ભવ્ય સંયમ નગરીમાં દિવ્ય મહાશ્રમણ મહોત્સવ

૨૬૪ વર્ષ પૂર્વેની આ વાત છે. રાજસ્થાનના જોધપુરમાં એ સમયે ૧૩ જૈન સાધુ અને ૧૩ શ્રાવકો પ્રભુભક્તિમાં ડૂબેલા રહેતા. ભગવાન મહાવીરની વાણીનો મૃદુ પ્રચાર કરતા આ સાધુ-શ્રાવકોના ૧૩-૧૩ના સમૂહને જોઈને સેવક જાતિના એક કવિએ એને નામ આપી દીધું: તેરાપંથ પછી તો બધા એને તેરાપંથી તરીકે જ ઓળખવા લાગ્યા. વાત ભિક્ષુ સ્વામી સુધી પહોંચી. તો એમણે ઈશ્વરને ધ્યાનમાં રાખીને કહ્યુંઃ હે પ્રભો, યે તેરા પંથ હૈ... બસ, એ રીતે તેરાપંથનો જન્મ થયો. એના આદ્ય સ્થાપક ભિક્ષુ સ્વામી. તેરાપંથ જૈન ધર્મની એક વિશિષ્ટ શાખા છે, જેના વર્તમાન સુકાની છે, આચાર્યશ્રી મહાશ્રમણ.
હાલ જૈન સમુદાયમાં ચાતુર્માસ ચાલી રહ્યા છે. આરાધનાના આ દિવસોમાં સાધુ-સાધ્વીજી એક જગ્યાએ સ્થિરતા ધારણ કરીને લોકોને જિનવાણી સંભળાવે છે. સુરતમાં શ્વેતાંબર તેરાપંથ ધર્મ સંઘના ૧૧મા આચાર્ય શ્રી મહાશ્રમણજીના ચાતુર્માસ ચાલી રહ્યા છે. આખા સુરતમાં આ ભવ્ય ચાતુર્માસની ચર્ચા છે અને હજારો ધર્મપ્રેમીઓ દરરોજ પ્રવચનગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે.
‘સંયમ વિહાર’માં જિનવાણીના શ્રવણ માટે વિશાળ મંડપ છે, તો બુદ્ધિ કૌશલ્ય અને સંસ્કાર વિકાસ માટે ગેમ ઝોન અને મ્યુઝિયમ પણ છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

ખેલે મસાને મેં હોરી દિગંબર, ખેલે મસાને મેં હોરી...
દુનિયાની સૌથી પ્રાચીન કાશી નગરીના મણિકર્ણિકા ઘાટ પર ખેલાતી પ્રસિદ્ધ મસાણ હોળીમાં આ વર્ષે શું બન્યું? ભડભડતી ચિતાની વચ્ચે દેવાધિદેવ મહાદેવના ભક્તો રાખથી હોળી રમે છે એની પાછળનાં કારણ બડાં રસપ્રદ છે.

ટાવર વગરની આ તે વળી કેવી ઈન્ટરનેટ સેવા?
વર્તમાન ટ્રમ્પ પ્રશાસનના સૌથી વાચાળ અને છેલછોગાળા સભ્ય એવા અમેરિકી ઉદ્યોગપતિ એલોન મસ્ક હવે ભારતમાં પણ ઉપગ્રહ આધારિત અતિ ઝડપી નેટ સર્વિસ શરૂ કરવા ધારે છે. અનેક ઠેકાણે નેટ કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા આપણા દેશમાં આવી સર્વિસ માટે મોટી ડિમાન્ડ ઊભી થઈ શકે, પણ એ સામે આપણે મસમોટી રકમ આપવાની તૈયારી પણ રાખવી પડે.

ભારતીય અર્થતંત્ર સામેના પડકારોને તકમાં ફેરવીએ તો...
સાચું કહેજો, ભારતીય અર્થતંત્રના વિકાસ વિશે તમે શું માનો છો? માત્ર શૅરબજારની ચાલ અને હાલને જોઈને જવાબ નહીં આપતા. શૅરબજાર ભલે ઈકોનોમીનું બેરોમીટર ગણાતું, પરંતુ ખરેખર સ્ટૉક માર્કેટ તો માત્ર સંકેત છે, એને પૂર્ણ આધાર માની શકાય નહીં. આટલી પાયાની સમજ સાથે આપણે દેશના અર્થતંત્ર વિશે વૈશ્વિક સંસ્થા-ગ્લોબલ ઈન્વેસ્ટર્સ શું માને છે એના પર નજર કરીએ.

પોતાની જાતના ભોગે તમારે મહાન બનવું છે?
સુપર વુમન બનવાના ધખારામાં તમારી સુખાકારીને કોરાણે ન મૂકી દો.

સ્ત્રીને માણસ તરીકેની માન્યતા ક્યારે મળશે?
જડસુ તાલિબાની શાસકોની તો વાત જ જવા દો, પણ બીજે પણ મહિલાઓના હાલ બહુ સારા તો નથી જ.

સોયાબીનઃ સમજીને ખાવ તો બહુ ગુણકારી, પણ...
નાની ઉંમરે થાક અને રોજિંદાં કામમાં અરુચિ થવાનાં કારણ શું હોઈ શકે?

દિલ કે ઝરોખોં સે ખુશી બાંટ હૂં...
દરદીઓને અમૃતપાન કરાવે છે આ દંપતી

તુજ સંગ પ્રીત લગાઈ સોના...
માનુનીઓના મોહના માધ્યમ એવાં સુવર્ણનાં આભૂષણો ભારતમાં હજારો વર્ષથી પહેરાય છે. અરે, ૧૦-૧૧મી સદીથી લગભગ આઝાદી સુધી ભારતનું ઘણુંખરું સોનું વિદેશીઓ લૂંટી ગયા, છતાં ભારતીયો પાસે અત્યારે ૨૫,000થી ૨૭,000 ટન સોનું ઘરમાં પડ્યું છે. આજે સોનું એક ગ્રામદીઠ રૂપિયા ૯૦૦૦ની આસપાસ વેચાય છે ત્યારે પ્રશ્ન થાય છે કે સદીઓ જૂનો આપણો સુવર્ણપ્રેમ હજી કેટલો સમય ટકી રહેશે?

નદી ને દરિયાની રેતી કેટલી ઉલેચશો?
માનવવસતિ વધે છે એમ ઘર સહિતનાં બાંધકામોનું પ્રમાણ પણ ઊંચું ને ઊંચું જઈ રહ્યું છે. એને પરિણામે રેતીની ડિમાન્ડ સતત વધી રહી છે અને એનું ખનન પણ ભયજનક પ્રમાણમાં થવા લાગ્યું છે.

આજ એમના મંદિરિયામાં મહાલે શ્રીનાથજી
વૈષ્ણવજન તે આનું નામ: ગરીબ શ્રીજીભક્તોને નાથદ્વારાની જાત્રા કરાવવાનો સેવાયજ્ઞ જિજ્ઞેશ કાણકિયા, કનુભાઈ મહેતા અને નીલેશ સંઘવીએ છેલ્લાં ૧૧ વર્ષથી પ્રજ્વલિત રાખ્યો છે.