નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ઈમારત જેટલી ભવ્ય છે એટલું જ અફલાતૂન છે એનું ગ્રાન્ડ થિયેટર.
મુંબઈનું બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ એટલે આમ તો આખો કમર્શિયલ એરિયા. આવક વેરા વિભાગ સહિત થોકબંધ સરકારી કાર્યાલયો, અનેક બૅન્ક અને બીજી નાણાકીય સંસ્થાનોની કૉર્પોરેટ ઑફિસ તથા ભારત ડાયમંડ બુર્સ જેવા કરોડોની ઊથલપાથલ કરતા વેપાર-ઉદ્યોગો માટેનું કેન્દ્રબિંદુ.
આશરે ૩૭૦ હેક્ટરમાં ફેલાયેલા આ સંકુલમાં એમ તો એક મસમોટી હૉસ્પિટલ, વિશાળ એક્ઝિબિશન ગ્રાઉન્ડ, આલીશાન હોટેલ્સ અને રેસ્ટોરાં તથા બે ઈન્ટરનૅશનલ સ્કૂલ, અમેરિકન કૉન્સ્યુલેટ અને ડ્રાઈવ ઈન થિયેટર પણ છે. હવે આ બધાં વચ્ચે સંગીત, નૃત્ય, અભિનય સહિતની વિવિધ સાંસ્કૃતિક પરંપરાનું રખોપું કરે એવું એક કેન્દ્ર શરૂ થયું છે. એ છે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર.
ઉદ્યોગપતિ, રિલાયન્સ ગ્રુપના સર્વેસર્વા એવા મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણી શિક્ષણથી માંડી સ્વાસ્થ્યસેવા અને સ્પોર્ટ્સથી લઈ સમાજસેવા સહિત અનેક ક્ષેત્ર સાથે સંકળાયેલાં છે. એ પોતે એક ઉમદા નૃત્યાંગના છે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને એ ખાસ્સું પ્રોત્સાહન આપે છે. ભારતની વિવિધ કળાની એ જાળવણી માટે એમણે સેવેલું એક સપનું હવે સાકાર થયું છે.
ન્યૂ યોર્કના અતિ પ્રતિષ્ઠિત મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટનાં માનદ ટ્રસ્ટી નીતા અંબાણીએ મુંબઈમાં એક અતિભવ્ય અને આધુનિક સાંસ્કૃતિક કેન્દ્ર તૈયાર કર્યું છે. એક રીતે કહીએ તો મુંબઈને એક નવું સાંસ્કૃતિક લૅન્ડમાર્ક મળ્યું છે. દેશમાં કળાને પ્રોત્સાહન આપતું વૈશ્વિક દરજ્જાનું આવું આ પહેલું જ સેન્ટર છે.
બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં જીયો વર્લ્ડ સેન્ટર તરીકે ઓળખાતું રિલાયન્સ ગ્રુપનું જ બિઝનેસ કન્વેન્શન સેન્ટર છે. દેશનું આ સૌથી મોટું કન્વેન્શન સેન્ટર છે. એ જ સંકુલમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું હમણાં ઉદ્ઘાટન થયું, જેમાં બોલીવૂડ, હોલીવૂડ, સ્પોર્ટ્સ, કળા અને અન્ય ક્ષેત્રની જાણીતી હસ્તીઓએ હાજરી આપી. આ ઉદ્ઘાટન સમારોહ જ ત્રણ દિવસ ચાલ્યો. ઉદ્ઘાટનના આગલા દિવસે, રામનવમીના અવસરે ત્યાં વિશેષ પૂજા પણ રાખવામાં આવી હતી.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.