વિશ્વાસનો ચમત્કાર...
ઈતિહાસના સૌથી મહાન સંશોધક થોમસ આલ્વા એડિસન નાના હતા ત્યારે એક દિવસ સ્કૂલેથી ઘરે આવીને માતાને એક ચિઠ્ઠી આપી અને કહ્યું: ‘ટીચરે આ ચિઠ્ઠી માત્ર તને જ આપવા કહ્યું છે.’
પત્ર વાંચીને માતાની આંખો ભરાઈ આવી અને એણે ચિઠ્ઠી મોટેથી વાંચી સંભળાવીઃ ‘તારો દીકરો જિનિયસ છે. આ સ્કૂલ એના માટે નાની પડે છે અને એના માટે સારા ટીચર નથી. તું એને જાતે ભણાવજે.’
વર્ષો વીતી ગયાં. માતાનું અવસાન થઈ ગયું હતું. એડિસને અનેક સંશોધન કરીને દુનિયામાં નામ કમાયું હતું. એક દિવસ એ પરિવારની ચીજવસ્તુઓમાં ખાંખાંખોળા કરતા હતા એમાં ટેબલમાંથી ગડી વાળેલો કાગળ મળ્યો, એમાં લખ્યું હતુંઃ ‘તારો દીકરો મંદબુદ્ધિ છે. આ સ્કૂલ માટે એ યોગ્ય નથી. એને હવેથી ના મોકલીશ.’
એ દિવસે એડિસન ખૂબ રડ્યો અને રાતે ડાયરીમાં લખ્યું: ‘થોમસ આલ્વા એડિસન મંદબુદ્ધિ બાળક હતો, પણ માતાના વિશ્વાસથી સદીનો જિનિયસ સાબિત થયો!'
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં આવેલા મુઘલ ગઢી નામના ગામમાં, બીજી જુલાઈના રોજ સૂરજપાલ સિંહ જાટવ ઉર્ફે ભોલે બાબાના સત્સંગમાં મચેલી નાસભાગમાં ૧૨૩ લોકો ચગદાઈ મર્યા, એને તમે શું કહેશો, શ્રદ્ધા કે અંધશ્રદ્ધા?
બધા જ લોકો એક અવાજે કહેશે કે આ અંધશ્રદ્ધા હતી, એમ કંઈ એક બાબાની ચરણરજ લેવાથી થોડું ભલું થાય!
મજાની વાત એ છે કે જે લોકો નવી કાર સલામત રહે એવી શ્રદ્ધા સાથે એના ટાયર નીચે લીંબુ ફોડે છે અથવા નવા ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે એવી આશામાં એની બારસાખે મરચું લટકાવે છે એ પણ એવું માને છે કે સત્સંગ કરીને જઈ રહેલા બાબા પાછળ એમની ચરણરજ કપાળે લગાવવા માટે દોડેલા લોકો અંધશ્રદ્ધાળુ હતા.
ભારતમાં આ ઘટના પહેલી નથી. ૧૯૫૪થી લઈને ૨૦૧૬ સુધી કોઈ ને કોઈ ધાર્મિક પ્રસંગે બનેલી નાસભાગની કુલ ૩૨ ઘટનામાં ૨૨૬૨ લોકોએ જીવ ગુમાવ્યા છે, એમાં ઘણી ઘટના તો મંદિરોમાં બની છે એટલે શ્રદ્ધા કોને કહેવી અને અંધશ્રદ્ધા કોને કહેવી એ મુશ્કેલ થઈ જાય છે.
Denne historien er fra July 29, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 29, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.