
વ્યવસાયે એ અંગ્રેજી વિષયનાં અધ્યાપિકા. જો કે એમની ઓળખ cal બીજી પણ અનેક રીતે આપી શકાય. મહિલા, અંધ-અપંગ બાળકો અને વિદ્યાર્થીઓને ઉપયોગી બનવાના હેતુસર એ ગુજરાતની જુદી જુદી ૩૦ સામાજિક સંસ્થા સાથે જોડાઈને છેલ્લાં ૨૪ વર્ષથી નિઃશુલ્ક સેવાકાર્ય કરે છે. યોગ, રેકી, આયુર્વેદ, ઍક્યુપ્રેશર જ્ઞાનને કારણે જરૂરતમંદ લોકોની મદદ કરી એમને સ્વમાનભેર જીવવાની પ્રેરણા આપે છે. એ છે મૂળ સાવરકુંડલાનાં અને અત્યારે આણંદમાં રહેતાં ડૉ. કાજલ નિર્મલા ભરત રાવ.
પિતા ભરતભાઈ રાવ અને માતા નિર્મલાબહેન રાવનાં બે સંતાનમાં કાજલ મોટી. પિતા સાવરકુંડલા કૉલેજના અધ્યાપક હતા તો માતા એક શાળાનાં આચાર્યા. ભણવા સાથે ભણાવવાની બારાખડી પણ કાજલે બાળપણથી જ શીખી લીધી હતી. કાજલ નાની હતી ત્યારે જીદ કરી પિતાની સાથે ક્યારેક એમની કૉલેજમાં પણ જતી. ત્યાં અનેક વિદ્યાર્થી ભરતભાઈ પાસે આવતા. કોઈને એ મફતમાં પુસ્તક આપતા તો કોઈની ફી ભરી દેતા. ક્યારેક કોઈ દીકરીના અભ્યાસનો સઘળો ખર્ચ પોતે ઉપાડી લે. માતા પણ આચાર્યા એટલે શાળાની નાની-મોટી દરેક પ્રવૃત્તિમાં કાજલ એમની સાથે જાય. ત્યાં પણ આવાં જ દશ્ય જોવા મળે. આમ બાળપણથી જ કાજલના માનસપટ પર લોકસેવાની ટિંબ કંડારાઈ ગઈ. પિતાને એ કાયમ કહેતી કે હું મોટી થઈને તમારા જેમ જ બધાની સેવા કરીશ. સામેથી જવાબ મળતો કે પૈસા માટે કરેલું કામ એ સેવા નથી. સાચી સેવા તો એ છે જેમાં કોઈના દિલમાંથી દુવા મળે... આ વાત કાજલે શબ્દસહ જીવનમાં ઉતારી.
તબીબી સહાય હોય કે યોગની તાલીમ, શિક્ષણલક્ષી કાર્યો હોય કે સરકારી યોજનાના લાભ છેવાડાના લોકોને મળે એ માટે માર્ગદર્શન, ડૉ. કાજલ રાવ એવા અનેક પ્રકલ્પો સાથે સક્રિયપણે સંકળાયેલાં છે.
કાજલબહેને અંગ્રેજી વિષય સાથે એમએ (માસ્ટર ઑફ આર્ટ્સ) કર્યા પછી એમએડ (માસ્ટર ઑફ એજ્યુકેશન), એમફિલ (માસ્ટર ઑફ ફિલોસોફી) અને પીએચ.ડી. (ડૉક્ટર ઑફ ફિલોસોફી) કર્યું. અત્યારે આણંદ કૉમર્સ કૉલેજમાં અંગ્રેજી વિષયનાં અધ્યાપિકા તરીકે એ ફરજ નિભાવે છે. આ સાથે જ યોગ, ઍક્યુપ્રેશરના અભ્યાસ ઉપરાંત રેકીમાં થ્રી-એ સુધીની ડિગ્રી મેળવી છે.
この記事は Chitralekha Gujarati の August 05, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の August 05, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

આ... અબ તો લૌટ ચલેં!
ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

નો માર્કેટિંગ
… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

મજા હારમાં છે, ગજબ ગેમ છે...
જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

જસ્ટ, એક મિનિટ..
વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.