વ્યક્તિની ચેતના અનેક સ્તરે ગતિ કરતી હોય છે. સમયની ગતિ સાથે તેની ઉંમર વધે છે. જન્મથી શરૂ થયેલ આ યાત્રામાં તે અસંખ્ય અનુભવો અંકે કરે છે. આ અનુભવો, પરિસ્થિતિ અને સંજોગોના આધારે બાહ્ય ગતિ નક્કી થાય છે. સાથે-સાથે મનુષ્યની ચેતના આંતરિક સ્તરે પણ સક્રિય હોય છે. દરેકનું આંતરિક અગોચર વિશ્વ નિરાળું હોય છે. આંતરિક અને બાહ્ય ગતિ વચ્ચે સંતુલન જાળવી રાખનાર માણસ ડાહ્યો અને વ્યવહારુ ગણાય છે, પરંતુ વ્યક્તિની ચેતના જ્યારે વાસ્તવની ધરતી પરથી પગ ઊંચકીને પરાવાસ્તવ કે અતિવાસ્તવ તરફ ગતિ કરે ત્યારે કેટલીકવાર ભયાનક અકસ્માતો સર્જાતા હોય છે, તો કેટલીક વાર અજાયબ ચમત્કારો સર્જાતા હોય છે. વિખ્યાત જાપાની કલાકાર યાયોઈ કુસામાની કલા અને કવન આ પ્રકારના અનેક અકસ્માતો અને અજાયબીઓથી ભરપૂર છે.
પોલ્કા-ડૉટ્સ ક્વીન તરીકે પ્રખ્યાત, લુઈસ વિટન, મોમા ડિઝાઇન સ્ટોર, યુનિકલો, વિવ કલીકોટ, લેનકોમ જેવી આંતરરાષ્ટ્રીય ફૅશન બ્રાન્ડ સાથે જોડાયેલ; ટેટ મૉડર્ન, લંડન, અમેરિકાના પેરેઝ આર્ટ મ્યુઝિયમ, મિયામી, ધ બ્રોડ, લોસ એન્જલસ અને જાપાનના માત્સુમોટો મ્યુઝિયમ જેવા વિશ્વનાં જાણીતાં આર્ટ મ્યુઝિયમો અને ગૅલેરીઓમાં જેમની કલાકૃતિઓ શોભે છે તેવાં પંચાણુ વર્ષીય કલાકાર યાયોઈ કુસામાની કલા તેમના આંતરિક જગતનું પ્રતિબિંબ છે. માનવામાં ન આવે કે આ કલાકાર છેલ્લાં ૪૦ વર્ષથી એક માનસિક રોગોની હૉસ્પિટલમાં રહીને પોતાનું કામ કરી રહ્યાં છે.
૨૨ માર્ચ, ૧૯૨૯ના રોજ જાપાનના માત્સુમોટોના એક શ્રીમંત પરિવારમાં તેમનો જન્મ થયેલો. તેમના પિતાને ફૂલછોડ અને બીજની નર્સરી અને મોટાપાયે ફૂલો વેચવાનો ધંધો હતો. નાનકડી કુસામા ફળ-ફૂલના છોડ વચ્ચે આખો દિવસ ખેતર અને બગીચામાં ફર્યાં કરતી, પરંતુ અચાનક તેમને આ ફૂલો બોલતાં દેખાવા લાગ્યાં. આજુબાજુની નિર્જીવ ચીજો તેમને જીવંત થઈને બોલતી, આકાર બદલતી દેખાવા લાગી. કોઈ પણ ચીજ અગણિત ડૉટ્સ બિન્દુઓમાં વહેંચાઈ જતી. આસપાસનું દેશ્ય અનેકગણું પુનરાવર્તિત થઈને અનંત થઈ જતું. કુસામાને ચીજો જે સ્વરૂપે દેખાતી તેને પોતાનાં ચિત્રોમાં ઉતારતી. કુસામાની કલા આ દશ્યોથી પ્રેરિત છે, પરંતુ કલાનાં જે રમણીય સ્વરૂપો આપણે નિહાળીએ છીએ તેના મૂળમાં કલાકારનો આંતરિક વલોપાત હોય છે. આ કલાકૃતિઓ તો એ પછી સપાટી પર તરી જેને આવતાં નવનીત સમું હોય છે.
