અમદાવાદના વાસણા વિસ્તારના ઉપાશ્રયમાં ૬૮ વર્ષના જૈન આચાર્ય નંદીઘોષસૂરિજી લાકડાંની પાટ પર બેઠા છે. હાથમાં સિમ્પ્લિફાઈડ સાયન્ટિફિક ઍસ્ટ્રોલૉજી નામનું પુસ્તક છે અને એ કોઈ સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યા છે. એ જોઈને એમનાં દર્શને આવેલું જૈન દંપતી આશ્ચર્યમાં મુકાઈ જાય છે.
જૈનાચાર્યની પ્રવૃત્તિ જાણીને આમ પણ ઘણાને આશ્ચર્ય થાય છે. કારણ એ છે કે એમણે જૈન દર્શન અને વિજ્ઞાનનાં પુસ્તકો લખ્યાં છે. એ ઉપાશ્રયોમાં ધાર્મિક વ્યાખ્યાન તો અનેક સેમિનારમાં ખગોળશાસ્ત્ર, મંત્ર, ઓરામંડલ, વગેરે વિશે પ્રેઝન્ટેશન આપે છે. એ દૃષ્ટિએ નંદીઘોષસૂરિજી પ્રથમ વિજ્ઞાની જૈન આચાર્ય છે.
એમનો જન્મ ૧૯૫૫માં પંચમહાલ જિલ્લાના બાંડીબાર ગામમાં. મૂળ નામ નિર્મલ. જૈન દંપતી વિમળાબહેન અને નગીનદાસ શાહને ચાર સંતાન. સૌથી નાનો નિર્મલ વેજલપુર ગામની શાળામાં એસએસસી સુધી ભણ્યો. એ વખતે ગામમાં આવેલા જૈન મુનિ અભયસાગર ઉપાશ્રયમાં જંબુદ્વીપનો પટ (કાપડ પર સચિત્ર માહિતી) મૂકીને જૈન ભૂગોળ સમજાવતા. એમાં નિર્મલને રસ પડ્યો એટલે અભયસાગરે એની જિજ્ઞાસા સંતોષી.
આ તરફ, ધર્મપ્રેમી વિમળાબહેનની પ્રેરણાથી યુવાન પુત્રી વિદુલા નેમિસૂરિ સમુદાયમાં દીક્ષા લઈને સાધ્વી વિનીતપ્રજ્ઞાશ્રીજી બન્યાં તો નિર્મલે જૈન દર્શનના વૈજ્ઞાનિક સંશોધન માટે બહેનની દીક્ષાનાં આઠ વર્ષ પછી ૧૯૭૪માં સંસાર છોડ્યો. અઢાર વર્ષની વયે નેમિસૂરિ સમુદાયમાં દીક્ષા લઈને એ મુનિ નંદીઘોષવિજય બન્યા.
પછી તો એમણે સંસ્કૃત વ્યાકરણ, પ્રાકૃત વ્યાકરણ, આગમો, ધર્મગ્રંથો તથા ભૌતિકશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ભૂગોળ, ખગોળનો અભ્યાસ કર્યો. સમયે સમયે અનેક વિજ્ઞાની અને સંશોધકો સાથે પરિચય થયો. એમાંથી એમને લેખનનો શોખ જાગ્યો અને જાણીતા સામયિક નવનીત સમર્પણમાં એમના જૈન કાળચક્ર અને કૉસ્મિક કૅલેન્ડર તથા સજીવ સૃષ્ટિની ઉત્પત્તિ વિશેના લેખ પ્રકાશિત થયા.
Denne historien er fra September 25, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 25, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.