વાત બરાબર એક સદી પૂર્વેની છે. કલ્પના છે, ગુજરાતની પ્રજાને વિશ્વની ગતિવિધિ અને સંસ્કારઘડતરની સામગ્રી આપતું સામયિક પ્રગટ કરવાની. એ સામયિક એટલે કુમાર. એક સદી પૂર્વે ગુજરાતી ભાષામાં વિશ્વનાં સ્પંદનોને ઝીલીને પ્રગટ થયેલું કુમાર સામયિક એકસો વર્ષ પૂર્ણ કરે એ ઘટના ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસનું મહત્ત્વનું સોપાન છે. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિનાં ઘડતરમાં એણે મહત્ત્વનું યોગદાન આપ્યું અને એથીય વિશેષ તો ગુજરાતને જ્ઞાન અને માહિતીની દૃષ્ટિએ સમૃદ્ધ કરવાની એક સુદીર્ઘ પરંપરા એણે આજ સુધી જાળવી રાખી છે. કુમારના પ્રથમ અંકમાં બચુભાઈ રાવતે નિવેદન આપતાં લખ્યું હતું કે આવતી પેઢીને ખમીરવંતી બનાવવાનો આ સામયિકનો આશય છે.
એનો પ્રારંભ કર્યો ગુજરાતના કળાગુરુ રવિશંકર મહાશંકર રાવળે. એ સમયે ભેખધારી પત્રકાર હાજી મહમ્મદ અલારખિયાનું વીસમી સદી સામયિક એની લેખસામગ્રી અને સચિત્રતા માટે વિશેષ જાણીતું હતું, પરંતુ હાજી મહમ્મદ અલારખિયાના અવસાન પછી વીસમી સદી બંધ પડ્યું. એ સમયે એમની સાથે નિકટતાથી સંકળાયેલા કળાગુરુ રવિશંકર રાવળના મનમાં એક સચિત્ર સામયિક શરૂ કરવાનો વિચાર જાગ્યો. એમણે વિચાર્યું કે ‘આપણે પ્રજાજીવન ખીલવવું હોય તો શાળા અને ઘરની વચ્ચે સંબંધ સાધતું વ્યવહાર, સાહસ અને ચારિત્ર્યમાં સજગતા તથા તાલીમ આપે એવું પત્ર કાઢવું જોઈએ.’
ચિત્તમાં આ વિચાર ચાલતો હતો એ સમયે રવિશંકરભાઈ ભાવનગર ગયા. ત્યાં દક્ષિણામૂર્તિમાં અનંત અને ઉપેન્દ્ર પંડ્યા તથા બીજા કેટલાક વિદ્યાર્થી સાથે મળીને કુમાર નામનું હસ્તલિખિત સામયિક ચલાવતા હતા એ એમણે જોયું. ચૌદેક વર્ષના આ વિદ્યાર્થીઓ પાસેથી કળાગુરુ રવિશંકર રાવળે પોતાના સામયિકના નામની પસંદગી કરી અને એના પ્રથમ અંકમાં અનંત અને ઉપેન્દ્ર કુમારના પહેલા તંત્રીઓ નામનો લેખ લખ્યો. એમનું ઔદાર્ય તો એવું કે એમણે ૧૯૧૮ની ૩૦ જાન્યુઆરીએ પોતે દોરેલાં બે વિદ્યાર્થીનાં સ્કેચ પણ આ લેખ સાથે છાપ્યાં. એ જમાનામાં અમદાવાદમાં બ્લૉક બનાવવાની સગવડ નહોતી આથી એક નવા સાહસ સાથે કુમાર સ્ટુડિયો શરૂ કર્યો. એમની સાથે બચુભાઈ રાવત નવજીવનની નોકરી છોડીને કુમાર સામયિકમાં જોડાયા.
この記事は Chitralekha Gujarati の October 21, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の October 21, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
જલસાઘર
બચ્ચન@૮૨
છોડા-છોડી પૈણું પૈણું કેમ કરતાં નથી?
આજના યુવાવર્ગનો લગ્નસંસ્થામાં રસ ઘટી રહ્યો છે એટલે જતેદહાડે આ વ્યવસ્થા જ નીકળી જશે.
તન કી શક્તિ... મન કી શક્તિ
કસરત એ શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવાનો સૌથી સરળ અને સસ્તો રસ્તો છે.
આ ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગના ફાયદા જાણો છો?
ઘડિયાળના કાંટે જ ખાવાનું અને બાકીનો સમય પેટમાં કશું નહીં પધરાવવાનું... આ પ્રયોગ કરવા જેવો છે.
