કોઈ પ્રદેશને દિલથી માણવા સાઇકલ પ્રવાસ ઉત્તમ
ABHIYAAN|February 03, 2024
‘ચરવૈતિ ચરવૈતિ' ઉક્તિને સાકાર કરવા માટે આજે ઘણા લોકો પ્રવાસ કરવા નીકળી પડે છે. જોકે મોટા ભાગના લોકોનો પ્રવાસ એ એક લાંબી પિકનિક જેવો હોય છે. પગપાળા કે સાઇકલ ઉપર કરાયેલા પ્રવાસથી નવા-નવા પ્રદેશોને જાણી અને માણી શકાય છે, દિલમાં ઉતારી શકાય છે. આથી જ સિનિયર સિટીઝન એવા મુંબઈના બે કચ્છી માડુઓ અને એક રાજસ્થાનીએ કચ્છનો આઠ દિવસનો પ્રવાસ સાઇકલથી કર્યો હતો.
કોઈ પ્રદેશને દિલથી માણવા સાઇકલ પ્રવાસ ઉત્તમ

કચ્છી અને ગુજરાતી લોકોને નવી નવી જગ્યાએ ફરવાનો જબરો શોખ છે. દેશ-વિદેશના કોઈ પણ જાણીતા પ્રવાસન સ્થળે ગુજરાતી બોલાતી સંભળાય. સિમલા, મહાબળેશ્વર કે ગોવા જેવી જગ્યાઓ ઉપર તો વર્ષના અમુક સમયે લાગે જ નહીં કે ગુજરાત બહાર આવ્યા છીએ, પરંતુ મોટા ભાગના આ પ્રવાસીઓ જે-તે જગ્યાનો ધબકાર અનુભવવાના બદલે માત્ર તેને જોઈને સંતોષ માની લેતા હોય છે. જો કોઈ જગ્યાને સમજવી  હોય, તેને દિલથી માણવી હોય તો ત્યાં પગપાળા ફરવું જોઈએ અથવા તો ત્યાં સાઇકલ ઉપર રખડવું જોઈએ. સમયનો અભાવ અનેક લોકોને આવી રીતે પ્રવાસ કરવાની પરવાનગી આપતો નથી, પરંતુ ખરેખરા પ્રવાસપ્રેમીઓ તો આવી જ રીતે ભ્રમણ કરવાનો આગ્રહ રાખે છે. તેમને ઉંમર કે શારીરિક અવસ્થા આવી રીતે ફરતાં અટકાવી શકતા નથી.

મુંબઈના આવાજ સાઇકલપ્રેમીઓનું એક નાનકડું ગ્રૂપ તાજેતરમાં કચ્છના પ્રવાસે આવ્યું હતું. ત્રણ જણાના બનેલા આ ગ્રૂપના બધા જ સભ્યો ૫૫-૫૬ વર્ષ ઉપરની ઉંમરના હતા. તેઓએ કચ્છના સૌંદર્યને પોતાના મનમાં અંકિત તો કર્યું જ, સાથે-સાથે તેમણે અહીંના લોકોનો સ્વભાવ, કચ્છનાં દૂરદૂરનાં ગામોની સ્થિતિ, ઓછાં જાણીતાં સ્થળોની માહિતી પણ મેળવી. અહીં આવતા પ્રવાસીઓને પડતી તકલીફો તેમણે જાણી. સાચું કચ્છ ક્યું છે તે તેઓએ નિહાળ્યું. તેમના સાહસ સાથે તેઓએ એક ધ્યેયને પણ લક્ષ્યમાં રાખ્યું હતું. તેઓએ ‘ટી.બી. મુક્ત કચ્છ’ના ધ્યેય સાથે પ્રવાસ કર્યો હતો. રસ્તામાં મળતાં લોકોને ટી.બી. રોગ સામે જાગૃત કરવા પ્રયત્ન કર્યો હતો.

આ ગ્રૂપના એક સદસ્ય ૬૩ વર્ષીય મંગલભાઈ ભાનુશાળી (ભાઈલાલ મંગે) સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘અમે મુંબઈમાં નિયમિત રીતે સાઇક્ટિંગ કરીએ છીએ. અમારી ઉંમર અમને સાઇકલ ચલાવતાં ક્યારેય અડચણ ઊભી કરતી નથી. અમે રોજ ૨૫-૩૦ કિ.મી. સાઇકલ ચલાવીએ છીએ.

આથી કચ્છમાં ફરવામાં અમને કોઈ તકલીફ ન પડી. અમે માનીએ છીએ કે પ્રવાસ કોઈ જગ્યાને વિશેષરૂપથી જાણવા માટે થવો જોઈએ અને એ માટે સાઇકલ જેવું ઉત્તમ માધ્યમ એક પણ નથી. સાઇકલ ચલાવતી વખતે તમે તે ધરતીના કણકણથી વાકેફ થઈ શકો. તે જગ્યાને હૃદયમાં ઉતારી શકો.'

Denne historien er fra February 03, 2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra February 03, 2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો

time-read
3 mins  |
Abhiyaan Magazine 21/09/2024
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
ABHIYAAN

હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં

રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
ABHIYAAN

આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?

'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ABHIYAAN

નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે

ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
ABHIYAAN

ચાલો, ફરી શેરીઓમાં રમીએ

આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
આ મેઘરાજાની મહેર કે કહેર?
ABHIYAAN

આ મેઘરાજાની મહેર કે કહેર?

સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
પ્રવાસન.
ABHIYAAN

પ્રવાસન.

મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024