ફાગણ ફોરમતો આયોને થોડા દિવસ પસાર થયા છે. ધીમે ડગલે પાછી વળેલી ઠંડીએ મહા મહિનાના માવઠાને લીધે ફરી ચમકારો દેખાડ્યો છે અને તેમ છતાં આપણને સૌને એ પાકી ખાતરી છે કે ઠંડી ઘટવા અને કાળઝાળ ગરમીના જાલીમ દનૈયા ચડવા વચ્ચેના આ વાસંતી દિવસોની સવાર, સાંજ અને મોડી રાત સુધીનો ખુશનુમા માહોલ કેવો મીઠ્ઠો-મધુરો અને લોન્ગ ડ્રાઇવ કે લોન્ગ રાઇડથી તન-મનને બહેકાવે તેવો હોય છે.
સૂર્યોદય થાય તે પહેલાં જ શહેરના લીસ્સા રસ્તા પર સાઇક્લિંગનો આનંદ લેવો કે કોઈ અરબન ફોરેસ્ટ જેવા આપણા જ શહેરના ઉદ્યાનની પાન ખરેલી રંગીન કેડી પર ચાલવા જવું એ ફાગણની અંકુર ફૂટતી ક્ષણોને વધાવવા જેવું મંગલમય હોય છે. ઢળતી સાંજે આપણને ગમતા કાંઠે-કિનારે કે ટેકરી પર બેસી ફાગણની ભીની સુગંધને શ્વાસોશ્વાસમાં ભરવી કે શહે૨ આસપાસના તળાવડે તરતાં જળચર પંખીડાંઓની પાણી પર સરકતી રમતને સૂર્યાસ્તની ક્ષણો સુધી કૅમેરાની ઝોળીમાં ભરવી એ પણ ફાગણનો રિયલ ચાર્મ હોય છે.
સાંજ-સવારના આવા આઉટિંગ ઉપરાંત ફાગણમાં તો શક્કરખોરાના મીઠ્ઠા શોરબકોર આપણા આંગણાનાં ફૂલોને સ્પર્શે છે અને દૂર દેશથી આવેલા ઓલા યાયાવર કુંજડા પોતાની પાંખમાં પરદેશી પ્રેમ ભરીને પોત પોતાને દેશ જવા એક સાથે ઊડતાં પણ જોવા મળે છે.
ફાગણની આવી મઘમઘતી એન્ટ્રીનો રંગીન માહોલ તો આપણા ઘરની બારી કે બાલ્કનીથી આપણા કર્ણદ્વારે પહોંચે છે, પરંતુ કેસૂડાંનાં કેસરી ફૂલોનો વૈભવ જોવા તો વન વગડા તરફ વાસંતી દોટ મૂકવી જ પડે છે, કારણ કે કેસૂડાંનાં એકાદ-બે વૃક્ષનાં દર્શનથી આપણું હ્રદય સભર થતું નથી.
સરદારને સમર્પિત સ્મારક સ્થળ એવું સ્ટેચ્યુ ઑફ યુનિટી તો એક ગમતા પ્રવાસન સ્થળ તરીકે છેલ્લાં ઘણાં વર્ષોથી ઊભરી જ આવ્યું છે, પરંતુ વિશ્વની સૌથી ઊંચી એકતાની આ પ્રતિમા જ્યાં આવેલી છે તે એકતાનગર વેલીની અંદરની કેસૂડાં ટૂર તો ફાગણની ફોરમને ઝીલવાનું તાજું ડેસ્ટિનેશન છે.
ગુજરાતના નર્મદા જિલ્લાના સરદાર સરોવર રિસોર્ટની સામે રહેલા એકતાનગર રેલવે સ્ટેશનથી એસઓયુ સુધી પહોંચી તેની આસપાસની મસ્ટ ડુની યાદીની આ કેસૂડાં ટૂર આપણને પલાશ વનમાં પ્રવેશ આપે છે. એસઓયુના સાંનિધ્યમાં આવેલી શ્રેષ્ઠ ભારત ભવન નામની આરામદાયક હોટલના આંગણેથી બસ દ્વારા શરૂ થતી આ કેસૂડાં ટૂર પૂર્ણ થાય એટલે વન્સ અગેઇન શ્રેષ્ઠ ભારત ભવનના પોર્ચમાં બસ આપણને ડ્રોપ પણ કરી જાય છે.
Denne historien er fra Abhiyaan Magazine 23/03/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 23/03/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?