ફોટોગ્રાફી એ આંખ, મગજ અને હૃદયનું કામ છે. સાધન મહત્ત્વનું છે, પણ તેનું સ્થાન ગૌણ છે. શ્રેષ્ઠ સાધન હોય, પણ નકામું ચિત્ર મળે અને જરીપુરાણા સાધન વડે પણ તમે મગજની એકાગ્રતા અને હૃદયના રસથી સામાન્ય વિષયને તમે સૌંદર્યાકૃતિ બનાવી શકો.’ - આ શબ્દો પ્રસિદ્ધ તસવીરકાર સ્વ. પ્રાણલાલ પટેલના છે. પ્રાણલાલ પટેલને ફોટોગ્રાફર નહીં, પણ ફોટોગ્રાફીનો સમસ્ત યુગ કહી શકાય. પોતાના ૧૦૫ વર્ષના દીર્ઘ જીવનકાળમાંથી ૮૫ વર્ષ છબીકલાને અર્પણ કરનાર આ વિભૂતિ ઘણા જાણીતા ફોટોગ્રાફર્સનો આદર્શ રહ્યા છે.
ભારતમાં ફોટોગ્રાફીનું આગમન આજથી ૧૬૯ વર્ષ પહેલાં એટલે કે ઈ.સ. ૧૮૫૫માં થયું અને પ્રાણલાલ પટેલે ઈ.સ. ૧૯૩૨માં ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તેથી કહી શકાય કે તેમની તસવીરોનું કલાકીય મહત્ત્વ ઉપરાંત ઐતિહાસિક મહત્ત્વ પણ છે.
વર્ષ ૧૯૧૦માં ગુજરાતના જામનગર જિલ્લાના કેશિયા ગામમાં તેમનો જન્મ થયો હતો. પાંચ વર્ષની ઉંમરે માતાનું અવસાન થતાં તેઓ તેમના મામા સાથે અમદાવાદ આવી ગયા. મોસાળમાં તેમનો ઉછેર અને અભ્યાસ થયો. તેઓ જીવનપર્યંત અમદાવાદમાં જ રહ્યા. બાળપણમાં તેમણે દુકાનોમાં પાણી ભરવા, છાપાં વહેંચવા જેવા અનેક કામ કર્યા. નાના-મોટા કામકાજથી આવક ઊભી કરીને તેમણે વર્નાક્યુલરની પરીક્ષા પાસ કરીને શિક્ષક તરીકે જોડાયા. આ રસમાં જ તેમની કલા રુચિ સંગીત તરફ ઢળી. આ દરમિયાન જ પ્રખ્યાત ચિત્રકાર રવિશંકર રાવળની ચિત્રશાળામાં જોડાયા. લાઇફ સ્કેચ, સ્ટીલ લાઇફ, નેચર ડ્રોઇંગ વગેરે ખૂબ રસપૂર્વક શીખ્યા. તેમનાં ચિત્રો જોઈને લાગે કે જો તેમણે ફોટોગ્રાફી અપનાવી ન હોય તો જરૂર એક સારા ચિત્રકાર બની શક્યા હોત, પરંતુ નિયતિએ કોઈ અલગ જ રાહ નક્કી કરી હશે કે તેમનો પરિચય બળવંત ભટ્ટ અને બચુભાઈ રાવત સાથે થયો. તેમના સહવાસ અને માર્ગદર્શનથી પ્રાણલાલ પટેલ માટે ફોટોગ્રાફીનું એક અનોખું ફલક ખૂલી ગયું. એ પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. બંધનરૂપ બનતી નોકરીને તેમણે તિલાંજલિ આપી દીધી અને ફોટોગ્રાફી કરવા માટે કાશ્મીરના પ્રવાસે નીકળી ગયા.
શરૂઆતના તબક્કામાં તેમણે કોમર્શિયલ, પૉર્ટ્રેઇટ્સ, આઉટડોર અને પ્રેસ ફોટોગ્રાફી કરી. આર્થિક રીતે મજબૂત થતાં તેમણે પિક્ટોરિયલ ફોટોગ્રાફી પર હાથ અજમાવ્યો.જેમાં તેમને અપૂર્વ પ્રશસ્તિ મળી.
Denne historien er fra Abhiyaan Magazine 18/05/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 18/05/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?