ડિયર નૅચર,
દેશમાં પહેલો નૅશનલ પાર્ક બન્યો ઉત્તરાખંડમાં. નામ છેઃ જિમ કૉર્બેટ નૅશનલ પાર્ક. અંગ્રેજોએ એની શરૂઆત કરી હતી અને એનું નામ હેલી નૅશનલ પાર્ક હતું. પછી રામગંગા થયું અને પછી એને જિમ કૉર્બેટનું નામ મળ્યું. ૧૨૮૮ ચોરસ કિલોમીટરનો એનો વિસ્તાર છે. ૧૯૭૩માં વાઘના સંવર્ધન માટેની ઝુંબેશ (પ્રોજેક્ટ ટાઈગર)ની શરૂઆત અહીંથી થઈ અને આજેય લોકો વાઘ જોવા અહીં આવે છે. જો કે હવે વાઘ પર અને એના ઘર પર એટલે કે આ જંગલ પર જોખમ ઊભું થયું છે, કારણ કે અહીં સેંકડો વૃક્ષો ગેરકાયદે કાપવામાં આવ્યાં છે અને ગેરકાયદે બાંધકામ પણ થયાં છે. વાત છેક કોર્ટ સુધી પહોંચી છે અને કોર્ટે સરકાર અને વન્યઅધિકારી ના કાન આમળ્યા છે.
આવું શા માટે થયું? અહીં કેટલાંક નિર્માણ માટે ૧૬૩ વૃક્ષો કાપવા માટે મંજૂરી અપાઈ અને કપાયાં ૬૦૫૩! શા માટે? કોર્ટે કહ્યું કે આ માત્ર કોઈ એકલદોકલ વન્યઅધિકારીનું કામ નથી. આ રાજકીય સાઠગાંઠ છે. એના વિના આ રીતે ઝાડ ના કપાય અને ગેરકાયદે નિર્માણ પણ ન થાય. કોર્ટે તો હવે બફર ઝોનમાં અને નજીકના વિસ્તારમાં જંગલ સફારી શરૂ કરવાની પરવાનગી માટે પણ એક સમિતિ બનાવી છે. એના અહેવાલ પછી જ આગળની મંજૂરી અપાશે. મામલો એટલો ગંભીર છે કે તપાસ પણ સીબીઆઈને સોંપવામાં આવી છે.
ખબર નહીં, પણ જંગલ હોય અને વન્યજીવો વસતા હોય ત્યાં માણસ શા માટે ઘૂસે છે? આવી ઘૂસણખોરી પણ વધતી જાય છે. એક અહેવાલ મુજબ તો દેશમાં દિલ્હી જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે એના સાત ગણા વનવિસ્તારમાં અતિક્રમણ થયું છે. સૌથી વધુ અતિક્રમણ ઈશાન ભારત માં થયું છે, જ્યાં કુદરતે છુટ્ટા હાથે સૌંદર્ય વેર્યું છે અને છેલ્લાં પાંચ વર્ષમાં તો આપણે દાટ વાળી દીધો છે. ૧૯૮૦થી અત્યાર સુધીમાં ૧૦.૨૬ લાખ હેક્ટર વન્યજમીન અન્ય કામ માટે આપી દેવામાં આવી છે. લોકોમાં આ મામલે જાગૃતિ વધી રહી છે અને તેમ છતાં છેલ્લાં પાંચ વર્ષમાં ૯૦,૦૦૦ હેક્ટર જેટલી જમીન જંગલના ખાતેથી ઓછી થઈ છે. ગુજરાત માં ૮૦૬૪ હેક્ટર તો મહારાષ્ટ્રમાં ૨૧૩૭ હેક્ટર વન્યજમીન ઉદ્યોગ, રસ્તા, ખનન કે વીજ પ્રોજેક્ટ માટે આપવામાં આવી.
Denne historien er fra March 25, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 25, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.