ચૂંટણી આવી ગઈ. ઘણી જગ્યાએ પૂર્ણ થઈ ગઈ. સુરતમાં ચૂંટણી ના થઈ. હવે બાકીની ચૂંટણી માટે બહુમતી લોકોએ કોને મત આપવો કે કોને ના આપવો એ નક્કી કરી લીધું હશે. નોટા દબાવવા અને ગેરહાજર રહેવાનો નિર્ણય પણ ઘણાએ કર્યો હશે. સવાલ એ છે કે પરંપરાગત ભાજપ તરફી અને ભાજપ વિરોધી મતદાર સિવાયના નાગરિકો માટે આ ચૂંટણી માં મેળવવા જેવું શું રહ્યું? આવા પ્રશ્નના જવાબ વિચારવા કોઈ નવરું નથી, કેમ કે એ બે જૂથ સિવાયનાં લોકો પરચૂરણ ગણાય કે દૂધપાક ગણાય. એમને અવેજીમાં રમાડવા ક્યારેક કોઈ પક્ષ તૈયાર થાય તો થાય. ના, એ જાતે રમી શકે એવું નથી. બંને ધ્રુવ પોતપોતાની સ્ટ્રેટેજી કેવી રીતે ચૂંટણી જીતવી અને કેવી રીતે પોતાની પાર્ટી વત્તા ભવિષ્યની રાજનીતિ સાચવવી એ નક્કી કરી બેઠા છે, જેમાં સો ટકા મતદાન નહીં જ થાય તેની ખાતરી છે અને અમુક લોકો વોટ આપશે અને તમુક નહીં આપે એ અંકશાસ્ત્ર એમણે ગણી કાઢ્યું છે. લોકોમાં એવી કોઈ આવડત નથી કે એ બેઉ બાજુના રાજકારણીઓ નાં પાસાં ઊંધા પાડી શકે. માલધારીને ભાન હોય છે કે તેનું પાલતુ પ્રાણી ક્યાં ક્યાં જઈ શકે છે, એટલે તેની આવડત અને સક્રિયતાને ખોટી પાડી પાલતુ પ્રાણી પોતે જ્યાં જવું હોય અને જે કરવું હોય તે દિશામાં પોતાના માલિકને દોરી શકતું નથી.
ગઈ ચૂંટણીમાં મત આપી અને આ ચૂંટણી સુધી જીવવા ના પામ્યાં હોય એવાં ઘણાં ભારતીય હતાં. આ ચૂંટણીમાં પ્રથમ વાર મત આપનારાં ઘણાં છે. તમામ ખેલ અન્ડરસ્ટેન્ડિંગ વગર સમજની નીચેથી જોનારા અપુખ્તજન શું શું શીખશે? આવા સ્ટડી કરવામાં આપણને રસ નથી. આવા અભ્યાસ કે સંશોધન વિદેશી પરિબળો કરે અને તેમાં આપણને સોય કે સોયા ઘોંચે ત્યારે આપણને તકલીફ થાય છે. આપણને ખાલી મત આપવામાં રસ. એથી વિશેષ આપણને પરિણામમાં રસ. કેમ કે આપણે પોતે ચૂંટણી લડતા નથી. આપણે શું? આપણે શું નથી? લોકો ફટાફટ કે સીધા નેક્સ્ટ સ્ટેપ પર કૂદી જાય છે. લોકશાહીમાં લોકો ચૂંટણી નથી લડતા અને લોકો નથી જીતતા. ક્રાંતિ કે ઊથલપાથલ પ્રકારના આંદોલન દરમિયાન કે પછીની ચૂંટણીમાં પણ લોકોને એવું લાગતું હોય છે કે અમે લડ્યા અને જીત્યા. બાકી લોકોનો ઝોન છે ગ્રાહકનો કે દર્શકનો. એવું નથી? તો પ્રેક્ટિકલી સાબિત કરો કે લોકો લડે છે.
Denne historien er fra Abhiyaan Magazine 11/05/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 11/05/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?