આપણે ત્યાં જાતજાતના ને ભાતભાતના વિષયો પર કવિતા-ગીત-ગઝલો મળે છે, પણ ખાણી-પીણી પર કેમ નથી? અનિલ જોશીના અમર વર્ષાગીતની નાયિકા કહે છે કેઃ “પહેલા વરસાદનો છાંટો મુને વાગિયો હું પાટો બંધાવા હાલી રે…', પણ મસ્તમજાના વરસાદમાં ભજિયાંની લારીએ જતી નાયિકાની મનઃસ્થિતિ વિશે કેમ ગીત-કવિતા નથી?
ઝરમર વરસતા વરસાદમાં ગૅસ પાસે ઊભીને કડાઈમાંથી સ્વાદિષ્ટ ભજિયાંનો ઘાણવો કાઢતી ગૃહિણીના કમનીય કાંડાનું, એના કપાળ પર બાઝેલા પ્રસ્વેદના બિંદુનું વર્ણન કરતી રચના છે? હા, જ્યોતીન્દ્ર દવેએ બટાકા છોલતી પ્રિયાને કાવ્ય રચ્યું છે, તો અવિનાશ વ્યાસે અમે મુંબઈના રહેવાસી' ગીતમાં ભજિયાંનો ઉલ્લેખ કંઈ આ રીતે કર્યો છેઃ
રામા, આજે રવિવાર છે, નાટક જોવા જાશું, રાંધી નાખજે પૂરી-બટાટાં મોડાં આવી ખાશું
કાલનાં ભજિયાં તળજે વાસી, અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી.’
બ્લૅક ઍન્ડ વ્હાઈટ કાળની ફિલ્મ ‘કુંદન’નું ગીત છેઃ ‘આઓ હમારે હોટેલ મેં ઔર ચાય પીઓ જી ગરમ ગરમ બિફ્રૂટ ખાલો નરમ નરમ...' બિસ્કૂટ? ગરમ ગરમ ચાય સાથે વ્હાય નોટ ભજિયાં?
કાંદા, બટેટાં, ટમેટાં, કંદ ને વળી કુંભણિયા-ખળખળિયાં ને દાબડા... બ્રેડ પકોડાં હોય કે મીરચી વડાં... મૂળ કુળ ગમે તે હોય, અંતે તો ભજિયાં એટલે ભજિયાં. એની તોલે કંઈ ન આવે.
અને લીલી મકાઈનાં ભજિયાં, ભરેલાં મરચાંનાં ભજિયાં, મુંબઈનાં ભજિયાં-પાંઉ, કાંદાભજી, દિલ્હીનાં રામ લટ્ટુ, મિથિલા નગરીની આસપાસના વિસ્તારમાં મળતાં મિક્સ વેજિટેબલનાં બચકાં અથવા તારુઆ કે જયપુરનાં મીરચી વડાં, વગેરે વગેરે. ભજિયાંનું આપણી પાસે કલેક્શન છે એવું દુનિયામાં કોઈની પાસે નહીં હોય, બલકે જીભના જલસા આપણે ત્યાં છે એવા ક્યાંય નહીં હોય.
આ લખાય છે ત્યારે (આઠ જુલાઈએ) મુંબઈમાં મસ્તમજાનો વરસાદી માહોલ જામ્યો છે. મુંબઈગરાની તાસીર એવી છે કે ધોધમાર વરસતા વરસાદમાં બસ-ટ્રેન બંધ થઈ જશે તો ઘેર કેમ જઈશું એની ચિંતા કર્યા વગર એ ભજિયાં કે વડા–પાંઉની ફેમસ લારી પાસે ઊભો રહીને એક્સ્ટ્રા ચટણી કે એક્સ્ટ્રા મરચાં આપવાની આજીજી કરતો નજરે ચડશે.
ચોમાસામાં સૌથી પ્રિય ભજિયાં એટલે કાંદાનાં, તો ગુજરાતની બીજી સ્પેશિયાલિટી છે કારેલાંનાં ભજિયાં, કુંભણિયા તથા ખળખળિયાં.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નવ વર્ષ મેં કંઈ દીકરીનાં લગ્નની ઉંમર છે?
છોકરી શારીરિક અને માનસિક રીતે પરિપક્વ ન થાય ત્યાં સુધી કોઈ પણ સંબંધમાં ‘સલામત અંતર’ રાખવું હિતાવહ છે.
