મુસ્લિમો પોતાની મિલકત વલ્ફ અલ્લાહને અર્પણ કરે એ વર્ફે મિલકત કહેવાય. એની માલિકી અલ્લાહની હોવાથી એને વેચી કે તબદીલ કરી શકાતી નથી.
અગાઉ ગુજરાતમાં હિંદુ અને અન્ય ધર્મીની જેમ મુસ્લિમોની વિવિધ સંસ્થાની નોંધણી બૉમ્બે પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ હેઠળ થતી હતી, પણ ૧૯૯૫માં વર્ક્સ ઍક્ટ અમલી બન્યા પછી આપોઆપ વક્કુ મિલકતો બની. એની વમ્ફ બોર્ડમાં નોંધણી થઈ. ૧૯૯૭માં ગુજરાત રાજ્ય વર્ફે બોર્ડ બન્યું. એના વર્તમાન પ્રમુખ સુરતના જાણીતા રેડિયોલૉજિસ્ટ અને ઈમેજિંગ સ્પેશિયાલિસ્ટ ડૉ. મોહસીન લોખંડવાલા ચિત્રલેખાને કહે છેઃ
બોર્ડમાં રાજ્યની નાની-મોટી ૧૩,૭૯૦ મુસ્લિમ ધાર્મિક સંસ્થા કે વર્ફ ટ્રસ્ટ છે, જેમના હસ્તક ૩૯,૯૪૦ મિલકત નોંધાયેલી છે. એમાં મસ્જિદ, દરગાહ, કબ્રસ્તાન, ઈદગાહ, મકબરા, વગેરેનો સમાવેશ છે. મિલકત સંખ્યાની દૃષ્ટિએ સૌથી મોટી વફ્ફ સંસ્થા અમદાવાદ સુન્ની મુસ્લિમ વલ્ફ કમિટી છે, જ્યારે સૌથી વધુ વર્ક્સ ટ્રસ્ટ દક્ષિણ ગુજરાતમાં છે. વર્ફે બોર્ડની ભૂજમાં છ હજાર ચોરસમીટર જેટલી જમીન છે.’
મુસ્લિમો દ્વારા જમીન, મકાન, વગેરે મળતાં દાન ઉપરાંત વર્ફે ટ્રસ્ટ મસ્જિદ, કબ્રસ્તાન, ઈદગાહ, વગેરેનું સંચાલન કરે છે. અમુક મિલકત ભાડે કે લીઝથી આપીને આવક મેળવે છે. જો કે ચુકાદા એ માટે વર્ક્સ બોર્ડની લેખિત મંજૂરી અનિવાર્ય છે. વફ્ફ બોર્ડના હુકમ સામે ગુજરાત રાજ્ય વર્ફે ટ્રિબ્યુનલમાં જ અપીલ થઈ શકે ને ટ્રિબ્યુનલના સામે હાઈ કોર્ટમાં પિટિશન થઈ શકે.
ગુજરાતમાં બે દાયકામાં જમીન-મકાનના ભાવમાં આકાશી ઉછાળો આવ્યા પછી વલ્ફના કેટલાક ચાલબાજ ટ્રસ્ટીઓએ મિલકત નહીં વેચવાના નિયમને ચાતરી દેવા વેચાણની મંજૂરીનાં નકલી પ્રમાણપત્ર બનાવ્યાં હોવાનું બહાર આવ્યું છે. આવા એક કિસ્સામાં વફ્ફ બોર્ડના સિનિયર ક્લર્ક, અમદાવાદના અફસાના કાઝીની સંડોવણી બહાર આવી.
આ અંગે વફ્ફ બોર્ડના પ્રમુખ ડૉ. મોહસીન કહે છે: ‘બોગસ દસ્તાવેજો દ્વારા વક્કુ મિલકતના ગેરકાયદે વેચાણના કેસમાં આરોપી અફસાના કાઝી સામે પાંચેક ફરિયાદના આધારે એમની તથા અન્ય ટ્રસ્ટીઓની પણ ધરપકડ કરી હતી. એ ઉપરાંત, અંકલેશ્વર તાલુકામાં વક્કુ મિલકતો બોગસ દસ્તાવેજોના આધારે વેચાણ અને ભાડાપટ્ટે આપી હતી. એવી અઢારેક મિલકત રજિસ્ટર દસ્તાવેજોથી અમે રદ કરી છે તથા કાયદાકીય કાર્યવાહી કરી છે.’
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.