૧૯૯૯નો મે મહિનો. જમ્મુ-કશ્મીર અને લડાખના ઉત્તુંગ પર્વતો પર સામાન્ય રીતે આ દિવસોમાં બરફ પીગળવાની શરૂઆત થાય. પહાડો શું, આમ તો ઘણોખરો વિસ્તાર બરફથી છવાયેલો હોય એટલે મોટા ભાગના રસ્તા પણ બંધ હોય. સામાન્ય જીવન જ જાણે થંભી ગયું હોય.
જમ્મુ-કશ્મીરમાં આતંકવાદ શરૂ થયો ત્યારથી પાકિસ્તાન સાથેની સરહદે અને નિયંત્રણરેખા (લાઈન ઑફ કન્ટ્રોલ-એલઓસી) પર તો ચોવીસ કલાક અને ત્રણસો ને પાંસઠ દિવસ લશ્કર કે જુદાં જુદાં અર્ધ-લશ્કરી દળોનો પહેરો સમજો કે ફરિજયાત છે, પણ લડાખમાં એવું નહીં. ત્યાંના પર્વતો કશ્મીરના પ્રમાણમાં વધુ ઊંચા અને ઠંડી પણ એટલી કે કોઈ રહી ન શકે. આ જ કારણે જમ્મુ-કશ્મીરના પુંચ, ઉરી, કુપવારા, વગેરે વિસ્તારોની સરહદી પહાડીઓ પર કડકડતા શિયાળામાં સુદ્ધાં ભારત અને પાકિસ્તાન બન્નેના સૈનિકો તહેનાત હોય, પરંતુ લડાખ એરિયામાં એવો વણલખ્યો નિયમ કે નવેમ્બરમાં બરફ પડવાનું ચાલુ થાય એટલે પર્વતની ટોચે બંકર બાંધીને રહેતા બન્ને દેશના સિપાહી પોતપોતાની તરફ નીચેની છાવણી કે બેઝ કૅમ્પમાં આવી જાય. છએક મહિના પછી એટલે કે એપ્રિલ-મે મહિનામાં બરફ પીગળે એટલે પાછા પર્વત ચડી પોતાની પોઝિશન લઈ લે.
એ પહેલાં આરઓપી એટલે કે રોડ ઓપનિંગ પાર્ટી તરીકે ઓળખાતી લશ્કરની ટુકડીના જવાનો રસ્તા અને પર્વત તરફ જતી કેડીઓ પરનો બરફ દૂર કરે, ઑલ ઈઝ વેલ અર્થાત્ સબ સલામત હોવાનો સંકેત આપે એ પછી બીજા સૈનિકો છ મહિનાની સામગ્રી લઈને પર્વતો ચડવાનું શરૂ કરે.
કારગિલ યુદ્ધ ક્યાંથી ક્યાં સુધી? શ્રીનાથી લેહ તરના રસ્તે ઝોઝિ લા (ઘાટ) વટાવી આાળ વધીએ ત્યાં આવે મુશ્કોહ વૅલી. ત્યાંથી છેક બટાલિક અને ટુટુંક સુધી પાક સેનાએ ઘૂસણખોરી કરી એ દર્શાવતું ‘ચિત્રલેખાનું જૂન, ૧૯૯૯નું ગ્રાફિક.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
નવ વર્ષ મેં કંઈ દીકરીનાં લગ્નની ઉંમર છે?
છોકરી શારીરિક અને માનસિક રીતે પરિપક્વ ન થાય ત્યાં સુધી કોઈ પણ સંબંધમાં ‘સલામત અંતર’ રાખવું હિતાવહ છે.
સામતા પર કેમ મેળવશો અંકુશ
તમને કે બીજાને નુકસાન પહોંચાડી શકે એવું વર્તન બદલવા આટલું કરો.
ચોમાસું છે ત્યાં સુધી મકાઈ ખાઈ લો..
