અસ્સલામ વાલેકુમ, આથી આપને જાણ કરવામાં આવે છે કે આપ જે જમીન પર મકાન બાંધીને રહો છો એ જમીન વની માલિકીની હોવાથી ૩૦ દિવસમાં ખાલી કરી આપશો, અન્યથા વક્કુના કાયદા હેઠળ અધિગ્રહણની કાર્યવાહી કરવામાં આવશે...
એક સવારે નાના ગામનાં સાત ઘરોમાં અચાનક આવી નોટિસ આવી પડતાં હાહાકાર મચી ગયો. પછી ખબર પડી કે બિહાર સુન્ની વ બોર્ડે આખા ગામની જમીન પર દાવો કર્યો છે. જોવાની વાત એ કે ગામના ૯૫ ટકા રહેવાસી હિંદુ છે અને ઘણાના દસ્તાવેજ તો છેક ૧૯૧૦ના છે. બિહારના પાટનગર પટણાથી ૩૦ કિલોમીટર દૂર ગોવિંદપુર ગામનો આ કિસ્સો આખા દેશમાં ગાજ્યો.
બે વર્ષ પહેલાં તામિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના તિરુચેન્થરાય ગામનો એક ખેડૂત પોતાની પુત્રીનાં લગ્નના ખર્ચ માટે ખેતર વેચવા ગયો ત્યારે ખબર પડી કે છ ગામની ૪૦૦ એકર જમીન પર તો તામિલનાડુ વર્ફે બોર્ડનો દાવો છે એટલે એની મંજૂરી સિવાય વેચાણ શક્ય નથી. ખેડૂત બાપડો વક્ક ટ્રિબ્યુનલમાં ધક્કા ખાતો થઈ ગયો છે, જ્યાં મુસ્લિમ જજ નક્કી કરશે કે જમીન ખરેખર ખેડૂતની છે કે અલ્લાહની. હિંદુ બહુમતી ધરાવતા આ ગામમાં ૧૫૦૦ વર્ષ જૂનું સોમેશ્વર મંદિર છે અને એના પર સુદ્ધાં વકફ બોર્ડનો દાવો છે!
ગયા અઠવાડિયે ગિરિમથક શિમલાની સંજૌલી મસ્જિદનો કેસ પણ બહુ ગાજ્યો. આ મસ્જિદે ગેરકાયદે પાંચ મજલા ચણી નાખ્યા, એના વિરોધમાં હિંદુઓનો વિરાટ મોરચો નીકળ્યો હતો. પછી વિધાનસભામાં સત્તાધારી કોંગ્રેસના જ મંત્રી અનિરુદ્ધ સિંહે પણ મસ્જિદને ગેરકાયદે ગણાવીને તોડી પાડવાની માગણી ભારપૂર્વક મૂકી. જાણો છો, પછી શું થયું? સિમ્પલ, સ્થાનિક વર્ક્સ બોર્ડે મસ્જિદનો કબજો લઈ લીધો. છે હવે તોડકામ કરવાની કોઈ સરકારી એજન્સીની તાકાત?
જયપુરમાં તો સ્થાનિક મુસલમાનોની જમીન પર જ વર્ફે બોર્ડે જગ્યા ખાલી કરોના ફતવા મોકલવા માંડ્યા એથી ત્રાસીને એક સુન્ની મુસ્લિમ સંગઠને ૨૦૨૨માં રાજસ્થાન હાઈ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે ટ્રસ્ટ, ધર્માદા સંસ્થા, ધાર્મિક સખાવતોના નિયમન માટે અલાયદું વફ્ફ બોર્ડ રચાયું એ સાવ ગેરબંધારણીય છે એટલે એને તો નિર્મૂળ જ કરો.
Esta historia es de la edición September 23, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 23, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વકફ કા કાનૂનની પાંખ કાપવાની કવાયત કેટલી આવશ્યક?
આર્મી અને રેલવે પછી ભારતના ત્રીજા સૌથી મોટા જમીનદાર બની બેઠેલા વફ્ફ બોર્ડની કથિત જોહુકમી સામેનો આક્રોશ ઘણા વખતથી છલકાતો હતો. સરકાર અને ન્યાયતંત્ર જેટલી સત્તા ભોગવતા વક્ક બોર્ડ સામે મનમાની, ભ્રષ્ટાચાર, ગેરવહીવટના અનેક આક્ષેપો થયા હતા. આના ઉકેલ તરીકે સંસદમાં રજૂ થયેલું વક્ અમેન્ડમેન્ટ બિલ વિરોધ પક્ષોની કાગારોળને કારણે અત્યારે વધુ વિચારણા માટે સંયુક્ત સંસદીય સમિતિને હવાલે છે ત્યારે આ વિવાદાસ્પદ કાયદાના મૂળમાં જવું જરૂરી છે.
આ લોકોને રોકાણકાર કહેવાય?
આઈપીઓ છલકાવાની સફળતા બાદની કરુણતા
કોણ છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે દુનિયાના લીડર્સ?
એઆઈને પ્રોમ્પ્ટ આપવાની માસ્ટરી મેળવવાથી નોકરી બચવાની શક્યતા ખરી કે નહીં?
સત્સંગ સાથે જોડાઈ છે સેવા...
ધર્મ જીવનની ગુણવત્તા સુધારવાનો માર્ગ છે.
આશા રાખીએ, કોઈ વડીલ માટે આવી નોબત ન આવે...
પાછલી જિંદગીમાં સાવ એકલા રહેવાનું... ને મરી જાય ત્યારે અંતિમવિધિ પણ પારકાના હાથે થાય!
પીટીએસડીઃ ઝટ પીછો ન છોડે એવી વ્યાધિ
કોઈ મોટા આઘાતને પગલે આવતી આ બીમારી ઊંઘ હરામ કરી નાખે એ પહેલાં...
તમે શું ખાવ છો એની તમને ખબર છે?
કુપોષણને કારણે ઊભી થતી સમસ્યા સમજી લઈ એનો ઝટ ઉકેલ લાવવો જરૂરી છે.
શાસ્ત્રીય નૃત્યગતનો ઝળહળતો સિતારો...
દેશ-વિદેશમાં ઈન્ડિયન ક્લાસિક ડાન્સને ચમકાવનારાં આ નૃત્યાંગનાએ એક તબક્કે ક્ષેત્રસંન્યાસ લેવાનો નિર્ણય લઈ લીધેલો... સામે આવેલા પડકારોનો સામનો કરી આજે એક ઊંચાઈએ પહોંચનારાં આ નૃત્યાંગનાનું જીવન પ્રેરણાદાયી છે.
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?