માનવી એટલે જે મન વડે જીવે છે. મનુષ્ય એટલે જે મનન કરી શકે છે, માન્યતા રાખે છે. માણસ ક્યાં રહે છે અને કયા કાળમાં રહે છે, એ મુજબ તેનું મન ઘડાઈ શકે છે અને વર્તી શકે છે. હજારો વર્ષ જૂનો હ્યુમન લૉ કે પછી ખૂબ ધન અને અતિ આધુનિકતામાં જીવતું આજનું માઇન્ડ, કોઈની કોઈ બિલીફ હોય જ. આધ્યાત્મિકતામાં આગળ વધવા માટે પાયાનું કાર્ય મનને પૂર્વગ્રહ કે પૂર્વગ્રંથિથી છોડાવવાનું હોય છે. મન જે અમુક-તમુક માન્યતામાં કામ કરે તેને સાઇકોલૉજીમાં કન્ડિશનિંગ કહેવાય, તંત્ર અને યોગમાં તેને સંસ્કાર કે છાપ કહેવાય.
ભક્તિ, જ્ઞાન કે યોગના કોઈ પણ માર્ગમાં આગળ વધેલા જીવ પણ આ કે તે માન્યતા સાથે બદ્ધ હોઈ શકે છે. મહાન કહેવાય એવા વૈજ્ઞાનિક, ગણિતશાસ્ત્રી અને દાર્શનિક એક યા બીજી માન્યતા સાથે બંધાયેલા હોય છે.
ઘણી વાર ભારતીય ઇન્સાનને એમ થાય છે કે ‘આપણે ત્યાં’ આવી તેવી માન્યતા હોય છે, બાકી ‘ત્યાં' તો સાયન્સ, લૉજિક અને
ઇન્ફોર્મેશન પર જ બધાં ચાલે છે. એવું હોય? ના. એવું હોય એ એક માન્યતા છે. એ માન્યતા કે કલ્પના અવૈજ્ઞાનિક, અતાર્કિક અને ખોટી કે અધૂરી માહિતી પર ફુલાવેલી છે. ઉત્ક્રાંતિ બરાબર સમજો તો તરત સમજી શકાય કે એવું ના હોય. દુનિયાના દરેક ખૂણામાં માણસ માન્યતાઓમાં મર્યાદિત થયેલો જ છે.
યુએસ મિરન કોરમાં માસ્ટર સાર્જન્ટ રહી ચૂકેલા જેસન બેલ્સ લખે છે કે, એ જ્યારે મરિન રિક્રુટ કરતાં ત્યારે તેમની ઑફિસમાં ડોનટ લાવવા કે ખાવાની મનાઈ હતી. એમને જ્યારે એ ખબર ન હતી ત્યારે એમના રિક્રુટર તરીકેના પહેલા દિવસે એ ઑફિસમાં બધાં માટે ઢગલો ડોનટ ખરીદી લઈ ગયેલા. આખી ઑફિસ શૉક થઈ ગયેલી, બધાંએ કડક ના પાડી અને અંતે એ બધાં ડોનટ ફેંકી દીધેલાં. યુએસ મિરન કોરમાં રિક્રુટમૅન્ટ કરતાં હોય ત્યારે ઑફિસમાં કોઈ ડોનટ ખાય તો રિક્રુટમૅન્ટ ના થાય તેવી માન્યતા છે. જે કોઈ ડોનટ ખાય તેનાથી એક પણ રિક્રુટમૅન્ટ ના થઈ શકે. ડોનટ લાવવા અને ખાવા એ બેડ લક. મરિન્સ કોઈ પણ કાર્યમાં નિષ્ફળ જાય એ ના ચાલે, એટલે રિક્રુટમૅન્ટ કરતાં હોય ત્યારે ડોનટ ના ખાવા એ નિયમ બની ગયેલો. જેસન બેલ્સ લખે છે કે એમણે એમની કારકિર્દી દરમિયાન ઑફિસ માટે ફરી ક્યારેય ડોનટ ના ખરીદ્યા.
Denne historien er fra Abhiyaan Magazine 28/09/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 28/09/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે
બિજ-થિંગ.
‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા
લાફ્ટર વાઇરસ
...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!
કચ્છમાં મળી નવી વનસ્પતિ
જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.
વિવાદ
ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે
હેલ્થ સ્પેશિયલ
નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.
હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા
આજના યુગના હાર્ટના કેટલાક હૃદયગમ્ય ઉપચારો
શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા
*દુનિયાના દરેક ખૂણામાં લોકો વિવિધ પ્રકારની માન્યતાઓ ધરાવે છે. *અમેરિકન સ્ટડીઝમાં ડૉક્ટરેટ ધરાવતા કોરીએ અમેરિકન સૈનિક, નાવિક, વિમાન ચાલક વગેરેમાં પ્રવર્તતી માન્યતાઓનો અભ્યાસ કરેલો છે, તેની વાત કરવી હોય તો પુસ્તકો લખાય. *અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાં પણ અનેક માન્યતાઓ પ્રવર્તે છે.