ઘડપણનું ઘર આવે તો જુવાનીએ શીદ પાછા વળવું?
ઉંમર સૌની વધવાની છે, વૃદ્ધાવસ્થા સૌની આવવાની છે, પણ એ આવશે અથવા આવી ગઈ એવા ભયના ઓથાર હેઠળ શું કામ જીવવું, ભલા?
બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવીએ...
ઉત્તર ગુજરાતના આ જિલ્લાને વ્યસનમુક્ત અને બાળકોને સંસ્કારયુક્ત બનાવવાની અનેરી ઝુંબેશ બે જૈન મુનિએ અઢી વર્ષથી આદરી છે. સ્થળનાં નામ બદલવાના શોખ સામે જિલ્લાની ઓળખ બદલવાનો કેવો છે આ પરમાર્થભર્યો પરિશ્રમ?
શતાયુ ‘કુમાર’ને અનોખી-ચિરંજીવ ખેત
એક સામયિક એકસો વર્ષ પૂરાં કરે અને એ સામયિકની શતાબ્દી-સફર દરમિયાનના વિશેષ લેખો અલગ રીતે ગ્રંથસ્થ થાય એ તો ‘સોને પે સુહાગા’ જેવું થયું કહેવાય. સુરતના ‘લાતીર્થ’ ટ્રસ્ટે ‘કુમાર’ સામયિકના શિલ્પ-સ્થાપત્ય-કળા-કસબ વિષયક અંકોનાં પાંચ પુસ્તક તૈયાર કર્યાં છે. કોઈ સામયિક પર આવા દળદાર ગ્રંથ પ્રકાશિત થાય એ ગુજરાતી પ્રજા ગર્વ લઈ શકે એવી વિરલ સાંસ્કૃતિક ઘટના છે.
કુમારઃ સદીને આંબતું સામયિક
એકસો વર્ષ પહેલાં ‘ઊગતી પ્રજાનું માસિક’ મુદ્રાવાક્ય સાથે શરૂ થયેલા ‘કુમાર’નું મુદ્રાચિત્ર હતું (અને છે)-એક હાથમાં લગામ, બીજા હાથમાં ભાલો ધારીને યુવાઊર્જાના પ્રતીક સમો થનગનતો ઘોડેસવાર. પ્રવેશાંકમાં આહવાન હતું કે ‘કુમાર-કુમારીમાંથી, જેઓ ઊછરતા લેખકો હશે એમને અમે યોગ્યતા પ્રમાણે સ્થાન આપીશું, કારણ કે અમારી ઈચ્છા છે કે આ માસિક વાંચનારાનાં હૃદયનું પ્રતિબિંબ બની રહે.’ યુવાવર્ગમાં સંસ્કારસિંચનના ઉદ્દેશથી શરૂ થયેલું આ માસિક કાળની થપાટ ખમતું, ત્રણેક વરસના અંતરાલને બાદ કરતાં અવિરત પ્રકાશિત થતું રહ્યું. રવિશંકર રાવળથી પ્રફુલ્લ રાવલના તંત્રીપદ હેઠળ ગુણવત્તાયુક્ત, વૈવિધ્યસભર વાંચનસામગ્રીથી ત્રણ-ચાર પેઢીને વિચારસમૃદ્ધ કરતું રહ્યું. કિશોર-કિશોરીનાં સંસ્કારસંવર્ધન અને ઘડતરમાં અનન્ય પ્રદાન ધરાવતા ‘કુમાર’ના જન્મની, ક્રમબદ્ધ વિકાસની તથા અનેક વિપરીતતા વચ્ચે લક્ષ્ય ટકાવી રાખવાના સંઘર્ષની કથા બડી રસપ્રદ છે.
ગૌપ્રવાસન વિકસે તો ગાય રસ્તે રઝળતી બંધ થશે...
આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. આપણે ગાયની પૂજા કરીએ છીએ અને ગાયમાં ૩૩ કરોડ દેવોનો વાસ હોવાનું માનીએ છીએ, પણ તો પછી સેંકડો-હજારો ગૌમાતા સડક પર રઝળે કેમ છે? આ મૂકજીવની અવદશા બદલવાનો શું છે રસ્તો?
જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો, કિસને જાના...
લુડો ગેમ જીવનના પાસા ભલે આપણા હાથમાં હોય, પણ એ આપણને શું બતાવશે એ આપણા હાથમાં નથી. નસીબનું બીજું કોઈ નામ આપવું હોય તો પાસા આપી શકાય. ગમે ત્યારે ગમે તે પાસા પડે અને આપણે એ પ્રમાણે રમવું પડે છે.