આમ તો હવે લગભગ બારે મહિના કૉર્ન મળે છે, પરંતુ વરસાદમાં મસાલેદાર ડૂંડાંની મજા કંઈક વિશેષ છે.
પ્રકૃતિ વચાળે તાજગીનો શ્વાસ લેવા નીકળો છો ને?
મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતના ગ્રામ્યવિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ધરતીએ લીલીછમ ચાદર ઓઢી હોય એવું દૃશ્ય હરકોઈનું મન મોહી લે છે ત્યારે કૉન્ક્રીટનાં જંગલોથી દૂર જઈને પ્રકૃતિના ખોળે રમવા વધુ ને વધુ લોકો બહાર નીકળી રહ્યા છે.
જુવાન દીકરીને જોખમ સમયે મદદ કરે એવી કોઈ ઍપ ખરી?
ઘરનાં મહિલા સદસ્યોના ફોનમાં આમાંથી કોઈ એક ઍપ અને આ બન્ને હેલ્પલાઈન નંબર છે કે નહીં એ આજે જ ચેક કરજો...
હવે પડશે દ્વારકાનો વટ...
પ્રાચીન મંદિરોમાં યાત્રાળુઓને વધુ મોકળાશ, વધુ સુવિધા, વધુ આરામ મળી રહે એ હેતુથી કાશી, મહાકાલ અને અયોધ્યાના કોરિડોર બન્યા છે. એ જ ધોરણે ગુજરાત સરકારે દ્વારકા અને બેટ દ્વારકાની કાયાપલટ કરવાનું આયોજન કર્યું છે. આગામી સમયમાં દ્વારકાધીશની નગરી કદાચ આપણે ઓળખી ન શકીએ એવી બની જાય.
તીર્થરક્ષા માટે જંગ છેડ્યો એક સાધુ... અને એક સંસારી સ્ત્રીએ
પર્યટનસ્થળ તરીકે વિકસાવવાની સાથે આવતી કેટલીક અનીતિથી જૈનોના યાત્રાધામ સમ્મેત શિખરજીને બચાવવાને લગતો કેસ આખરે વીસ વર્ષે સુપ્રીમ કોર્ટમાં ખૂલ્યો છે ત્યારે જોઈએ, આ સંકટ નિવારવા અદાલતની બહાર શું ચાલી રહ્યું છે.
ભોજનનો બગાડ અટકાવી ભૂખ્યાને ભોજન આપીએ...
ઘરે કે હોટેલમાં, કોઈ પાર્ટીમાં કે લગ્નસમારંભમાં આપણે કેટલું અન્ન વેડફીએ છીએ એનો કોઈ અંદાજ જ આપણને નથી. કમોસમી વરસાદને કારણે ખેતરમાં પલળીને બગડી જતાં કે ગોદામોમાં સરખી સાચવણને અભાવે સડી જતાં અનાજના જથ્થાના પ્રમાણ વિશે પણ આપણે અજાણ છીએ. આપણે સુધરવાનું નામ ક્યારે લેશું?
હરિશંકર પરસાઈની વ્યંગની વાંસળી
ગુજરાતી વાચકોએ હિંદી ભાષાના આ અનન્ય સર્જકનો પરિચય કેળવવા જેવો છે. એમણે ભારતીય સમાજની અને રાજનીતિની એવી સૂક્ષ્મતાઓને ઉજાગર કરી હતી, જે ભાષાની સીમા તોડીને હરેક ભારતીયનાં દિલને સ્પર્શતી હતી. આઝાદી પહેલાંના ભારતને સમજવા માટે પ્રેમચંદને અને આઝાદી પછીની પરિસ્થિતિને સમજવા માટે હરિશંકર પરસાઈને વાંચવા જરૂરી છે.
સ્ટેજ નું કૅન્સર? ડરવાની નહીં, યોગ્ય સમયે નિષ્ણાત ડોક્ટરો પાસે સારવારની જરૂર છે...
HIPEC મશીન દ્વારા કીમોથેરેપી સોલ્યુસનથી સારવાર