કચ્છને દેશનાં વિવિધ શહેરો સાથે જોડતી ફ્લાઇટ ઓછી છે. મુંબઈ, અમદાવાદ, દિલ્હીને બાદ કરતાં બીજા કોઈ પણ શહેરો માટે કચ્છથી ડાયરેક્ટ ફ્લાઇટ નથી. જે ફ્લાઇટ છે તેનું ભાડું પણ ખૂબ વધુ હોવાના કારણે સામાન્ય લોકોને કટોકટીના સમયે બીજા શહેરોમાં જવાનું ખૂબ મોંઘું પડે છે.
કચ્છીઓ વિશ્વ આખામાં ફેલાયેલા છે. પેઢીઓથી કચ્છ બહાર વસવા છતાં તેમનો પોતાના વતન સાથેનો સંપર્ક જીવંત છે. કચ્છીઓ દર વર્ષે એકથી વધુ વખત વતન આવે છે અને જાણે કાયમ કચ્છમાં જ રહેતાં હોય તેવી રીતે થોડો સમય રહે છે. વિદેશમાં વસતા કચ્છીઓને આવાગમન માટે ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તેનું કારણ છે, કચ્છમાં એક પણ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ નથી. કચ્છથી વિદેશમાં જવું કે આવવું હોય તો વાયા અમદાવાદ કે મુંબઈ કે દિલ્હી જવું પડે છે. તેમ જ ભુજથી અમદાવાદ, દિલ્હી કે મુંબઈની પૂરતા પ્રમાણમાં ફ્લાઇટ નથી. આથી એન.આર.આઈ. કચ્છીઓનો સમય અને નાણાંનો ભારે વ્યય થાય છે. આ ઉપરાંત છેલ્લા બે દાયકામાં કચ્છનો વિકાસ અકલ્પનીય ઝડપે થયો છે. અહીં દેશ-વિદેશના ઉદ્યોગો આવ્યા છે. તેના પગલે દેશભરનાં રાજ્યોમાંથી કે વિવિધ દેશોમાંથી કચ્છ આવનારા લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. તેમ જ આ સમયગાળામાં બાગાયતી ખેતી પણ ખૂબ વિકસી છે. કચ્છની કેસર કેરી, ખારેક, દાડમ તો દેશ-વિદેશ જાય જ છે હવે તો કમલમ્ તરીકે ઓળખાતા ડ્રેગન ફ્રૂટ પણ દેશ-વિદેશની માર્કેટ સર કરી રહ્યા છે. જો આંતરરાષ્ટ્રીય વિમાનમથક ભુજને મળે તો નિકાસમાં અનેકગણો વધારો થઈ શકે તેમ છે.
કચ્છમાં પ્રવાસન પણ એક ઉદ્યોગની જેમ વિકસ્યું છે. તેથી અહીં આવનારા પ્રવાસીઓ પણ ખૂબ વધુ છે, પરંતુ અનેક વિદેશીઓ કચ્છ સુધી ડાયરેક્ટ ફ્લાઇટ ન હોવાના કારણે કચ્છ આવવાનું ટાળે છે. જો અહીં વિદેશથી આવનારા પ્લેન ઊતરી શકે તો પ્રવાસનને પણ વધુ વેગ મળી શકે તેમ છે.
આંતરરાષ્ટ્રીય વિમાન મથક અને કાર્ગો ઍરપોર્ટ માટે કચ્છના લોકોની લાંબા સમયની માંગ છે, પરંતુ તેના પ્રત્યે ધ્યાન અપાતું નથી. ભુજનું હાલમાં સુરક્ષાદળો હસ્તક રહેલું ડોમેસ્ટિક ઍરપોર્ટ બહુ સહેલાઈથી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ બની શકે તેમ છે. દેશનાં મોટાં-મોટાં બીજા ઇન્ટરનેશનલ ઍરપોર્ટની તુલનામાં ભુજના ડોમેસ્ટિક ઍરપોર્ટ પાસે વધુ માળખાકીય સુવિધા છે. જેના કારણે ખૂબ જ ઓછા ખર્ચમાં વધારાની સગવડ કચ્છવાસીઓને મળી શકે તેમ છે.
અનિલ ગોર
Denne historien er fra September 23, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 23, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.
એનાલિસિસ.
અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન