લોકસભાની ચૂંટણીનાં પડઘમ અત્યારથી જ વાગવા માંડ્યાં છે. જો કે ૨૦૨૪માં નવી લોકસભા ચૂંટાય એ પહેલાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને તેલંગણ સહિતનાં રાજ્યોમાં વિધાનસભા માટે મતદાન યોજાશે તો યુનિફૉર્મ સિવિલ કોડ અથવા સમાન નાગરી ધારો પણ ગાજી રહ્યો છે. કેન્દ્ર સરકારને ચૂંટણીમાં મત અને સમાન નાગરી ધારા માટે બધી કોમનો ટેકો જોઈએ છે. મુસ્લિમોના સમર્થન વગર સમાન નાગરી ધારો લાવવાનું લગભગ અશક્ય છે એટલે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમ કોમમાં પછાત અને દલિત ગણાતા પસમાંદા મુસ્લિમોને રીઝવવાનું શરૂ કર્યું છે. મુસ્લિમ સમાજનો આ વર્ગ માની જાય તો ભાજપ એક કાંકરે બે પક્ષી મારી શકેઃ ચૂંટણી જીતી શકાય અને સમાન નાગરી ધારો લાવવાનું સરળ બને.
સામાન્ય માન્યતા એવી છે કે મુસ્લિમોમાં વર્ગભેદ કે વર્ણભેદ નથી. મોટા ભાગના લોકો માટે મુસ્લિમો એટલે સુન્ની અથવા શિયા એમ બે જ ફાંટા (આ જુદી જુદી ઓળખ પણ મોહમ્મદ પયગંબરના વારસ કોણ બને એ મુદ્દે થયેલા વિખવાદને કારણે હતી). અલબત્ત, આર્થિક અસમાનતા, વારસાગત કામકાજ અને સામાજિક મોભાને કારણે મુસ્લિમોમાં પણ અનેક ફીરકા છે, જેને ત્રણ મુખ્ય પ્રકારમાં વહેંચી શકાયઃ અશરફ, અજલફ અને અરઝલ.
આ ત્રણમાં અશરફ એટલે મુસ્લિમોનો એકદમ ઉચ્ચભ્રૂ વર્ગ. આ મુસ્લિમો મોટે ભાગે શ્રીમંત અને શિક્ષિત છે. સામાજિક-રાજકીય રીતે પણ પ્રગતિશીલ છે. એમાં સૈયદ, શેખ, પઠાણ, મુગલ, મિર્ઝા, રિઝવી, ખાન, વગેરે વર્ગ આવે. મોટા ભાગના રાજનેતા અને ઉચ્ચ હોદ્દા પર બિરાજતા મુસ્લિમો અશરફ વર્ગના છે.
નિશાન આવતી ચૂંટણીઃ ઉત્તર પ્રદેશમાં ભાજપે પસમાંદા મુસ્લિમોનાં ‘સ્નેહ સંમેલન’ યોજવા માંડ્યાં છે.
મુસ્લિમ સમાજવ્યવસ્થામાં એ પછી આવે અજલફ અને અરઝલ. આ બન્ને વર્ગ બધી રીતે તરછોડાયેલા છે. એક પછાત અને બીજો દલિત મુસ્લિમોનો વર્ગ છે. પાછળથી ઈસ્લામ ધર્મમાં વટલાયેલા લોકો આ વર્ગમાં આવે, જેમને પસમાંદા મુસ્લિમ તરીકે ઓળખવામાં આવે છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.