ગુસ્સાની ખીલીઓ...
એક બાળકને ગુસ્સો બહુ આવતો હતો. એના પિતા આવા વર્તનથી પરેશાન થઈ ગયા હતા અને બાળકને પણ કોઈ ગુસ્સો રોકતાં આવડતું નહોતું. એક દિવસ પિતાએ એને એક હથોડી અને ખીલીઓ ભરેલી થેલી આપી અને કહ્યું કે તને ગુસ્સો આવે ત્યારે તારે ઘર ફરતે લાંકડાની વાડ છે એમાં એક ખીલી મારી આવવાની. બાળકે સૂચનાનું પાલન શરૂ કર્યું અને પહેલા જ દિવસે એણે દસ ખીલી લગાવી, કારણ કે એને દસ વખત ગુસ્સો આવ્યો હતો. દિવસો વીતવા લાગ્યા તેમ એ થાકવા લાગ્યો, કારણ કે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે એણે દોડીને બહાર જવું પડે અને લાકડામાં ખીલી ઠોકવી પડે.
મહિનો પૂરો થતાં સુધીમાં તો એને એવું લાગવા માંડ્યું કે આવી કવાયત કરવા કરતાં ગુસ્સો ન કરવો એ જ બહેતર છે. એમ કરતાં કરતાં એનો ગુસ્સો સંપૂર્ણ શાંત થઈ ગયો અને ખીલી ઠોકવાની માથાકૂટ બંધ થઈ ગઈ. એણે ઉત્સાહમાં આવીને પિતાને સમાચાર આપ્યા કે એને હવે ગુસ્સો નથી આવતો. પિતાએ એને શાબાશી આપી અને કહ્યું કે હવે તું એક કામ કર, જે દિવસે તું ગુસ્સો રોકે તે દિવસે લાકડામાંથી એક ખીલી પાછી કાઢ. બીજો એકાદ મહિનો ગયો અને બાળકે સફળતાપૂર્વક બધી ખીલી પાછી ખેંચીને થેલીમાં ભરી લીધી. ફરી એણે પિતાને શુભ સમાચાર આપ્યા.
પિતા એને લઈને વાડ જોવા ગયા અને કહ્યું: ‘બહુ સરસ કામ કર્યું બેટા, પણ તું આ લાકડામાં પડેલાં કાણાં જો, હવે આ લાકડું પહેલાં જેવું નહીં રહે, એ નબળું પડી ગયું છે. આપણા મનનું પણ એવું જ છે. જ્યારે પણ આપણે ગુસ્સો કરીએ, અપશબ્દ બોલીએ, આક્રમક વર્તન કરીએ ત્યારે એમાં એક કાણું પડે છે. આપણે ભલે પસ્તાવો કરીએ કે માફી માગીએ, પણ એ ઘા જતો નથી.’
બાળક સમજી ગયો અને પિતાને ખાતરી આપી કે એ હવે ગુસ્સાને કાયમ કાબૂમાં રાખશે.
***
મશહૂર અભિનેતા નાના પાટેકરે એકરાર કર્યો છે કે એ અત્યંત ગુસ્સાવાળા છે અને એને કારણે એમને અંગત અને વ્યાવસાયિક રીતે નુકસાન પણ થયું છે. એમણે એમ કહ્યું છે કે એમણે હવે આવેશપૂર્ણ પ્રતિક્રિયા ટાળવાનું શીખી લીધું છે. હમણાં એક હિંદી ચૅનલ સાથે એક લાંબા ઈન્ટરવ્યૂમાં નાનાએ એમના સહકલાકારો-કસબીઓ સાથે થયેલા ઝઘડા યાદ કરીને કહ્યું હતું કે હું મારા ગુસ્સાને કાબૂમાં નથી રાખી શકતો. એમણે સ્વીકાર્યું કે એમણે નાની નાની વાતમાં ઉગ્ર પ્રતિક્રિયા આપવાની જરૂર નહોતી.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નવ વર્ષ મેં કંઈ દીકરીનાં લગ્નની ઉંમર છે?
છોકરી શારીરિક અને માનસિક રીતે પરિપક્વ ન થાય ત્યાં સુધી કોઈ પણ સંબંધમાં ‘સલામત અંતર’ રાખવું હિતાવહ છે.
