બર્નિંગમન : પ્રતિવર્ષ સર્જાતું અને ભૂંસાતું શહેર
ABHIYAAN|December 09, 2023
રાવણદહન પ્રકારના આ ઉત્સવની શરૂઆત ૧૯૮૬માં બે મિત્રોએ કરી હતી. દિવસે ઉષ્ણ અને રાત્રે ઠંડા થઈ જતા આ રણમાં બર્નિંગમેન ઉત્સવ માટે પોતાના ખર્ચે અને જોખમે આવવાનું હોય છે. અંતરના ખાલીપાને ભરવા માટે મનુષ્ય આવા ઉત્સવોને આકાર આપે છે
બર્નિંગમન : પ્રતિવર્ષ સર્જાતું અને ભૂંસાતું શહેર

જુલિયસ સિઝરે નોંધ્યું હતું કે પ્રાચીન રોમન સામ્રાજ્યના સમયમાં કેલ્ટિક તરીકે ઓળખાતી યુરોપિયન પ્રજા ક્યારેક એક અનુષ્ઠાન તરીકે, ગંભીર રોગ કે જીવનની કપરી સમસ્યાઓ દૂર કરવાના આશયથી દેવતાઓને રીઝવવા જીવિત મનુષ્ય કે પશુને નેતરના બનેલા પૂતળાની અંદર પૂરીને સળગાવતી. અપરાધી અને નિર્દોષ, બંને પ્રકારની વ્યક્તિ એનો ભોગ બનતી. બ્રિટિશ લેખક ડેવિડ પીનરની ‘રિચ્યુઅલ’ નવલકથા પરથી પ્રેરિત ૧૯૭૩ની ‘ધી વિકરમૅન’ ફિલ્મની કથામાં આ જ વિચાર કેન્દ્રમાં હતો.

આપણે ત્યાં રાવણના પૂતળાને સળગાવવાની પ્રથાને મળતી આવતી પરંપરાઓ વિશ્વના અન્ય ભાગોમાં પણ અસ્તિત્વમાં હતી, જે ‘ધી વિકરમૅન' જેવી ફિલ્મથી પ્રેરાઈને ક્યાંક વધુ પ્રસિદ્ધ બની કે આધુનિક રંગે રંગાઈને પુનઃ પ્રવૃત્ત થઈ. આવી એક નોંધપાત્ર પરંપરા છે, લેબર ડૅ પહેલાંના સપ્તાહમાં યોજાતો બર્નિંગમૅન નામક નવ દિવસ ચાલતો આધુનિક ઉત્સવ, જ્યાં હજારોની સંખ્યામાં લોકો ઊમટી આવે છે.

એની શરૂઆત થયેલી ૧૯૮૬માં સાન ફ્રાન્સિસ્કોના સાગર કિનારે, જ્યાં બે મિત્રો લેરી હાર્વી અને જેરી જેમ્સે અંતરને અભિવ્યક્ત કરવા અને ગ્રીષ્મઋતુમાં વર્ષના સૌથી લાંબા દિવસની ઉજવણી અર્થે આઠ ફૂટ ઊંચું પૂતળું સળગાવેલું. શરૂઆતમાં સ્થાનિક તંત્ર સાથે જાહેરમાં આ રીતે કશું સળગાવવાના ઘર્ષણ થયેલું, જેથી એને ખ્યાતિ પણ મળી. તંત્ર સાથેની ટક્કર ટાળવા ૧૯૯૦માં બર્નિંગમૅન ઇવેન્ટનું સરનામું બદલાઈને નેવાડાનું બ્લૅક રૉક કે લા’ પ્લાયા નામક નિર્જન રણ બન્યું. છતાં ત્યારે કોઈએ ફરિયાદ કરેલી કે સાન ફ્રાન્સિસ્કોના શેતાનના પૂજારીઓ રણમાં આવી ચડ્યા છે! પણ સરકારી અધિકારીઓ સ્થળની મુલાકાતથી સંતુષ્ટ થયા અને ધીમે-ધીમે બર્નિંગમૅનના આયોજકો પણ કાયદાને અનુસરવા નું અને રણના પ્રતિકૂળ વાતાવરણમાં વ્યવસ્થાપન કરવાનું અનુભવથી શીખતા ગયા.

Denne historien er fra December 09, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra December 09, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
ABHIYAAN

દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે

પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/09/2024
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
ABHIYAAN

અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો

*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/09/2024
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
ABHIYAAN

તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું

મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.

time-read
7 mins  |
Abhiyaan Magazine 21/09/2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/09/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો

time-read
3 mins  |
Abhiyaan Magazine 21/09/2024
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
ABHIYAAN

હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં

રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
ABHIYAAN

આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?

'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024