પ્રવાસન
ABHIYAAN|Abhiyaan Magazine 04/05/2024
ચંબા વેલીનો ચાર્મ, ડેલહાઉસી
રક્ષા ભટ્ટ
પ્રવાસન

ફાગણ અને ચૈત્રમાં ફેલાયેલા વસંતના વૈભવ પછી હવે ધીમે-ધીમે ચૈત્ર ઊતરતા ગરમીનો પારો ચઢતો જાય છે અને વૈશાખ આવતાં તો ગરમીનો પારો ચરમસીમાએ પહોંચશે.

વર્ષના આવા ભઠ્ઠી જેવા દિવસોમાં ઉત્તર પ્રદેશની ઉપર રહેલા ઉત્તરાખંડ કે હિમાચલ પ્રદેશ જતાં રહી અસહ્ય ગરમીના કાળઝાળ દિવસોમાંથી થોડા દિવસોને ઠંડા કરી શકાય, પરંતુ જવું તો જવું ક્યાં અને કેવી રીતે જવું એ મોટો પ્રશ્ન હોય છે.

જો હિમાચલ પ્રદેશ પર જ પસંદગીનો કળશ ઢોળવો હોય તો ચંબા વેલીમાં સ્થિત ડેલહાઉસી જવા જેવું છે, કારણ કે તે તેનાં સ્વર્ગીય દશ્યફલકો, લીલાંછમ મેદાનો અને બ્રિટિશરો વખતના કોલોનિયલ ભૂતકાળને સાચવીને બેઠેલું હિલ સ્ટેશન છે.

પ્રકૃતિનો ખુશનુમા સ્પર્શ કરાવતું આ ટ્રેન્ડિ ડેસ્ટિનેશન ચંબા જિલ્લામાં આવેલું છે. ૧૮૪૮થી ૧૮૫૬ સુધી ભારતના ગવર્નર જનરલ રહી ચૂકેલા ‘ધ અર્લ ઑફ ડેલહાઉસી’ પરથી ડેલહાઉસી નામ ધારણ કરનાર આ નગર કુલ પાંચ ટેકરીઓ પર સ્થિત છે અને સી લેવલથી ૬, ૪૬૦ ફૂટ ઊંચું છે.

ભેજવાળી ઉપઉષ્ણકટિબંધીય આબોહવા ધરાવતાં ડેલહાઉસીમાં ઉનાળો ઊતરતા મુશળધાર વરસાદ વરસે છે અને શિયાળામાં નેવું-નેવું દિવસ સુધી ઠરીને ઠીકરું થઈ જતું ડેલહાઉસી એપ્રિલ-મેમાં તેર ડિગ્રીથી ત્રેવીસ ડિગ્રીની વચ્ચે, ફરવા આવેલા પ્રવાસીઓને, ચિત્રમયી નજારો પીરસે છે.

શિવાલિકથી શરૂ થઈ કાંગરા અને મંડીની ઉત્તરે પહોંચતી ધૌલાધાર નામની ૨૯,૦૩૦ ફૂટ ઊંચાઈ ધરાવતી પર્વતમાળાની ઉત્તરે રહેલી ચંબા વેલીનું આ હિલ સ્ટેશન વિક્ટોરિયન સ્થાપત્ય, બ્રિટિશ રાજ વખતનાં દેવળો અને પાઇન, ઑક અને દેવદારનાં વૃક્ષોનો લીલો જલસો તો ધરાવે જ છે, પરંતુ તે સાથે જ તે રોડોડ્રેન્ડ્રોનનું મનોહર ફ્લાવરિંગ પણ ધરાવે છે, જે અહીં ઉનાળો ગાળવા આવતાં પ્રવાસીઓને ડેલહાઉસીનો રંગીન મિજાજ પણ પીરસે છે.

કઠલૌન્ગ, પોટ્રેન, તેહરા, બકરોટા અને બલુન નામની પાંચ ટેકરીઓ પર સ્થિત આ ડેલહાઉસી ચંબલ જિલ્લાનું પ્રવેશદ્વાર તો છે જ, પરંતુ તે ઉપરાંત અહીં આવતા એડવેન્ચર સ્પોર્ટ્સના શોખીનોનું પણ ચહિતું હિલ સ્ટેશન છે, કારણ કે અહીં માત્ર હજા૨-પંદરસોમાં રાવી નદીમાં રિવર રાફ્ટિંગની મજાની સાથે-સાથે આસપાસનાં પર્વતીય દશ્યફલકોને મનભરીને જોવાની પણ એક અલગ જ મજા છે.

Denne historien er fra Abhiyaan Magazine 04/05/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra Abhiyaan Magazine 04/05/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ
ABHIYAAN

તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ

નંદિનીનું વડું મથક જીપીએસ સિસ્ટમ મારફત ટૅન્કરો પર નજર રાખશે. ટૅન્કરો પર ગોઠવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક લૉકને માત્ર વડામથક દ્વારા મોકલવામાં આવેલ ઓટીપી દ્વારા જ ખોલી શકાશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 05/10/2024
હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...
ABHIYAAN

હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...

એક એવી કથા છે કે ભગવાને સૃષ્ટિની રચના કરી અને બધી વસ્તુઓ યોગ્ય જગ્યા પર ગોઠવી. એમાં છેલ્લે સત્ય વધ્યું, ઘણું વિચાર્યા બાદ ભગવાને સત્યને માણસના હૃદયમાં મૂક્યું !

time-read
3 mins  |
Abhiyaan Magazine 05/10/2024
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ABHIYAAN

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/09/2024
બિજ-થિંગ.
ABHIYAAN

બિજ-થિંગ.

‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/09/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/09/2024
કચ્છમાં મળી નવી વનસ્પતિ
ABHIYAAN

કચ્છમાં મળી નવી વનસ્પતિ

જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/09/2024
વિવાદ
ABHIYAAN

વિવાદ

ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/09/2024
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
ABHIYAAN

ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે

કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/09/2024
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે

time-read
7 mins  |
Abhiyaan Magazine 28/09/2024
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
ABHIYAAN

સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ

*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/09/2024