
દેશ-દુનિયામાં ફિલ્મ એવૉર્ડ્સની સીઝન શરૂ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર યોજાતો એકેડેમી (ઓસ્કાર) એવૉર્ડ્સ એનાયત સમારંભ બે માર્ચે યોજાઈ ગયો, તો ગયા અઠવાડિયે (૮-૯ માર્ચે) આઈફા એવૉર્ડ્સ એનાયત સમારંભ જયપુરમાં યોજાઈ ગયા. હવે કતારબંધ ફિલ્મ એવૉર્ડ્સ યોજાવા માંડશે. આમાં કલાકાર-કસબીઓને પોંખવાના પવિત્ર ઉપક્રમના બદલે એ ગીત-સંગીત-નૃત્યની મહેફિલ વધારે લાગે છે. અમુક કલાકારો પૈસા લઈને નાચે ને ઘરભેગા થઈ જાય તો અમુકને એવૉર્ડની લાલચ આપવામાં આવેઃ અમારા સમારંભમાં આવો, નાચો... સામે અમે તમને એવૉર્ડથી સમ્માનિત કરીશું. તો અક્ષય કુમાર જેવો કલાકાર ચોખ્ખા શબ્દમાં કહે છે: ‘એવૉર્ડ આપવો હોય તો આપો, પણ મારા પરફોર્મન્સ માટે મને પૈસા તો ચૂકવવા જ પડશે!’
એક સમયે આપણે ત્યાં ગણ્યાગાંઠ્યા ફિલ્મ એવૉર્ડ્સ જ હતા. બહુધા જાણીતાં ફિલ્મ સામયિકો એ આપતાં. આજેય આપે છે, પણ સેટેલાઈટ ટેલિવિઝનની ભરમાર, સ્પૉન્સરશિપ, લોકોની મનોરંજનની ભૂખ, ટિકિટોની કમાણી, વગેરેથી અંજાઈને આજે નાની-મોટી અનેક સંસ્થા પણ ફિલ્મ એવૉર્ડ્સ આપતી થઈ છે. અરે, દાદાસાહેબ ફાળકેના નામે જ જાતજાતના એવૉર્ડ સમારંભો યોજાય છે.
ઉલ્લખેનીય છે કે ભારતીય સિનેમાજગતના ભીષ્મ પિતામહ દાદાસાહેબ ફાળકેની સ્મૃતિમાં ૧૯૬૯થી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતો એવૉર્ડ સિનેઉદ્યોગનું સર્વોચ્ચ સમ્માન ગણાય છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાતા નૅશનલ ફિલ્મ એવૉર્ડ્સના સમારંભમાં દાદાસાહેબ ફાળકે એવૉર્ડ આપવામાં આવે છે.
વિચિત્ર વાત એ છે કે છેલ્લા થોડા સમયથી અમુક આયોજકો પોતાની સંસ્થા સાથે દાદાસાહેબ ફાળકેનું નામ જોડી ફિલ્મ એવૉર્ડ્સ આપે છે, કલાકાર-કસબી એ લેવા પણ જાય છે, સ્પૉન્સર મળે છે, કાર્યક્રમની ટિકિટો વેચાય છે, આયોજકો ચિક્કાર કમાય છે. કહેવાય છે કે અમુક કલાકારો પાસેથી એવૉર્ડ માટે તગડી રકમ પણ લેવામાં આવે છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

સ્ટારબાલુડાની ઓટીટીથી એન્ટ્રીઃ ચતુરાઈ કે નાદાનિયાં?
જુનૈદ ખાન, સુહાના ખાન, ખુશી કપૂર, ઈબ્રાહિમ અલી ખાન થિયેટરમાં મેળ નહીં પડે, હવે તો ઓટીટી એ જ કલ્યાણ.

તમને આ સારા સમાચારની ખબર 5ઈ રીતે પડી શકે?
હોર્મોનલ ફેરફારથી માંડી અમુક ચીજો ખાવાની તલપ સુધી ગર્ભાધાનના આ છે સંકેત.

વડીલો પ્રત્યે આટલી અસંવેદનશીલતા કેમ?
વૃદ્ધ માતા-પિતાનાં માન-મર્યાદા ચૂકી જવાના કિસ્સા બહુ વધી રહ્યા છે ત્યારે...

