
વ્યવસાયે એ અંગ્રેજી વિષયનાં અધ્યાપિકા. જો કે એમની ઓળખ cal બીજી પણ અનેક રીતે આપી શકાય. મહિલા, અંધ-અપંગ બાળકો અને વિદ્યાર્થીઓને ઉપયોગી બનવાના હેતુસર એ ગુજરાતની જુદી જુદી ૩૦ સામાજિક સંસ્થા સાથે જોડાઈને છેલ્લાં ૨૪ વર્ષથી નિઃશુલ્ક સેવાકાર્ય કરે છે. યોગ, રેકી, આયુર્વેદ, ઍક્યુપ્રેશર જ્ઞાનને કારણે જરૂરતમંદ લોકોની મદદ કરી એમને સ્વમાનભેર જીવવાની પ્રેરણા આપે છે. એ છે મૂળ સાવરકુંડલાનાં અને અત્યારે આણંદમાં રહેતાં ડૉ. કાજલ નિર્મલા ભરત રાવ.
પિતા ભરતભાઈ રાવ અને માતા નિર્મલાબહેન રાવનાં બે સંતાનમાં કાજલ મોટી. પિતા સાવરકુંડલા કૉલેજના અધ્યાપક હતા તો માતા એક શાળાનાં આચાર્યા. ભણવા સાથે ભણાવવાની બારાખડી પણ કાજલે બાળપણથી જ શીખી લીધી હતી. કાજલ નાની હતી ત્યારે જીદ કરી પિતાની સાથે ક્યારેક એમની કૉલેજમાં પણ જતી. ત્યાં અનેક વિદ્યાર્થી ભરતભાઈ પાસે આવતા. કોઈને એ મફતમાં પુસ્તક આપતા તો કોઈની ફી ભરી દેતા. ક્યારેક કોઈ દીકરીના અભ્યાસનો સઘળો ખર્ચ પોતે ઉપાડી લે. માતા પણ આચાર્યા એટલે શાળાની નાની-મોટી દરેક પ્રવૃત્તિમાં કાજલ એમની સાથે જાય. ત્યાં પણ આવાં જ દશ્ય જોવા મળે. આમ બાળપણથી જ કાજલના માનસપટ પર લોકસેવાની ટિંબ કંડારાઈ ગઈ. પિતાને એ કાયમ કહેતી કે હું મોટી થઈને તમારા જેમ જ બધાની સેવા કરીશ. સામેથી જવાબ મળતો કે પૈસા માટે કરેલું કામ એ સેવા નથી. સાચી સેવા તો એ છે જેમાં કોઈના દિલમાંથી દુવા મળે... આ વાત કાજલે શબ્દસહ જીવનમાં ઉતારી.
તબીબી સહાય હોય કે યોગની તાલીમ, શિક્ષણલક્ષી કાર્યો હોય કે સરકારી યોજનાના લાભ છેવાડાના લોકોને મળે એ માટે માર્ગદર્શન, ડૉ. કાજલ રાવ એવા અનેક પ્રકલ્પો સાથે સક્રિયપણે સંકળાયેલાં છે.
કાજલબહેને અંગ્રેજી વિષય સાથે એમએ (માસ્ટર ઑફ આર્ટ્સ) કર્યા પછી એમએડ (માસ્ટર ઑફ એજ્યુકેશન), એમફિલ (માસ્ટર ઑફ ફિલોસોફી) અને પીએચ.ડી. (ડૉક્ટર ઑફ ફિલોસોફી) કર્યું. અત્યારે આણંદ કૉમર્સ કૉલેજમાં અંગ્રેજી વિષયનાં અધ્યાપિકા તરીકે એ ફરજ નિભાવે છે. આ સાથે જ યોગ, ઍક્યુપ્રેશરના અભ્યાસ ઉપરાંત રેકીમાં થ્રી-એ સુધીની ડિગ્રી મેળવી છે.
この記事は Chitralekha Gujarati の August 05, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の August 05, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン

સ્ટારબાલુડાની ઓટીટીથી એન્ટ્રીઃ ચતુરાઈ કે નાદાનિયાં?
જુનૈદ ખાન, સુહાના ખાન, ખુશી કપૂર, ઈબ્રાહિમ અલી ખાન થિયેટરમાં મેળ નહીં પડે, હવે તો ઓટીટી એ જ કલ્યાણ.

એવૉર્ડ્સ... આપણા ને એમના
ભારત હોય કે અમેરિકા, ફિલ્મ એવૉર્ડ્સની સીઝન શરૂ થઈ ગઈ છે. અમેરિકા પાસે આઠ-નવ દાયકાથી એનાયત થતા ઓસ્કાર અને ગોલ્ડન ગ્લોબ્સ જેવાં સમ્માન છે તો આપણે ત્યાં નૅશનલ અને દાદાસાહેબ ફાળકેથી લઈને ડઝનબંધ ખાનગી સંસ્થાના ફિલ્મ એવૉર્ડ્સ છે. આજકાલ બધા જ બધાને એવૉર્ડ આપે છે. આમ તો કોઈ પણ એવૉર્ડ્સ વિવાદાસ્પદ હોય જ, પણ ઓસ્કારમાં વર્ષોથી કલાકાર-કસબીઓ દ્વારા ટ્રૉફી સ્વીકારીને (કે ન સ્વીકારીને) જાતજાતના પોલિટિકલ સ્ટેટમેન્ટ કરવાની એક પરંપરા રહી છે. આમાં અમેરિકાના પ્રમુખ પણ બાકાત હોતા નથી. જો કે હવે સમય બદલાઈ રહ્યો હોય એવું લાગે છે.

