શું તમે જાણો છો કે આજે દુનિયાના ૯૧ ટકા લોકો દરરોજપ્રદુષિત હવા પોતાના શ્વાસમાં સમાવે છે. એકલું અમેરિકા જ દર વર્ષે ૬.૮ કરોડ ટન કાર્બન ડાયોક્સાઈડ હવામાં ઠાલવે છે. શહેરમાં અશુદ્ધ હવા જ નસીબે લખાતી હોવા છતાં આર્થિક કારણોસર હાલ વિશ્વની અડધાથી વધુ વસતિ શહેરોમાં રહે છે. વિટંબણા એ છે કે શહેરો પૃથ્વીનો માત્ર ત્રણ ટકા ભાગ રોકે છે એટલે શહેરોની ગીચતા વિશે વિચારી જુઓ. વળી, દુનિયામાં બનતી ઊર્જામાંથી ૭૫ ટકા શહેરોમાં વપરાય છે, જ્યારે પ્રદૂષણ ફેલાવવામાં શહેરોનો ફાળો એટલો જ ઊંચો છે.
શહેરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં ભલભલી સરકારો હાંફી જાય છે. પૃથ્વી પરનું માત્ર ત્રણ ટકા પાણી પીવાલાયક છે, જેમાંથી એક ટકા પાણી જ આપણી પહોંચમાં છે, બાકીનું પાણી બરફના રૂપમાં થીજેલું, ધરતીના પેટાળમાં ઊડે રહેલું છે.
આ ઉનાળામાં ભારતનાં અમુક શહેરોમાં તાપમાન પચાસ ડિગ્રી સેલ્સિયસને આંબી ગયું છે ત્યારે વિચારવા યોગ્ય તો એ વાત છે કે પૃથ્વી ફરતે રહેલું ઓઝોનનું સ્તર જો કાયમ માટે નષ્ટ પામે તો શું થાય? આમ તો એન્ટાર્કટિકા ખંડને માથેથી ઓઝોન રૂપી છત આપણે છીનવી જ ચૂક્યા છીએ અને હવે એ ગોખલાને રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે. કદાચ ૨૦૪૦થી ૨૦૦૦ સુધીમાં એમાં સફળતા મળશે.
ઓઝોનના નાશ માટે જવાબદાર તત્ત્વોના ઉપયોગ પર લગામ કસવા ૧૯૮૭માં એક વૈશ્વિક કરાર થયો હતો, જેની અંતર્ગત અત્યાર સુધીમાં ક્લોરિન અને બ્રોમિન જેવાં હાનિકારક તત્ત્વોનો ઉપયોગ અનુક્રમે ૧૧.૫ અને ૧૪.૫ ટકા જેટલો ઓછો થયો છે. નોંધપાત્ર ગણો તો માત્ર અમુક કેમિકલના ઉપયોગ પર નિયંત્રણ લાદવાથી દર વર્ષે આશરે બે કરોડ લોકો સ્કિન કૅન્સરનો શિકાર થતાં બચી જશે.
કુદરતને છછેડો તો બદલામાં કુદરત રૂઠે જ ને! ૧૯૮૦થી અત્યાર સુધી પૃથ્વી પર દસેક હજાર કરતાં વધારે કુદરતી આફત ત્રાટકી છે, જેમાં જાનમાલને નુકસાન થયું હોય. એ સિવાય દૂર વગડામાં અથવા તો ખુલ્લા સમુદ્રમાં આવીને જતી રહેતી પ્રાકૃતિક આપદાનો સરવાળો ક્યાંય પહોંચે.
જમીન પરનું વૃક્ષોનું કવચ નાશ પામી રહ્યું છે ને આકાશ અને પાણીમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. આમ ક્યાં સુધી ચાલશે?
Denne historien er fra June 17, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 17, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.