સામતા પર કેમ મેળવશો અંકુશ
તમને કે બીજાને નુકસાન પહોંચાડી શકે એવું વર્તન બદલવા આટલું કરો.
ચોમાસું છે ત્યાં સુધી મકાઈ ખાઈ લો..
આમ તો હવે લગભગ બારે મહિના કૉર્ન મળે છે, પરંતુ વરસાદમાં મસાલેદાર ડૂંડાંની મજા કંઈક વિશેષ છે.
પ્રકૃતિ વચાળે તાજગીનો શ્વાસ લેવા નીકળો છો ને?
મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતના ગ્રામ્યવિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ધરતીએ લીલીછમ ચાદર ઓઢી હોય એવું દૃશ્ય હરકોઈનું મન મોહી લે છે ત્યારે કૉન્ક્રીટનાં જંગલોથી દૂર જઈને પ્રકૃતિના ખોળે રમવા વધુ ને વધુ લોકો બહાર નીકળી રહ્યા છે.
જુવાન દીકરીને જોખમ સમયે મદદ કરે એવી કોઈ ઍપ ખરી?
ઘરનાં મહિલા સદસ્યોના ફોનમાં આમાંથી કોઈ એક ઍપ અને આ બન્ને હેલ્પલાઈન નંબર છે કે નહીં એ આજે જ ચેક કરજો...
હવે પડશે દ્વારકાનો વટ...
પ્રાચીન મંદિરોમાં યાત્રાળુઓને વધુ મોકળાશ, વધુ સુવિધા, વધુ આરામ મળી રહે એ હેતુથી કાશી, મહાકાલ અને અયોધ્યાના કોરિડોર બન્યા છે. એ જ ધોરણે ગુજરાત સરકારે દ્વારકા અને બેટ દ્વારકાની કાયાપલટ કરવાનું આયોજન કર્યું છે. આગામી સમયમાં દ્વારકાધીશની નગરી કદાચ આપણે ઓળખી ન શકીએ એવી બની જાય.
તીર્થરક્ષા માટે જંગ છેડ્યો એક સાધુ... અને એક સંસારી સ્ત્રીએ
પર્યટનસ્થળ તરીકે વિકસાવવાની સાથે આવતી કેટલીક અનીતિથી જૈનોના યાત્રાધામ સમ્મેત શિખરજીને બચાવવાને લગતો કેસ આખરે વીસ વર્ષે સુપ્રીમ કોર્ટમાં ખૂલ્યો છે ત્યારે જોઈએ, આ સંકટ નિવારવા અદાલતની બહાર શું ચાલી રહ્યું છે.
ભોજનનો બગાડ અટકાવી ભૂખ્યાને ભોજન આપીએ...
ઘરે કે હોટેલમાં, કોઈ પાર્ટીમાં કે લગ્નસમારંભમાં આપણે કેટલું અન્ન વેડફીએ છીએ એનો કોઈ અંદાજ જ આપણને નથી. કમોસમી વરસાદને કારણે ખેતરમાં પલળીને બગડી જતાં કે ગોદામોમાં સરખી સાચવણને અભાવે સડી જતાં અનાજના જથ્થાના પ્રમાણ વિશે પણ આપણે અજાણ છીએ. આપણે સુધરવાનું નામ ક્યારે લેશું?
હરિશંકર પરસાઈની વ્યંગની વાંસળી
ગુજરાતી વાચકોએ હિંદી ભાષાના આ અનન્ય સર્જકનો પરિચય કેળવવા જેવો છે. એમણે ભારતીય સમાજની અને રાજનીતિની એવી સૂક્ષ્મતાઓને ઉજાગર કરી હતી, જે ભાષાની સીમા તોડીને હરેક ભારતીયનાં દિલને સ્પર્શતી હતી. આઝાદી પહેલાંના ભારતને સમજવા માટે પ્રેમચંદને અને આઝાદી પછીની પરિસ્થિતિને સમજવા માટે હરિશંકર પરસાઈને વાંચવા જરૂરી છે.
સ્ટેજ નું કૅન્સર? ડરવાની નહીં, યોગ્ય સમયે નિષ્ણાત ડોક્ટરો પાસે સારવારની જરૂર છે...
HIPEC મશીન દ્વારા કીમોથેરેપી સોલ્યુસનથી સારવાર