દેશમાં ક્યાંય પણ ગુલાબી નગરીની વાત નીકળે એટલે લોકોના મોઢે રાજસ્થાનના જયપુર શહેરનું જ નામ આવે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ગુજરાતમાં પણ એક ગુલાબી નગરી છે.
એ નગર એટલે ધ્રાંગધ્રા. હા, ધ્રાંગધ્રા એ ગુજરાતના ગુલાબી શહેરની ઓળખ ધરાવે છે. ધ્રાંગધ્રામાં પ્રવેશ કરતાં જ આજે પણ અનેક ઘરની દીવાલ ગુલાબી કલરથી રંગેલી નજરે ચડે છે. જયપુરની જેમ ધ્રાંગધ્રા પણ બ્રિટિશરાજ દરમિયાન કાઠિયાવાડનું એક મહત્ત્વનું રજવાડું હતું.
આ શહેરના નામ સાથે જ એનો ઈતિહાસ જોડાયેલો છે. ધન્ગ એટલે પથ્થર અને ધરા મતલબ ધરતી. આ બન્ને શબ્દોને જોડીને આ શહેરને નામ અપાયું ધ્રાંગધ્રા. નામ સૂચવે છે એમ, આ નગરી એના પથ્થર, ખાસ તો ગુલાબી પથ્થર માટે જાણીતી છે. આજે પણ આ પંથક ગુલાબી પથ્થરોની ખાણોથી ધમધમે છે. મોઢેરાનું સૂર્ય મંદિર કે પાટણની રાણકી વાવ જ નહીં, એ પછી ભગવાન સોમનાથ, દ્વારકાનું જગત મંદિર, ગાંધીનગરનું અક્ષરધામ મંદિર, રાજસ્થાન સહિત અનેક રાજ્યોનાં વિખ્યાત મંદિરો, રાજમહેલ અને ઐતિહાસિક ઈમારતો ધ્રાંગધ્રાના પથ્થરોથી બની છે.
રાજાશાહી વખતે ઝાલાવંશનું અહીં રાજ હતું. સુરેન્દ્રનગરથી આશરે ૫૦ કિલોમીટર દૂર વસેલું ધ્રાંગધ્રા કચ્છના નાના રણની નજીક આવેલું હોવાથી સુરક્ષાની રીતે પણ મહત્ત્વનું છે અને અહીં લશ્કરી થાણું પણ છે. ઘુડખર અભયારણ્ય પણ બાજુમાં છે. આશરે એક લાખની વસતિ ધરાવતા આ શહેરની અનેક ઓળખ છે, પરંતુ પથ્થરકળા અને શિલ્પકળા આ પંથકની એક આગવી ઓળખ બની છે. સદીઓથી અહીંના સૅન્ડસ્ટોન અને એમાંથી બનતી કળાકૃતિ દેશના અનેક ભાગોમાં મોકલવામાં આવે છે.
- અને છેલ્લા દાયકા કરતાં વધુ સમયથી તો ધ્રાંગધ્રા પથ્થરકળા શીખવતું એક મોટું કેન્દ્ર પણ બની ગયું છે. ગુજરાત સરકારના ખાણ-ખનિજ વિભાગ સંચાલિત આ શૈક્ષણિક કેન્દ્ર વિસરાઈ રહેલી પથ્થરકળાને જીવંત રાખવા ઉપરાંત અનેક યુવાનોને કારકિર્દી ઘડવામાં પણ નિમિત્ત બન્યું છે.
આ કળાને ધબકતી રાખવા અહીંના લોકોની લાંબા સમયની માગ હતી. વર્ષ ૨૦૦૯માં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ધ્રાંગધ્રાની મુલાકાતે આવ્યા હતા. એ વખતે આધુનિક ટેક્નોલૉજીની મદદથી આ કળાને નવો મોડ આપવા અને નવી પેઢીને તૈયાર કરવા એમણે સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ (સાપ્તિ)ની સ્થાપના કરવાનો નિર્ણય લીધો અને આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.