મું બઈનો તાજો કિસ્સો. એક ભાઈ એમના મિત્રને એનું સ્કૂટર પહોંચાડવા માટે ઘરેથી નીકળ્યા. હેલ્મેટ પણ પહેરી અને એમનું ડ્રાઈવિંગ પણ સેફ. જો કે રસ્તામાં કોઈ વાહને એમના સ્કૂટરને ટક્કર મારી. આ ભાઈ ઊછળીને રોડ ડિવાઈડર પર પડ્યા. કમનસીબે એમણે હેલ્મેટનો પટ્ટો બાંધ્યો નહોતો એટલે હેલ્મેટ ઊછળીને પહેલાં જ પડી ગઈ અને એ ભાઈનું માથું જોરથી ડિવાઈડરના પથ્થર સાથે અફળાયું.
પછી જે થયું એ તદ્દન ફિલ્મી કે ટીવીસિરિયલ જેવું લાગેઃ ત્રણેક દિવસ કોમામાં રહીને એક જટિલ સર્જરી પછી આ સજ્જન બચી તો ગયા, પણ માથાની નસ દબાઈ જવાથી એમની યાદશક્તિ પર અસર થઈ ગઈ. અત્યારે એ સ્વજનો-મિત્રોમાંથી અમુકને જ ઓળખી શકે છે. બીજા જે એમને મળવા જાય એમની સામે શૂન્યમનસ્ક બની તાક્યા કરે. જો કે ડૉક્ટરોના મતાનુસાર દવાની અસર થતાં નસ ઠીક થશે એટલે ધીમે ધીમે આ ભાઈ એમની સ્મૃતિ પાછી મેળવી લેશે.
આવા કિસ્સા આપણે રોજ સાંભળીએ છીએ. એને આંકડામાં વ્યક્ત કરીએ તો ભારત સરકારના એક રિપોર્ટ અનુસાર ૨૦૨૧માં આપણે ત્યાં કુલ ૪,૧૨,૪૩૨ લોકો કોઈ ને કોઈ રોડ અકસ્માતમાં જખમી થયા અને એમાંથી ૧,૫૩,૯૭૨ જણા મોતને ભેટ્યા, જ્યારે બીજાને નાની-મોટી ઈજા થઈ.
અકસ્માતગ્રસ્તોનો આંકડો આગલા વર્ષ (૨૦૨૦)ની સરખામણીએ ૧૨.૬ ટકા વધુ હતો. આપણે ત્યાં દર વર્ષે સરેરાશ દોઢ લાખ લોકો સડક દુર્ઘટનામાં મૃત્યુ પામે છે, એમાંથી આશરે ત્રીસ ટકા લોકો સ્કૂટર કે બાઈકચાલક હોય છે અને એમાંથી મોટા ભાગનાએ હેલ્મેટ ન પહેરી હોવાને કારણે હેડ ઈન્જરી એમના મોતનું કારણ બને છે.
૨૦૨૧ના આંકડા જોઈએ. એ વર્ષ દરમિયાન અકસ્માત વખતે માથામાં વાગવાને કારણે ૪૬,૫૯૩ બાઈક કે સ્કૂટરસવાર મોતને ભેટ્યા, જેમાં ૧૩,૭૦૦ પિલિયન રાઈડર (અર્થાત્ પાછળની સીટ પર બેસનારા) હતા. ટૂંકમાં, હેલ્મેટ ન પહેરવાની બેદરકારી વર્ષે ૪૫-૫૦ હજાર લોકોનો ભોગ લે છે. ઈન્ટરનૅશનલ ઑટોમોબાઈલ ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને એક અગ્રણી મોટરબાઈક રેસ ટીમના લીડર જિન ટોટે હમણાં આ આંક ટાંકીને ભારતીયોને રીતસર ટોક્યાઃ ‘જે દેશમાં ટુ-વ્હીલર પર સવારી કરનારે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત છે ત્યાં વર્ષે આટલા લોકો હેલ્મેટ ન પહેરવાને કારણે મૃત્યુ પામે છે એ કેવું?’
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.