અમદાવાદીઓ કટિંગ ચા-પ્રેમી અને કરકસરિયાની આગવી ઓળખ ધરાવે. જો કે એ કળા અને સંસ્કૃતિપ્રેમી પણ ખરા. અમદાવાદીઓનો ભરપૂર નાટકપ્રેમ જોઈને થોડાં વર્ષથી મુંબઈના અમુક કમર્શિયલ ગુજરાતી નાટકના નિર્માતા એમના નવા નાટકના પ્રીમિયર શો મુંબઈને બદલે અમદાવાદમાં કરે છે.
શહેરમાં ટાઉન હૉલ, ટાગોર હૉલ, પ્રેમાભાઈ હૉલ, દિનેશ હૉલ, જયશંકર સુંદરી હૉલ, ઠાકોરભાઈ દેસાઈ હૉલ, પંડિત દીનદયાળ હૉલ, એચ.કે. આર્ટ્સ કૉલેજ હૉલ, આંબેડકર હૉલ, વગેરે ઍરકન્ડિશન્ડ ઑડિટોરિયમ છે. એમાં મહદંશે નાટક અને સંગીત તથા સામાજિક, શૈક્ષણિક, વગેરે કાર્યક્રમો યોજાય. તો શ્રેયસ ફાઉન્ડેશન, નટરાણી, થિયેટર મિડિયા સેન્ટર, વસ્ત્રાપુર લેક, વગેરે એમ્ફી થિયેટરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થાય.
વર્ષો પહેલાં શહેરમાં સુભાષ શાહ, નિમેષ દેસાઈ (બન્ને સ્વર્ગીય), હરીન ઠાકર, વગેરેએ પ્રયોગશીલ ગુજરાતી નાટકો ભજવીને નામના મેળવી. સુભાષભાઈના એકાંકી વિઝ્યુઅલ આર્ટ સેન્ટરના એમ્ફી થિયેટરમાં અને નિમેષ દેસાઈનાં ત્રિઅંકી નાટકો ઑડિટોરિયમમાં ભજવાતાં. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં માનવીની ભવાઈ સહિત ત્રણ નાટક ભજવાયાં એ ઘટના યાદગાર હતી.
જો કે અત્યારે ગુજરાત સરકાર હસ્તકના જયશંકર સુંદરી હૉલ અને ગુજરાત વિદ્યાસભા સંચાલિત પ્રેમાભાઈ હૉલ વર્ષોથી બંધ છે. સુંદરી હૉલ બે વખત જંગી રકમ ખર્ચીને નવેસરથી સજાવ્યો, પણ પછી બંધ કર્યો. તો ૧૯૪૦માં બનેલો અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત ટાઉન હૉલ થોડા મહિનાથી રિનોવેશન માટે બંધ છે. અમુક હૉલમાં પાર્કિંગ, તો અમુકમાં સાઉન્ડ સિસ્ટમ કે અન્ય સમસ્યા હોવાનું નાટક સાથે સંકળાયેલા લોકો કહે છે. અમુક હૉલનાં ભાડાં વધ્યાં અને અમુકમાં હૉલ બુકિંગના નિયમ આકરા બન્યા.
આ સંજોગમાં પ્રયોગશીલ નાટ્યસર્જકો માટે જૂજ સ્થાન છે. આ સાર્વત્રિક સમસ્યા છે. અમદાવાદમાં વસ્ત્રાપુર લેક પાસેનું એમ્ફી થિયેટર, કાંકરિયાનું ઓપન ઍર થિયેટર, વગેરે જગા છે. એ ઉપરાંત, પ્રયોગાત્મક નાટકો ભજવવા અમુક નાટ્યસર્જકોએ મિની થિયેટર બનાવ્યાં. એના મૂળમાં જઈએ તો, ૨૦૧૧માં અમદાવાદના પ્રીતમનગર વિસ્તારમાં આવેલા રંગમંડળમાં દર સોમવારે સાંજે છથી આઠ નાટ્યલેખન, દિગ્દર્શન, અભિનય, સંગીત, વગેરેમાં રસ ધરાવતા નવોદિત અને સિનિયર કલાકારો સ્વેચ્છાએ ભેગા થઈને નાટ્યવાંચન, ચર્ચા, સંવાદ, વગેરે કરતા. કોઈ કારણસર આ બેઠક બંધ થઈ.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.