કિશનકાકાનો એક સમયે અમદાવાદમાં દબદબો હતો. એમની આગળપાછળ લોકોનો મેળાવડો જામતો. વૃદ્ધાશ્રમો તથા અન્ય સેવાભાવી સંસ્થામાં નિયમિત ફંડફાળો આપતા એ કિશનકાકા આયુના છેલ્લા દિવસોમાં ધોધમાર વરસતા વરસાદથી બચવા બંધ દુકાનોનાં છાપરાંનો સહારો લેતા અથવા ઝાડ નીચે ઊભા રહી જતા. સંતાનો સામે એ અસહાય બની ગયા હતા. એમાં જીવનસંગિનીનો સાથ પણ છૂટી ગયો. હતાશ કિશનકાકાને સમજાઈ ગયું કે જે ત્રણ દીકરાનો ભાર પોતાના ખભે ઊંચક્યો હતો એ ત્રણમાંથી કોઈ એમને રાખવા તૈયાર નથી. પિતાની ખોટી સહી કરાવી એમની મિલકત પડાવી લીધા બાદ દીકરાઓએ સ્પષ્ટ કહી દીધું: પપ્પા, હવે તમે આ ઘરમાંથી જઈ શકો છો.
જીવનઆખું ખુમારીથી જીવેલા કિશનકાકા ઓળખ છુપાવી થોડા દિવસ કોઈ મંદિરના ઓટલે રહ્યા તો ક્યારેક માથે કપડું ઓઢી માગીને ખાધું.
અમુક સામાજિક સંસ્થાએ મદદ માટે હાથ લંબાવ્યો, પણ સંતાનોની સામે એ બોલવા તૈયાર ન થયા. આત્મસમ્માનને વારંવાર ઠેસ પહોંચતાં છેવટે એમણે જીવન ટૂંકાવી દીધું. અમદાવાદમાં બનેલી આ એક સાવ સાચી ઘટના છે.
ડિમ્પલ શાહઃ સંતાનો ગમે એટલાં હેરાન કરે તો પણ માતા-પિતા અરજી કરવા જલદી તૈયાર નથી થતાં.
ગુજરાતને ગાતું કરનારા અવિનાશ વ્યાસની અનેક અમર રચનામાંની એક છેઃ કહું છું જવાનીને, પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે. એક વાર ગયા પછી કદીય પાછું ન આવનારું બચપણ અને યુવાની તથા આવ્યા પછી કદીય ન જનારી વૃદ્ધાવસ્થા એ જીવનનું સત્ય છે.. અને વૃદ્ધાવસ્થામાં જ્યારે સતત સગપણની જરૂર હોય ને એ જ સાથ ન દે તો? આ પણ એક વરવું સત્ય છે.
સંતાનોને ઉછેરવાં, એમને પગભર કરવાં આખી જિંદગી માતા-પિતા જાતજાતની મુશ્કેલીનો સામનો કરે છે. એમનાં સપનાં સાકાર કરવા પોતાનાં જીવન ન્યોચ્છાવર કરે છે. એ જ સંતાનો વૃદ્ધ માતા-પિતાની જવાબદારી ઉઠાવવા તૈયાર થતાં નથી, બલકે ક્યારેક એમની મરણમૂડી છેતરપિંડી કરીને પડાવી લે છે. અલબત્ત, બધાં સંતાન આમ જ કરે છે એવું કહેવાનો આશય નથી, પરંતુ સમાજમાં આવા કિસ્સા સતત વધી રહ્યા છે અને જીવનની ગાડી ચાલતી રાખવા માતા-પિતાએ કાયદાનો આશરો લેવો પડે છે. હા, ૨૦૦૭માં કેન્દ્ર સરકારે માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકો માટે એક કાયદો ઘડ્યો, જેનો મુખ્ય હેતુ સંતાનો પોતાનાં માતા-પિતાની યોગ્ય સારસંભાળ રાખે એ છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.