ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલઃ ગુજરાત લેશે નેતૃત્વ.
ટાટાની નૅનો કારથી દેશભરમાં જાણીતું બનેલું ગુજરાતનું સાણંદ બહુ ઓછાં વર્ષોમાં ઑટો હબની ઓળખ પામ્યું. હવે સાણંદ એક વધુ નવતર ઉદ્યોગનું પણ કેન્દ્ર બનશે, જે ગુજરાતની કાયાપલટ કરશે. આ ઉદ્યોગ એટલે સેમિકન્ડક્ટર. સાદી ભાષામાં કહીએ તો મેમરી કે માઈક્રો ચિપ, જેનો મોબાઈલ, કમ્પ્યુટર, ઑટોમોટિવ, ઈલેક્ટ્રોનિક્સ, વગેરેમાં ઉપયોગ થાય છે. એના ઉત્પાદનમાં ચીન, અમેરિકા, વગેરે દેશો અગ્રસર છે. તાજેતરમાં અમેરિકાના વિખ્યાત સેમિકન્ડક્ટર ઉત્પાદકે ભારતમાં એમનો પ્રથમ પ્લાન્ટ નાખવા સાણંદની પસંદગી કરી છે.
આ યોજનાનાં મૂળ નખાયાં ગયા મહિને. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની મુલાકાત સમયે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન સાથે બેઠક યોજી હતી. એ સમયે ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેન મૅન્યુફેક્ચરિંગ દ્વારા આત્મનિર્ભર બનાવવા ૧૦ અબજ અમેરિકી ડૉલર (આશરે ૮૨૦ અબજ રૂપિયા)નો સેમિક્રોન ઈન્ડિયા પ્રોગ્રામ જાહેર કર્યો હતો. એના ભાગ રૂપે અમેરિકાની માઈક્રોન ટેક્નોલૉજી ઈન્કૉર્પોરેશન ભારતમાં (વાંચો, ગુજરાતના સાણંદમાં) જંગી મૂડીરોકાણ કરીને સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવશે એવી જાહેરાત થઈ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારત પરત ફર્યા પછી આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ઘડિયાં લગન લેવાયાં! અમેરિકામાં જાહેરાત થયાના માત્ર છ દિવસમાં તમામ ઔપચારિકતા પૂરી કરીને ગુજરાત સરકાર અને માઈક્રોન ટેક્નોલૉજી ઈન્કૉર્પોરેશન વચ્ચે પાટનગર ગાંધીનગરમાં સમજૂતી કરાર (મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ-એમઓયુ) થયા.
હવે દેશના પ્રથમ કમર્શિયલ સેમિકન્ડક્ટર મેમરી એસેમ્બ્લી અને ટેસ્ટ યુનિટ માટે અમેરિકી કંપની માઈક્રોન ટેક્નોલૉજી ૨.૭૫ અબજ અમેરિકી ડૉલર (અંદાજે રર,પ૦૦ કરોડ રૂપિયા)નું રોકાણ કરીને સાણંદના જીઆઈડીસીમાં સેમિકન્ડક્ટર એસેમ્બ્લી ટેસ્ટિંગ, માર્કિંગ અને પૅકેજિંગ (ATMP) ફેસેલિટીઝ બનાવશે.
‘માઈક્રોન’ના ગુરુશરણ સિંઘ અને સાયન્સ-ટેક્નોલૉજી વિભાગના સચિવ વિજય નેહરાએ કરાર પર કર્યા હસ્તાક્ષર.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.