કારગિલ, સિયાચીન બેઝ કૅમ્પ, ઉરી, પૂંચ, રાજૌરી, કૂપવારા, નથુ લા – સિક્કિમ) સહિત ત્રીસ જેટલા સરહદી વિસ્તારોની એણે ચારેક વર્ષમાં મુલાકાત લીધી છે. ના, એ સેનાનો ઉચ્ચ અધિકારી, રાજકીય મહાનુભાવ કે સેલિબ્રિટી નથી... અને સૈનિક સુદ્ધાં નથી. છતાંય સરહદ પર ગૌરવભેર જઈને જવાનો સાથે મુલાકાત કરીને એણે પ્રેમભર્યો આવકાર મેળવ્યો છે.
એનું નામ છે અથર્વ તિવારી. દિલ્હીનો બાર વર્ષનો અથર્વ અતૂટ દેશપ્રેમ અને સૈનિકો પ્રત્યે અદમ્ય આદરભાવથી છલોછલ છે. સાથે સહનશીલતા, સાહસ, સજ્જતા અને સંકલ્પ જેવા ગુણો એની ઉંમરથી અધિક ચડિયાતા છે.
તબીબદંપતી ક્લિનિકલ ચાઈલ્ડ સાઈકોલૉજિસ્ટ ડૉ. નિશા અને ડેન્ટલ સર્જન ડૉ. મનીષ તિવારીના પુત્ર અથર્વને બાળવયથી સૈનિક બનવાની ઈચ્છા. એ રમકડાની ગનથી રમે. સાથે ગોદડાં, ઓશીકાનું બંકર બનાવી એમાં છુપાઈને સૈનિક બનીને ટૉય ગનથી ફાયરિંગની મોજ લે.
અત્યારે હજી કિશોરવયનો હોવાથી સૈનિક બનવાનો શોખ એ ભવિષ્યમાં કદાચ પૂરો કરી શકે, પરંતુ એનામાં ભારોભાર દેશપ્રેમ વિકસ્યો ઘરને બદલે હૉસ્પિટલના બિછાને. વર્ષ ૨૦૧૭માં પાંચ વર્ષનો અથર્વ માર્શલ આર્ટ ટેક્વાન્ડોમાં ફર્સ્ટ બેલ્ટ મેળવવા પ્રેક્ટિસ કરતો હતો. એ અરસામાં અચાનક ડાબા પગમાં દુખાવો થયો. છેક ઑર્થોપેડિક સર્જનની સારવાર લીધી, પણ પીડા યથાવત્. એમઆરઆઈમાં નિદાન થયું ઓસ્ટિયોસાર્કોમા તરીકે ઓળખાતું બોન (હાડકાનું) કૅન્સર.
એ દિવસોમાં અથર્વનાં મમ્મી ડૉ. નિશા ગર્ભવતી હતાં. એમાં દીકરાને આ ગંભીર રોગ આવ્યો. જો કે પછીના દિવસોમાં અથર્વની દિલ્હીની મેક્સ હૉસ્પિટલમાં બે સર્જરી અને બાયોપ્સી થઈ. એઈમ્સ હૉસ્પિટલમાં આઠેક મહિના કિમોથેરાપી પણ ખરી. એને દવા ચડાવવા હાથમાં ટ્યૂબ લગાવી હતી. એમાં દર પંદર દિવસે ટાંકા લે ત્યારે ખૂબ દુખાવો થતો. એ આખું વર્ષ અથર્વ હૉસ્પિટલમાં રહ્યો. એ વખતે ડૉ. નિશા નવજાત દીકરી અથીરા અને બીમાર અથર્વની સંભાળ લેતાં.
છેવટે અથર્વ કૅન્સરમાંથી મહામહેનતે સાજો થયો, પરંતુ પગનો દુખાવો મટતો નહોતો. વધુ ચકાસણીમાં ડૉક્ટરનો મત થયો કે અથર્વનો ડાબો પગ કાપવો પડશે! માતા-પિતાએ હા પાડ્યા વિના છૂટકો નહોતો. આખરે ફેબ્રુઆરી, ૨૦૧૮માં એનો ડાબો પગ કાપવો પડ્યો. એ માટેની રોટેશન પ્લાસ્ટિ સર્જરી ચાલી પૂરા તેર કલાક!
Denne historien er fra July 29, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 29, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
નવ વર્ષ મેં કંઈ દીકરીનાં લગ્નની ઉંમર છે?
