિડિયા એડિક્શનઃ તમે ભાન ભૂલી ગયા છો?
બીજાની ‘લાઈક્સ’ મેળવવાનો નશો વળગણ બની જાય એ પહેલાં ચેતો તો સારું.
આ બચૂકડાં બિયાં છે બડાં ગુણકારી
જીવનજરૂરી સત્ત્વોથી ભરપૂર સીડ્સ ઘણી બીમારી સામે આપે છે રક્ષણ.
કંઈ કરવાની જરૂરત નહોતી, પણ એને તો ઝંખના હતી સ્વઓળખ મેળવવાની
એનો જન્મ જાહોજલાલી વચ્ચે થયો. ધનાઢ્ય પિતાની એકમાત્ર દીકરી તરીકે ઉછેર પણ ભારે લાડકોડભર્યો અને પછી સાધનસંપન્ન પરિવારમાં લગ્ન. સુખસાગરથી છલોછલ આ નારીને તેમ છતાં કંઈક અધૂરપ લાગતી, હજી કંઈક ખાલીપો છે એવું લાગતું. એ ખાલી જગ્યા હતી સ્વઓળખ માટેની, જેને મેળવવા માટેની જાત સાથેની જ લડાઈ અનેક મહિલાને પ્રેરણા આપે છે.
ભારતના દિલમાં વાઘ ઉપરાંત શું શું છે જોવા જેવું?
સાતપૂડા ટાઈગર રિઝર્વ મધ્ય પ્રદેશમાં છ-છ ટાઈગર રિઝર્વ છે. જો કે એ બધાંમાં સાતપૂડાનું સ્થાન કંઈક ઔર છે. ખાસ્સો મોટો વિસ્તાર અને એમાં વન્યજીવોની ભરમાર. છોગામાં, સદીઓ અગાઉના રૉક પેન્ટિંગ્સ સાથેની અનેક ગુફા સાતપૂડાને અન્ય જંગલથી અલગ પાડે છે. વળી, એની નજીકમાં જ છે મધ્ય પ્રદેશનું કશ્મીર ગણાતું પંચમઢી હિલસ્ટેશન.
નકલી ઘી એટલે ક્ષતિ કે ષડયંત્ર?
બાલાજી મંદિર ૧૮૫૭માં ગૌમાંસની ચરબી ચોડેલા કારતૂસની અફવા પ્રસરી ત્યારે અંગ્રેજો સામે ભારતીયોએ વિપ્લવ કર્યો હતો, હવે તિરુપતિના વેંકટેશ્વરા મંદિરના લાડુપ્રસાદમાં વપરાયેલાં ઘીમાં ગાયની ચરબી તથા અન્ય વાંધાજનક સામગ્રી મળી હોવાના લૅબ રિપોર્ટથી દુનિયાભરના હિંદુઓ ખળભળી ઊઠ્યા છે. વિશ્વમાં સૌથી ધનિક ગણાતા આ બાલાજી મંદિરનું સંચાલન રાજ્ય સરકાર નિયંત્રિત બોર્ડના હાથમાં છે. નકલી ઘીનો વર્તમાન વિવાદ મોટી આગ પકડશે તો આ દેવસ્થાનમમાં ભક્તોએ ભાવથી ચઢાવેલી રોકડ ભેટનો ઉપયોગ ઈતર ધર્મીઓના તુષ્ટીકરણ માટે થતો હોવાનો અને એના વહીવટી મંડળમાં બિનહિંદુઓના સમાવેશના મુદ્દા પણ ઊછળશે જ.
વેદનાની હાઈ-ટેક વસૂલાત...
પેજર, વૉકીટૉકી બૉમ્બધડાકા, એક જ હવાઈ હુમલામાં સાડા ચારસોથી વધુ લેબનીસ નાગરિકનાં મોત... લેબેનોનમાં હિઝબુલ્લાહના વિનાશવાદીઓ સામે બદલો લેવા ઈઝરાયલે કરેલા હાઈ-ટેક અટેક પાછળ જેનું ભેજું કામ કરે છે એ યુનિટ તથા એની વિવિધ કામગીરીની અલ્પ જાણીતી વાતો.
જૂથવાદનો ગિરનારી પવન કોનું વહાણ ડુબાડશે?
ભાજપમાં એક તરફ સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં જવાહર ચાવડાએ પાર્ટી સામે જાહેરમાં જંગ છેડીને પ્રદેશ નેતાગીરીને પડકારી છે.
૩૬૫ દિવસ ૨૪ કલાક ખુલ્લું રહેતું પુસ્તકાલયઃ ન કોઈ ડિપોઝિટ-ન લવાજમ
આ છે જિતુભાઈ ચૂડાસમાની તાળાં વારની લાઈબ્રેરી: અહીં તો વાચકો જ બને છે પુસ્તકોના રખેવાળ.
મન કે ઝરોખે મેં ઝાંક કર તો દેખિયે...
‘રણ સહસ્ર યોદ્ધા લડે, જીતે યુદ્ધ હજાર, પર જો જીતે સ્વયં કો, વહી શૂર સરદાર.’ અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ જેવા ભવરોગથી મુક્તિ પામવા સ્વયંને જીતવાની સાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સંસારની દરેક વ્યક્તિ બુદ્ધપદે ન પહોંચી શકે, પણ બુદ્ધે આપેલી વિપશ્યના સાધનાના અભ્યાસ થકી પોતાના મનને તો જીતી જ શકે. અઢી સૈકા જૂની, પણ ભારતમાંથી લુપ્ત થયેલી આ પ્રાચીન ધ્યાનપદ્ધતિને પંચાવન વર્ષ પહેલાં ફરી સ્વદેશ લઈ આવનારા સત્યનારાયણ ગોએન્કાજીએ મુંબઈમાં નિર્મિત કરેલા પગોડામાં ભગવાન બુદ્ધનો સંદેશ હવે લાઈટ ઍન્ડ સાઉન્ડ મ્યુઝિયમ રૂપે સમજવા મળે છે.
આપણે કોની પાછળ ભાગીએ છીએ?
આંબી શકતા નથી ચરણ એને એટલી ઝડપે પ્યાસ ચાલે છે એમ ચાલે છે જિંદગી જાણે જિંદગીનો રકાસ ચાલે છે.