Denne historien er fra Sambhaav METRO 19-10-2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Sambhaav METRO 19-10-2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
જગતની ગત ન્યારી
માઉન્ટ એવરેસ્ટ કેમ દર વર્ષે ઊંચો વધી રહ્યો છે?
જગતની ગત ન્યારી
૪૮ વર્ષે નોકરી માટે કરેલી અરજી પાછી આવી
વિઝા વિમર્શ.
તમે આવું હવાલાનું કૌભાંડ કરો છો?
કંગના રનૌત હવે ટ્રિપલ રોલમાં!
કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં આવેલા ભામ્બલા (અત્યારના સુરાજપુર) ગામમાં જન્મી છે. આજે મંડી પ્રદેશની સાંસદ છે. તેની ઈમરજન્સી' ફિલ્મ સેન્સર સર્ટિફિકેટને લઈને અટકેલી છે. તેની સફળ ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ-૩'ના પણ સમાચાર છે.
બિંજ-થિંગ
પોલ્કા-ડૉટ્સ ક્વીન કલાકાર યાયોઈ કુસામા
સાંપ્રત
ટ્રમ્પ જીતશે તો મૂળ ભારતની ઉષા ખીલશે, નહીં તો કમલા તો છે જ!
ત્રણ દાયકા પહેલાં શોધાયેલી ધોળાવીરાની પથ્થરની ખાણ હવે રક્ષિત થઈ
ધોળાવીરામાં હજારો વર્ષો પહેલાં વસતાં લોકોએ નજીકમાં જ મળતાં સારા પથ્થરોનો ઉપયોગ પોતાના શહેરના બાંધકામ માટે કર્યો હતો. પથ્થરોનાં મણકા, વજનિયાં બનાવતાં હતાં. ૧૦૦ કિલો કે તેથી વધુ વજનના પથ્થરોને યોગ્ય ઘાટ આપીને, ઘડીને તેની નિકાસ સિંધુ સભ્યતાનાં અન્ય શહેરો, મેસોપોટામિયા સુધી કરાતી હોવાના પુરાવા મળ્યા છે. આ પથ્થરો જમીનની અંદરથી નહીં, પણ જમીન ઉપરથી જ મળતાં હતા. તેના પુરાવા આજે પણ જોવા મળે છે, અણઘડ કે અર્ધઘડ પથ્થરો તથા તે કાપતાં વધેલાં છોડિયાં ખાણની સાઇટ ઉપરથી જોવા મળે છે.
કવર સ્ટોરી
રાવણ મૃત્યુ નહીં, મુક્તિ ઇચ્છતો હતોઃ આશુતોષ
વિશ્વની પ્રત્યેક સંસ્કૃતિમાં યુદ્ધનાં દેવી દેવતા પૂજનીય છે.
વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજનની પરંપરા છે. આ શસ્રો સ્વરક્ષણ માટે છે. સ્વરક્ષણ માટે જ યુદ્ધ થાય છે. યુદ્ધ છે ત્યાં શસ્રો છે. શસ્ત્ર અને યુદ્ધ અભિન્ન છે. વિશ્વની પ્રત્યેક સંસ્કૃતિમાં યુદ્ધનાં દેવી-દેવતા છે અને તેની છે પૂજા-અર્ચના થાય છે. યુદ્ધનાં દેવી-દેવતા આપણું રક્ષણ કરે એ જ ઉદ્દેશ.
રાજકાજ
બિહારમાં પ્રશાંત કિશોરની નવી જનસુરાજ પાર્ટીનું ભાવિ શું?