છોકરી શારીરિક અને માનસિક રીતે પરિપક્વ ન થાય ત્યાં સુધી કોઈ પણ સંબંધમાં ‘સલામત અંતર’ રાખવું હિતાવહ છે.
સામતા પર કેમ મેળવશો અંકુશ
તમને કે બીજાને નુકસાન પહોંચાડી શકે એવું વર્તન બદલવા આટલું કરો.
ચોમાસું છે ત્યાં સુધી મકાઈ ખાઈ લો..
આમ તો હવે લગભગ બારે મહિના કૉર્ન મળે છે, પરંતુ વરસાદમાં મસાલેદાર ડૂંડાંની મજા કંઈક વિશેષ છે.
પ્રકૃતિ વચાળે તાજગીનો શ્વાસ લેવા નીકળો છો ને?
મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતના ગ્રામ્યવિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ધરતીએ લીલીછમ ચાદર ઓઢી હોય એવું દૃશ્ય હરકોઈનું મન મોહી લે છે ત્યારે કૉન્ક્રીટનાં જંગલોથી દૂર જઈને પ્રકૃતિના ખોળે રમવા વધુ ને વધુ લોકો બહાર નીકળી રહ્યા છે.
જુવાન દીકરીને જોખમ સમયે મદદ કરે એવી કોઈ ઍપ ખરી?
ઘરનાં મહિલા સદસ્યોના ફોનમાં આમાંથી કોઈ એક ઍપ અને આ બન્ને હેલ્પલાઈન નંબર છે કે નહીં એ આજે જ ચેક કરજો...
હવે પડશે દ્વારકાનો વટ...
પ્રાચીન મંદિરોમાં યાત્રાળુઓને વધુ મોકળાશ, વધુ સુવિધા, વધુ આરામ મળી રહે એ હેતુથી કાશી, મહાકાલ અને અયોધ્યાના કોરિડોર બન્યા છે. એ જ ધોરણે ગુજરાત સરકારે દ્વારકા અને બેટ દ્વારકાની કાયાપલટ કરવાનું આયોજન કર્યું છે. આગામી સમયમાં દ્વારકાધીશની નગરી કદાચ આપણે ઓળખી ન શકીએ એવી બની જાય.
તીર્થરક્ષા માટે જંગ છેડ્યો એક સાધુ... અને એક સંસારી સ્ત્રીએ
પર્યટનસ્થળ તરીકે વિકસાવવાની સાથે આવતી કેટલીક અનીતિથી જૈનોના યાત્રાધામ સમ્મેત શિખરજીને બચાવવાને લગતો કેસ આખરે વીસ વર્ષે સુપ્રીમ કોર્ટમાં ખૂલ્યો છે ત્યારે જોઈએ, આ સંકટ નિવારવા અદાલતની બહાર શું ચાલી રહ્યું છે.
ભોજનનો બગાડ અટકાવી ભૂખ્યાને ભોજન આપીએ...
ઘરે કે હોટેલમાં, કોઈ પાર્ટીમાં કે લગ્નસમારંભમાં આપણે કેટલું અન્ન વેડફીએ છીએ એનો કોઈ અંદાજ જ આપણને નથી. કમોસમી વરસાદને કારણે ખેતરમાં પલળીને બગડી જતાં કે ગોદામોમાં સરખી સાચવણને અભાવે સડી જતાં અનાજના જથ્થાના પ્રમાણ વિશે પણ આપણે અજાણ છીએ. આપણે સુધરવાનું નામ ક્યારે લેશું?
હરિશંકર પરસાઈની વ્યંગની વાંસળી
ગુજરાતી વાચકોએ હિંદી ભાષાના આ અનન્ય સર્જકનો પરિચય કેળવવા જેવો છે. એમણે ભારતીય સમાજની અને રાજનીતિની એવી સૂક્ષ્મતાઓને ઉજાગર કરી હતી, જે ભાષાની સીમા તોડીને હરેક ભારતીયનાં દિલને સ્પર્શતી હતી. આઝાદી પહેલાંના ભારતને સમજવા માટે પ્રેમચંદને અને આઝાદી પછીની પરિસ્થિતિને સમજવા માટે હરિશંકર પરસાઈને વાંચવા જરૂરી છે.
સ્ટેજ નું કૅન્સર? ડરવાની નહીં, યોગ્ય સમયે નિષ્ણાત ડોક્ટરો પાસે સારવારની જરૂર છે...
HIPEC મશીન દ્વારા કીમોથેરેપી સોલ્યુસનથી સારવાર