દરિયો અને રણની અજબ તાસીર સંઘરીને બેઠેલી કચ્છની ધરતીના ખોળે અનુપમ રત્નોએ જન્મ લીધો છે. બિનપિયત અનાજ જેમ વધારે સત્ત્વશીલ હોય છે, તે જ રીતે અનેક અગવડો અને અભાવો વચ્ચે તપેલી આ પ્રજા કંચન સમી બની છે. કુદરતે જેને અફાટ ખારું રણ આપ્યું એ પ્રજા પોતાનો પ્રદેશ છોડીને ક્યાંય ગઈ નથી. પોતાની સંકલ્પશક્તિથી એ ત્યાં ટકી રહી છે અને વિકસતી રહી છે. એટલું જ નહીં, પોતાની કલાકીય આંતરસૂઝથી તેને વધુ ને વધુ સુંદર બનાવતી રહી છે. અનેક ભૌગોલિક વૈવિધ્ય ધરાવતાં આપણા ગુજરાતમાં સૌથી આકરા ગણાતા આ પ્રદેશમાં લોકસંસ્કૃતિ અનેક રૂપે ખીલી છે. મજાની વાત એ છે કે આ સંસ્કૃતિ આજે પણ કચ્છના જનજીવનનો ભાગ બની રહી છે, કારણ કે અહીં રહેતા લોકોને પોતાની રીતરસમો અને લોકકલા પર ગર્વ છે. તેથી પેઢી દર પેઢી તેનું યોગ્ય સંવહન થયું છે. શ્રેષ્ઠીઓ દ્વારા તેમનું યોગ્ય સંવર્ધન થયું છે. સહુ કોઈ અહીંની લોકસંસ્કૃતિનું દર્શન કરી શકે તે માટે ઘણી સંસ્થાઓ, સરકાર અને રાજ પરિવાર દ્વારા ખાનગી મિલકતો અને સંગ્રહાલયો ખુલ્લાં મૂકવામાં આવ્યાં છે, પરંતુ અહીં એક એવું મ્યુઝિયમ પણ છે જેની સ્થાપના માત્ર એક વ્યક્તિના સંકલ્પના પાયા પર થઈછે. કોઈ રાજ-રજવાડાં કે વારસાગત મિલકતના જોરે નહીં, પરંતુ પોતાની અથાગ ઇચ્છાશક્તિનું આરોપણ કરીને સ્વ. રામસિંહજી રાઠોડે એકલપંડે ‘ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ'ની સ્થાપના કરી. તેને ખરેખર જ વિરલ ઘટના લેખી શકાય.
વર્ષ ૧૯૧૭માં કચ્છના ભુવડ ગામમાં જન્મેલા રામસિંહજી બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી હતા. તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટી અને દહેરાદૂન ઇમ્પિરિયલ ફોરેસ્ટ કૉલેજમાંથી અનુક્રમે Geology અને Forestryનો અભ્યાસ કરેલો. ત્યાર બાદ ૧૯૪૦માં કચ્છ ખાતે ફૉરેસ્ટ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે તેમની નિમણૂક થઈ. નોકરી મળ્યા બાદ પણ તેમની અભ્યાસ પ્રવૃત્તિ અટકી નહીં. મનગમતું કાર્યક્ષેત્ર મળતાં તેમની સંશોધનવૃત્તિને વેગ મળ્યો. આ દરમિયાન કુમાર સામયિકમાં ‘કચ્છનું રણ' અને અમદાવાદ ખાતે થયેલા ઇતિહાસ સંમેલનમાં ‘કચ્છનો ઇતિહાસ' સંશોધન પત્ર રજૂ કર્યું. તેમને બનારસ હિન્દુ યુનિવર્સિટીના જીઓલૉજિકલ ડિપાર્ટમેન્ટમાં તેઓને ‘કચ્છ રાજ્યના રિસર્ચ સ્કૉલર’ નીમવામાં આવ્યા હતા.
Denne historien er fra Abhiyaan Magazine 17/08/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 17/08/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?