આસોસુદ એકમથી સુદ એકમથી આરંભાતા શારદીય નવરાત્ર ઘટસ્થાપન, ધૂપ-દીપ, અનુષ્ઠાન, પૂજા-આરતી, આનંદનો ગરબો, નોરતાં-નૈવેદ્ય, રાસ-ગરબા અને ગરબીનો થનગનતો માહોલ લઈને તો આવે જ છે, પરંતુ તે સાથે જ શક્તિપીઠનાં ઊર્જાવાન સ્થળો-થાનકોથી સમૃદ્ધ અષ્ટદશા શક્તિપીઠની યાદી લઈને પણ પ્રગટ થાય છે.
કહે છે કે એક વખત રાજા દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો હતો, પરંતુ તેમણે આદિ દેવ શિવ અને સતી સિવાય સૌ દેવી-દેવતાઓને આ યજ્ઞ પ્રસંગનું આમંત્રણ આપ્યું હતું. પિતાની આવી ઉપેક્ષા છતાં દીકરી પાર્વતી આ યજ્ઞમાં આમંત્રણ વગર હાજર રહ્યાં, પરંતુ અપમાનિત થયાં છે એવું અનુભવાતાં તેમણે યજ્ઞકુંડમાં પ્રાણ ત્યાગી દઈ જીવનનું બલિદાન આપ્યું. આ વાતની જાણ થતાં ગુસ્સાથી ભરપૂર ભોળાનાથ પોતાનું રૌદ્રસ્વરૂપ ધારણ કરીને યજ્ઞકુંડમાં રહેલાં મા પાર્વતીના મૃત શરીરને પોતાના બાહુઓ પર ઉઠાવી ઉગ્ર તાંડવ નૃત્ય કરે છે, જેનાથી ચૌદે લોક ધ્રુજી ઊઠે છે.
એ સમયે ત્રિદેવમાંથી ભગવાન વિષ્ણુ પ્રગટ થઈ શિવના તાંડવથી શરૂ થયેલા પ્રલયને રોકવા પોતાના સુદર્શન ચક્રથી દેવી પાર્વતીના શરીરના ટુકડા કરે છે અને શક્તિ સ્વરૂપા મા ગૌરીના શરીરનાં અંગો પૃથ્વી પર વિખેરાઈને પડે છે. મા સતીના શરીરના આ ૧૦૮ ભાગ પૃથ્વી પર જ્યાં જ્યાં વિખેરાઈને પડ્યા તે આપણી શક્તિપીઠ છે.
પીઠ તંત્ર અનુસાર એમાંથી એકાવન મુખ્ય શક્તિપીઠ છે અને આદિ શંકરાચાર્યએ પરિવ્રજન દરમિયાન ૧૮ શક્તિપીઠોનાં દર્શન કર્યા, તે અષ્ટદશા એટલે અઢાર મહાશક્તિપીઠ છે, જેમાંની એક છે, મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સ્થિત શ્રી અંબાબાઈ મહાલક્ષ્મી શક્તિપીઠ, જે શ્રી અંબાબાઈ મહાલક્ષ્મી મંદિર તરીકે પ્રખ્યાત છે અને હંમેશાં હજારો દર્શનાર્થીઓથી સભર એવું કોલાસુરની કથા સાથે જોડાયેલું આ ક૨વી૨ ક્ષેત્ર ભારતનું તીર્થસ્થાન પણ છે.
Denne historien er fra Abhiyaan Magazine 12/09/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 12/09/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
હિડન કોસ્ટ - આ બધાનો ફોડ પાડી લેજો
શરૂઆતમાં તેઓ ખૂબ જ ઓછી ફી જણાવે છે. પછીથી ઝીણી-ઝીણી બાબત માટે તમારી આગળથી પૈસા ઉઘરાવે છે. આ કારણસર તમે જ્યારે કોઈ પણ એટર્ની, ભારતીય કે અમેરિકનને, તમારું કામ સોંપો તો એ બાબતની ચોખવટ કરી લેજો કે તેઓ જે ફી જણાવે છે એનાથી વધુ કંઈ આપવાનું રહેશે?
મૂવી ટીવી
ઑસ્કરના આંગણે ‘લાપતા લેડીઝ’
નવરાત્રી સ્પેશિયલ
ભાવનગરમાં પ્રાચીન અર્વાચીન નવરાત્રી મહોત્સવની રંગત
નવરાત્રી સ્પેશિયલ
વરસાદ! એ પણ નવરાત્રીમાં? આ તો સોનામાં સુગંધ ભળી
મઢમાં બિરાજે આશાપુરા માવડી, કચ્છ ધરાની દેવી રે...
પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકા અબડાસા, લખપત, નખત્રાણાના ત્રિભેટે આવેલું મા આશાપુરાનું મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જૂનું અને માતાજીની મૂર્તિ ૨૦૦૦ વર્ષ પુરાણી હોવાનું મનાય છે. આદ્યશક્તિના આ સ્થાનકમાં સમગ્ર કચ્છની પ્રજા ભારે આસ્થા ધરાવે છે. આસો નવરાત્રી દરમિયાન દૂર દૂરથી ભાવિકો દર્શનાર્થે આવે છે, તેમાં પગપાળા આવનારા લોકોની સંખ્યા પણ નાની-સૂની હોતી નથી.
લાફ્ટર વાઇરસ
ભૂપતભાઈ : રમૂજના રાજા!
નવરાત્રી સ્પેશિયલ
કોલ્હાપુરનું શ્રી અંબાબાઈ મહાલક્ષ્મી મંદિર
માડી! તારું કંકુ ખર્યું 'ને કોસ્મોસ ઊગ્યું
બિગ-બેંગ પછી ક્ષણના સોમા ભાગની અંદર સૃષ્ટિમાં ઊર્જાનું સર્જાયેલું લાલિત્ય આજે ઍડવાન્સમાં ઍડવાન્સ એ.આઈ. પણ કલ્પના ન કરી શકે એટલું અદ્ભુત હશે
નવરાત્રી કે નવરાત્ર?
એક-એક અક્ષરનું આધ્યાત્મિક શાસ્ત્રમાં મહત્ત્વ છે. વિજ્ઞાન કે ઇજનેરીના મેથેમેટિકલ ઇક્વેશનમાં એક ઝીણું દેખાતું કશુંક બદલાઈ જાય તો કેવો મામલો બગડે? એવું શાસ્ત્રના શબ્દનું મોસ્ટલી હોય છે
સ્પોર્ટ્સ
ક્રિકેટમાં ભારતના દબદબાનો ચેપ દુનિયાને વળગ્યો ઃ યુકેમાં હન્ડ્રેડ બોલની લીગ રચાઈ