સામતા પર કેમ મેળવશો અંકુશ
તમને કે બીજાને નુકસાન પહોંચાડી શકે એવું વર્તન બદલવા આટલું કરો.
ચોમાસું છે ત્યાં સુધી મકાઈ ખાઈ લો..
આમ તો હવે લગભગ બારે મહિના કૉર્ન મળે છે, પરંતુ વરસાદમાં મસાલેદાર ડૂંડાંની મજા કંઈક વિશેષ છે.
પ્રકૃતિ વચાળે તાજગીનો શ્વાસ લેવા નીકળો છો ને?
મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતના ગ્રામ્યવિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ધરતીએ લીલીછમ ચાદર ઓઢી હોય એવું દૃશ્ય હરકોઈનું મન મોહી લે છે ત્યારે કૉન્ક્રીટનાં જંગલોથી દૂર જઈને પ્રકૃતિના ખોળે રમવા વધુ ને વધુ લોકો બહાર નીકળી રહ્યા છે.
જુવાન દીકરીને જોખમ સમયે મદદ કરે એવી કોઈ ઍપ ખરી?
ઘરનાં મહિલા સદસ્યોના ફોનમાં આમાંથી કોઈ એક ઍપ અને આ બન્ને હેલ્પલાઈન નંબર છે કે નહીં એ આજે જ ચેક કરજો...
હવે પડશે દ્વારકાનો વટ...
પ્રાચીન મંદિરોમાં યાત્રાળુઓને વધુ મોકળાશ, વધુ સુવિધા, વધુ આરામ મળી રહે એ હેતુથી કાશી, મહાકાલ અને અયોધ્યાના કોરિડોર બન્યા છે. એ જ ધોરણે ગુજરાત સરકારે દ્વારકા અને બેટ દ્વારકાની કાયાપલટ કરવાનું આયોજન કર્યું છે. આગામી સમયમાં દ્વારકાધીશની નગરી કદાચ આપણે ઓળખી ન શકીએ એવી બની જાય.
તીર્થરક્ષા માટે જંગ છેડ્યો એક સાધુ... અને એક સંસારી સ્ત્રીએ
પર્યટનસ્થળ તરીકે વિકસાવવાની સાથે આવતી કેટલીક અનીતિથી જૈનોના યાત્રાધામ સમ્મેત શિખરજીને બચાવવાને લગતો કેસ આખરે વીસ વર્ષે સુપ્રીમ કોર્ટમાં ખૂલ્યો છે ત્યારે જોઈએ, આ સંકટ નિવારવા અદાલતની બહાર શું ચાલી રહ્યું છે.
ભોજનનો બગાડ અટકાવી ભૂખ્યાને ભોજન આપીએ...
ઘરે કે હોટેલમાં, કોઈ પાર્ટીમાં કે લગ્નસમારંભમાં આપણે કેટલું અન્ન વેડફીએ છીએ એનો કોઈ અંદાજ જ આપણને નથી. કમોસમી વરસાદને કારણે ખેતરમાં પલળીને બગડી જતાં કે ગોદામોમાં સરખી સાચવણને અભાવે સડી જતાં અનાજના જથ્થાના પ્રમાણ વિશે પણ આપણે અજાણ છીએ. આપણે સુધરવાનું નામ ક્યારે લેશું?
હરિશંકર પરસાઈની વ્યંગની વાંસળી
ગુજરાતી વાચકોએ હિંદી ભાષાના આ અનન્ય સર્જકનો પરિચય કેળવવા જેવો છે. એમણે ભારતીય સમાજની અને રાજનીતિની એવી સૂક્ષ્મતાઓને ઉજાગર કરી હતી, જે ભાષાની સીમા તોડીને હરેક ભારતીયનાં દિલને સ્પર્શતી હતી. આઝાદી પહેલાંના ભારતને સમજવા માટે પ્રેમચંદને અને આઝાદી પછીની પરિસ્થિતિને સમજવા માટે હરિશંકર પરસાઈને વાંચવા જરૂરી છે.
સ્ટેજ નું કૅન્સર? ડરવાની નહીં, યોગ્ય સમયે નિષ્ણાત ડોક્ટરો પાસે સારવારની જરૂર છે...
HIPEC મશીન દ્વારા કીમોથેરેપી સોલ્યુસનથી સારવાર