ઝેલેન્સ્કી, તુમ યહ ડીલ સાઈન કરતે હો યા નહી?
એક હજાર દિવસથી વધુ લાંબા ખેંચાયેલા રશિયા-યુક્રેન યુદ્ધનું મૂળ પુતિનના અહં કરતાં પણ વધારે યુક્રેનની ધરતીમાં ધરબાયેલાં અણમોલ ખનિજના ખજાનાને હાથ કરવામાં છે. હવે ટ્રમ્પની આગેવાની હેઠળના અમેરિકાને પણ યુક્રેનનો ખનિજભંડાર અંકે કરી લેવો છે. અહીં સવાલ એ છે કે રશિયાનો ફટકો સહન કરી રહેલું યુક્રેન અમેરિકાની દાદાગીરી સામે કેટલી ઝીંક ઝીલશે.

જરદોશીથી ઝળકે છે, સુરતની સૂરત
દેશનું ૯૮ ટકા જરદોશીવર્ક માત્ર સુરતમાં થાય છે. આ કળાની ચમક અગાઉ રાજાઓને આકર્ષતી તો હવે આમ પ્રજાને પણ આકર્ષે છે. સૈકાઓ જૂની આ કળાના વધુ કારીગરો તૈયાર કરવા સુરતમાં હમણાં અનેક પ્રશિક્ષણ શિબિર યોજાઈ રહી છે ત્યારે આ અજાયબ આર્ટ વિશે થોડું જાણીએ.

અશક્ત શરીર, પણ સશક્ત મનથી અસહ્ય બીમારીને આાપી માત
એનો જન્મ જાહોજલાલીમાં થયો. લગ્ન પણ સાધન-સંપન્ન પરિવારમાં થયાં. સુખ-વૈભવથી છલોછલ આ મહિલાને કોઈ વાતની કમી નહોતી, પરંતુ અચાનક એક જટિલ બીમારીએ એના શરીર પર કબજો કર્યો. શરૂઆતની હતાશા ખંખેરી એણે કોઈ વિચારી પણ ન શકે એવા ફિટનેસ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. માંદગી, નાણાકીય સંકટ અને કુટુંબની જવાબદારી વચ્ચે અમદાવાદની આ ગૃહિણીએ અસાધારણ હિંમત અને મક્કમતા દાખવી. પોતાની સાહસિકતા સાબિત કરવા સાથે જ જીવનમાં હાર માની ચૂકેલી અનેક મહિલાઓને એ મક્કમ મનોબળથી કોઈ પણ મુશ્કેલી પર જીત મેળવતાં શીખવે છે.

નાના-મોટા સહુને ભાવે ડ્રાયફ્રૂટ મઠો
ઠંડા ઠંડા કૂલ ફૂલઃ આ ડેઝર્ટ છે તો બહુ લહેજતદાર

શૅરબજારને વિદેશી રોકાણ પણ જોઈએ જ છે...
આમ તો નિયમન સંસ્થાએ શૅરબજારની મંદીની-કડાકાની ચિંતા કરવાની ન હોય અને તેજીનાં ગાણાં પણ ગાવાનાં ન હોય, જો કે હમણાં ભારતીય શૅરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા જે આક્રમક વેચાણ થતું રહ્યું અને જેને પગલે ભારે કરેક્શનનો દૌર ચાલ્યો એને ધ્યાનમાં રાખીને તાજેતરમાં ‘સેબી’ના નવા અધ્યક્ષ તુહિન પાંડેએ માર્કેટ, ઈકોનોમી અને રોકાણકારોના વિષયમાં કરેલાં નિવેદનોના સંકેત અને સાર સમજવા જોઈએ.

એ અવશેષો ખરેખર સોમનાથના છે?
એક હજાર વર્ષ પહેલાં મોહમ્મદ ગઝનીના આક્રમણ વખતે સોમનાથના લિંગના ભગ્નાવેષો લઈને તામિલનાડુ પહોંચેલા બ્રાહ્મણપરિવારના વંશજોએ આરસના બે ગોળાકાર ટુકડા શ્રી શ્રી રવિશંકરજીને સોંપ્યા. હવે એ અવશેષોની યાત્રા કાઢવાની તૈયારી થઈ રહી છે ત્યારે જાણીએ, ઈતિહાસ શું કહે છે.