વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે એમના ટ્વિટર એકાઉન્ટ પર ૧.૪૬ મિનિટનો એક વિડિયો રિલીઝ કરેલો. એ મૂંગા વિડિયોમાં ભારતની નવી સંસદનાં ફૂટેજ હતાં. એમણે જાહેર જનતાને આ વિડિયોમાં ખૂટતી કૉમેન્ટરી ઉમેરીને મોકલવાનું આહ્વાન કર્યું અને ખાતરી પણ આપી કે પ્રાસંગિક કૉમેન્ટરીવાળા વિડિયોને એ પોતાના હૅન્ડલ પરથી રિ-ટ્વીટ કરશે.
- અને લો, થોડા કલાકમાં હજારો સામાન્ય લોકો ઉપરાંત શાહરુખ ખાન, કબીર બેદી, અક્ષય કુમાર, અનુપમ ખેર, મનોજ મુન્તશીર સહિત અનેક નામી હસ્તીની કૉમેન્ટરી આવી પડી. લોકસભાના વર્તમાન સ્પીકર ઓમ બિરલા, ભારત સરકારનાં મંત્રી મીનાક્ષી લેખી અને હરદીપ સિંહ પુરીએ પણ વિડિયોને અવાજ આપ્યો. બધાંએ પોતપોતાની રીતે ભારતની ઉજ્વળ લોકશાહી પરંપરાનું ગુણગૌરવ કર્યું ને એમાં સંસદની ભૂમિકાની પ્રશસ્તિ કરી. આ બધાના વિડિયો નેરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વચન પાળ્યું.
કહેવાનું તાત્પર્ય એ કે અમુક વિરોધ પક્ષના વાંધાવચકા, વિવાદિત બૉયકોટને બાદ કરીએ તો ૨૮ મે, ૨૦૨૩નો દિવસ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયો, કારણ કે સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરની ૧૪૦મી જન્મતિથિના અવસરે વડા પ્રધાને ભારતના સંસદ ભવનની નવી ઈમારતનું લોકાર્પણ કર્યું. આવતાં ૧૫૦ વર્ષ સુધી કામ આપી શકે એવી આ ઈમારત જૂની-વર્તમાન પાર્લામેન્ટ પડખેના પ્લૉટમાં બનાવવામાં આવી છે.
આ મકાન મોદી સરકારના અત્યંત ક્રાંતિકારી પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટાના નવનિર્માણનો એક ભાગ છે. પાટનગરમાં રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીનો ત્રણ કિલોમીટરના વિસ્તારને સેન્ટ્રલ વિસ્ટા કહેવાય છે. ૧૯૧૧માં પંચમ જ્યોર્જ અને રાણી મેરીની અનુમતીથી ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવાનું નક્કી થયું. અંગ્રેજ આર્કિટેક્ટ એડ્વિન લુટિયન્સ અને હર્બટ બેકરે સેન્ટ્રલ વિસ્ટાની બ્લુ પ્રિન્ટ ૧૯૧૮માં બનાવેલી. ૧૯૨૧થી ૧૯૨૭ સુધી વિવિધ ઈમારતો બની. વાઈસરૉય હાઉસ (વર્તમાન રાષ્ટ્રપતિ ભવન), કિંગ્ઝ વે (રાજપથ જે હવે કર્તવ્યપથ છે) અને વૉર મેમોરિયલ (ઈન્ડિયા ગેટ) બહુ ભવ્યતાથી બન્યાં. સાથે બ્રિટિશ શાસકોએ ભારતના વહીવટ માટે લેજિસ્લેટિવ કાઉન્સિલ (વિધાન પરિષદ)ની ઈમારત બનાવી, જે આજનું પાર્લામેન્ટ હાઉસ છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.