તમને આ સારા સમાચારની ખબર 5ઈ રીતે પડી શકે?
હોર્મોનલ ફેરફારથી માંડી અમુક ચીજો ખાવાની તલપ સુધી ગર્ભાધાનના આ છે સંકેત.

વડીલો પ્રત્યે આટલી અસંવેદનશીલતા કેમ?
વૃદ્ધ માતા-પિતાનાં માન-મર્યાદા ચૂકી જવાના કિસ્સા બહુ વધી રહ્યા છે ત્યારે...

ઝેલેન્સ્કી, તુમ યહ ડીલ સાઈન કરતે હો યા નહી?
એક હજાર દિવસથી વધુ લાંબા ખેંચાયેલા રશિયા-યુક્રેન યુદ્ધનું મૂળ પુતિનના અહં કરતાં પણ વધારે યુક્રેનની ધરતીમાં ધરબાયેલાં અણમોલ ખનિજના ખજાનાને હાથ કરવામાં છે. હવે ટ્રમ્પની આગેવાની હેઠળના અમેરિકાને પણ યુક્રેનનો ખનિજભંડાર અંકે કરી લેવો છે. અહીં સવાલ એ છે કે રશિયાનો ફટકો સહન કરી રહેલું યુક્રેન અમેરિકાની દાદાગીરી સામે કેટલી ઝીંક ઝીલશે.

જરદોશીથી ઝળકે છે, સુરતની સૂરત
દેશનું ૯૮ ટકા જરદોશીવર્ક માત્ર સુરતમાં થાય છે. આ કળાની ચમક અગાઉ રાજાઓને આકર્ષતી તો હવે આમ પ્રજાને પણ આકર્ષે છે. સૈકાઓ જૂની આ કળાના વધુ કારીગરો તૈયાર કરવા સુરતમાં હમણાં અનેક પ્રશિક્ષણ શિબિર યોજાઈ રહી છે ત્યારે આ અજાયબ આર્ટ વિશે થોડું જાણીએ.

અશક્ત શરીર, પણ સશક્ત મનથી અસહ્ય બીમારીને આાપી માત
એનો જન્મ જાહોજલાલીમાં થયો. લગ્ન પણ સાધન-સંપન્ન પરિવારમાં થયાં. સુખ-વૈભવથી છલોછલ આ મહિલાને કોઈ વાતની કમી નહોતી, પરંતુ અચાનક એક જટિલ બીમારીએ એના શરીર પર કબજો કર્યો. શરૂઆતની હતાશા ખંખેરી એણે કોઈ વિચારી પણ ન શકે એવા ફિટનેસ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. માંદગી, નાણાકીય સંકટ અને કુટુંબની જવાબદારી વચ્ચે અમદાવાદની આ ગૃહિણીએ અસાધારણ હિંમત અને મક્કમતા દાખવી. પોતાની સાહસિકતા સાબિત કરવા સાથે જ જીવનમાં હાર માની ચૂકેલી અનેક મહિલાઓને એ મક્કમ મનોબળથી કોઈ પણ મુશ્કેલી પર જીત મેળવતાં શીખવે છે.

નાના-મોટા સહુને ભાવે ડ્રાયફ્રૂટ મઠો
ઠંડા ઠંડા કૂલ ફૂલઃ આ ડેઝર્ટ છે તો બહુ લહેજતદાર

શૅરબજારને વિદેશી રોકાણ પણ જોઈએ જ છે...
આમ તો નિયમન સંસ્થાએ શૅરબજારની મંદીની-કડાકાની ચિંતા કરવાની ન હોય અને તેજીનાં ગાણાં પણ ગાવાનાં ન હોય, જો કે હમણાં ભારતીય શૅરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા જે આક્રમક વેચાણ થતું રહ્યું અને જેને પગલે ભારે કરેક્શનનો દૌર ચાલ્યો એને ધ્યાનમાં રાખીને તાજેતરમાં ‘સેબી’ના નવા અધ્યક્ષ તુહિન પાંડેએ માર્કેટ, ઈકોનોમી અને રોકાણકારોના વિષયમાં કરેલાં નિવેદનોના સંકેત અને સાર સમજવા જોઈએ.

એ અવશેષો ખરેખર સોમનાથના છે?
એક હજાર વર્ષ પહેલાં મોહમ્મદ ગઝનીના આક્રમણ વખતે સોમનાથના લિંગના ભગ્નાવેષો લઈને તામિલનાડુ પહોંચેલા બ્રાહ્મણપરિવારના વંશજોએ આરસના બે ગોળાકાર ટુકડા શ્રી શ્રી રવિશંકરજીને સોંપ્યા. હવે એ અવશેષોની યાત્રા કાઢવાની તૈયારી થઈ રહી છે ત્યારે જાણીએ, ઈતિહાસ શું કહે છે.