કાયદો ઘડનારા નિષ્ણાતોને ઘણી વાર અંદાજ નહીં આવતો હોય કે એ કાયદાની વિવિધ જોગવાઈનું અર્થઘટન કઈ રીતે કરવામાં આવશે અને કઈ રીતે તોડી-મરોડીને એનો દુરુપયોગ કરવામાં આવશે.
ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે આપણા સંસદસભ્યો તથા વિધાનસભ્યો ધારાસભામાં કોઈ પ્રકારનાં દબાણ કે પક્ષપાત વગર નિર્ણય લઈ શકે એ માટે એમને અનેક વિશેષાધિકાર (પ્રિવિલેજ) આપવામાં આવ્યા છે અને એ જ રીતે સામાન્ય માણસોને સામાન્ય સંજોગોમાં લાગુ પડતા કેટલાક કાનૂન । સામે કવચ પણ આપવામાં આવ્યું છે. એનો અર્થ એ કે આ કવચ (ઈમ્યુનિટી) એમને અમુક કાયદાથી રક્ષણ આપે છે. સામાન્ય માણસ એવા કાયદાનું ઉલ્લંઘન કરે તો એને સજા થાય, પરંતુ કોઈ વિધાનસભ્ય કે સંસદસભ્ય એનું ઉલ્લંઘન કરે તો ઈમ્યુનિટી રૂપી ઢાલને કારણે એને સજા ન આપી શકાય. વળી, આવા કોઈ પણ ચૂંટાયેલા સભ્ય સામે કાનૂની પગલાં લેવાં હોય તો એ ગૃહના વડા (જેમ કે લોકસભાના સ્પીકર અથવા અધ્યક્ષ)ની મંજૂરી લેવી પડે. આ પણ એમનો વિશેષાધિકાર. બંધારણમાં આ જનપ્રતિનિધિઓની સત્તા અને એમને મળેલા વિશેષાધિકાર માટે બે અલાયદાં પરિશિષ્ટ ફાળવવામાં આવ્યાં છે.
સંસદસભ્યો અને વિધાનસભ્યોને મળતા આ અને આવા તમામ વિશેષાધિકારોનું બરાબર પાલન થાય છે કે નહીં એ જોતાં રહેવા પાછી આપણાં દરેક ધારાગૃહમાં પ્રિવિલેજ કમિટી પણ હોય. સંસદસભ્યોને અને જુદાં જુદાં રાજ્યના વિધાનસભ્યોને પગાર ઉપરાંત પાટનગરમાં ઘર, ફોન, સ્ટેશનરી, ગૅસ કનેક્શન, નોકર-ચાકરની સવલત અને રાહતના દરે ભોજન જેવી સવલત મળે છે એ વિશે ઘણાને ખબર હશે, પણ આપણા આ જનપ્રતિનિધિઓ વિશેષાધિકારોના નામે કેટલી છૂટછાટ મેળવે છે એની બહુ લોકોને જાણ નહીં હોય.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.