યાદ છે ને, ચાર વર્ષ પહેલાં કોરોના વાઈરસ મહામારીએ ભારત સહિત યા દુનિયાભરમાં કેવી તબાહી મચાવી હતી. હવે તબીબી નિષ્ણાતો ફરી ચિંતામાં પડ્યા છે, કારણ કે આ વખતે મન્કીપોક્સ અથવા એમપોક્સ તરીકે ઓળખાતો વાઈરસ કોરોનાની જેમ માનવસમાજને ડરાવી રહ્યો છે. જનાવરોમાંથી માનવીઓમાં ફેલાતી આ ચેપી બીમારીના દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૨૦,૦૦૦ જેટલા કેસ મળ્યા છે અને આફ્રિકા ખંડમાં ૫૩૦થી વધારે લોકોનાં મૃત્યુ પણ થઈ ચૂક્યાં છે. એકલા કોંગોમાં જ એક વર્ષમાં ૪૫૦ જેટલા લોકો મરણને શરણ થયા છે. આ બીમારી હવે આફ્રિકાથી બહાર ફેલાઈ છે.
ચિંતાની વાત એ કે આ બીમારીના સકંજામાં ૧૫ જેટલા દેશ આવી ગયા છે. ભારતમાં હજી સુધી આ વાઈરસનો એકેય કેસ નોંધાયો નથી, પણ સરકાર સતર્ક થઈ છે અને જનતાએ પણ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે પાકિસ્તાનમાં આ રોગ પ્રવેશી ચૂક્યો છે. ત્યાં આ રોગના ત્રણ દરદી નોંધાયા છે. ત્રણેય કેસ ઈન્ટરનૅશનલ ફ્લાઈટમાંથી ઊતરેલા લોકોમાં મળ્યા છે. એક કેસ સ્વીડનમાં નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ આફ્રિકાના દેશોમાંથી લોકોની અવરજવર ચાલુ જ રહે છે એટલે આ રોગ ભારતમાં ફેલાવાનું જોખમ તો છે જ.
૨૦૨૨માં ભારત આ રોગની ઝપટમાં આવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આ વાઈરસને જાગતિક આરોગ્ય સંક્ટ ઘોષિત પણ કરી દીધો છે. છેલ્લાં બે વર્ષમાં આ બીજી વાર WHOએ આ ઈમર્જન્સી ઘોષિત કરવી પડી છે. આફ્રિકામાં તો આ રોગના કેસ ૧૬૦ ટકા વધી ગયા છે. આ વાઈરસના મુખ્ય બે પ્રકાર છેઃ ક્લેડ-વન અને ક્લેડ-ટુ. ૨૦૨૨માં ક્લેડ-ટુ વેરિઅન્ટનો ઉપદ્રવ ફાટી નીકળ્યો હતો. બાદમાં એનું જોર ઘટી ગયું હતું, પરંતુ હવે ક્લેડ-વનઈ વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHOને ડર છે કે આ બીમારી અન્ય દેશોમાં ફેલાઈ શકે છે. ક્લેડ-વનઈ વેરિઅન્ટ બાળકોને વધુ સંક્રમિત કરે છે.
એમપોક્સનો ફેલાવો રોકવા માટે JYNNEOS નામની એક રસી તો બનાવવામાં આવી છે, પણ ઘણા દેશોમાં એ ઉપલબ્ધ નથી. ભારતમાં પણ નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ દવા ઉત્પાદક કંપનીઓને અપીલ કરી છે કે એ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે મદદરૂપ થાય. આ રસીના બે ડોઝ લેવાથી એમપોક્સ સામે રક્ષણ મળે છે. વ્યક્તિએ ચાર અઠવાડિયાંના અંતરે બે ડોઝ લેવાના રહે છે. આ રોગનો ઈલાજ મોટે ભાગે લક્ષણો સામે રાહત આપવા માટે છે. એ માટે ઍન્ટિ-વાઈરલ દવા પણ મદદરૂપ થાય છે.
Esta historia es de la edición September 02, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 02, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.