વિશ્વના વિવિધ ભાગોમાંથી આવતા સમાચાર જગતની રાજકીય સ્થિરતા અંગે ચિંતાઓ જન્માવનારા છે. આપણા ભારતમાં જ મણિપુર હિંસામાં સપડાયું છે, ફ્રાન્સમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે, સ્વીડનમાં કુરાન સળગાવવાનો વિવાદ વકરેલો છે અને ઇઝરાયલમાં ન્યાયતંત્રની સત્તાના સવાલ સામે પણ દેખાવો ચાલી રહ્યા છે. ઇઝરાયલ જેવા સુખીસંપન્ન ગણાતા દેશમાં મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા નીકળી પડે ત્યારે ત્યાં સળગી રહેલો મુદ્દો ભારત જેવા લોકશાહી ધરાવતા અન્ય દેશો માટે પણ ગંભીરપણે ધ્યાન આપવા જેટલો અગત્યનો બની જાય છે.
શાળામાં જ આપણને ભણાવવામાં આવે છે કે આપણે ત્યાં સરકારના ત્રણ મુખ્ય અંગ એટલે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આમાં જનપ્રતિનિધિથી રચાતી ધારાસભાને કાયદો ઘડવાની અને ન્યાયતંત્રને એ કાયદાના આધારે ચુકાદા આપવાની અને કાયદાનું અર્થઘટન કરવાની સત્તા મળેલી છે. ભારતમાં ન્યાયતંત્ર પોતાની કાર્યવાહી મુક્ત રીતે કરી શકે છે, એ જ પ્રકારે ઇઝરાયલમાં પણ ન્યાયતંત્ર સરકારની દખલ વગર ચાલે છે અને નજીકના ભૂતકાળમાં ભારતમાં ન્યાયાધીશોની નિયુક્તિ અને બદલી માટે કાર્યરત કૉલેજિયમ સિસ્ટમ વિરુદ્ધ જેવો વિવાદ જાગેલો, કંઈક એવો જ વિવાદ થોડા મહિનાઓથી ઇઝરાયલમાં પણ સળગી ચૂક્યો છે. આ વિવાદ કેવો વળાંક લેશે એ જોવું ભારત માટે પણ જરૂરી છે, કેમ કે એવો છુપો ડર પ્રગટી રહ્યો છે કે નજીકના ભવિષ્યમાં આ ચિત્ર કદાચ ભારતમાં પણ આકાર લઈ શકશે.
ડિફેન્સ એક્સપર્ટ અભિજિત ઐયર-મિત્રા ઇઝરાયલનો મુદ્દો વિસ્તારથી સમજાવે છે. ઇઝરાયલની ન્યાયપ્રણાલીમાં જજની વરણી કરે છે નવ સભ્યોની સમિતિ, જેમાં સામેલ હોય છે ત્રણ જજ, બાર એસોસિયેશનના બે પ્રતિનિધિઓ, ધારાસભાના બે સભ્યો અને બે મંત્રીઓ. ઇઝરાયલમાં ન્યાયાધીશો અને બાર એસોસિયેશન મોટે ભાગે ડાબેરી વિચારધારાના સમર્થક હોવાથી જમણેરીવિચારધારાની સરકાર સત્તામાં હોવા છતાં ભાગ્યે જ ન્યાયપ્રણાલીમાં એમની વિચારધારાને પ્રતિનિધિત્વ મળતું હોય છે. આના પરિણામે ‘એક્ટિવિસ્ટ’ તરીકે વર્તવાનો શોખ ધરાવનારા ડાબેરી ન્યાયાધીશો કાયદાના અર્થઘટનમાં વધુ પડતી છૂટછાટ લેતા થઈ જાય છે અને કાયદાના નિરપેક્ષ અર્થઘટનને બદલે ન્યાયાધીશો પોતપોતાની વિચારધારા, ગમા-અણગમા પ્રમાણે કાયદાનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા ભોગવે છે.
Denne historien er fra August 05, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 05, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.
એનાલિસિસ.
અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન