પોલિટિકલ અસાઈલમઃ નીતિ અને રાજનીતિ
Chitralekha Gujarati|September 02, 2024
બાંગ્લાદેશમાં લાંબી ઈનિંગ્સ રમ્યા બાદ શેખ હસીનાની સરકારનું આ મહિનાના આરંભમાં પતન થયું. અત્યારે એ ભારતમાં રાજકીય આશરો લઈ રહ્યાં છે. તિબેટિયનોના આધ્યાત્મિક વડા દલાઈ લામા અને સંગીતકાર નદીમ સૈફીથી લઈને દેશ-દુનિયાની કંઈકેટલી જાણીતી વ્યક્તિ પોતાનો દેશ છોડી જેના સહારે પરદેશમાં વસી જાય છે એ પોલિટિકલ અસાઈલમનો કાયદો શું છે?
નિતુલ ગજ્જર । ઉમંગ વોરા
પોલિટિકલ અસાઈલમઃ નીતિ અને રાજનીતિ

થોડા સમય પહેલાં આવેલી રાજકુમાર હીરાણીની ડન્કી ફિલ્મમાં શાહરુખ ખાન-તાપસી પન્નૂ અને મિત્રો લંડનમાં ગેરકાયદે ઘૂસતાં પકડાય છે.

એમની પર કેસ ચાલવાનો હોય છે ત્યારે એક દેશી વકીલ (દેવેન ભોજાણી) એમને સલાહ આપે છેઃ ‘તમે નામદાર ન્યાયાધીશને ખોટું ખોટું એમ કહો કે ભારતમાં અમારી પર જુલમ થાય છે, ત્યાં રહેવા જેવું નથી... એટલે તમને આ દેશમાં આશ્રય મળી જશે. પછી અહીં કાયમ માટે કાયદેસર રહી શકશો.'

શાહરુખ જો કે એમ કરવાની ના પાડી દે છેઃ ‘ભારત પાછાં મોકલી દેવાં હોય તો મોકલો, પણ હું ભારતનું નામ બદનામ નહીં કરું.’

ફિલ્મ પરથી વાસ્તવિકતા પર આવીએ તો હમણાં ભડકે બળેલા બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના ભારતમાં રાજકીય આશ્રય અથવા પોલિટિકલ અસાઈલમ મેળવે એવી વાત છે. છેલ્લા ઘણા મહિનાથી બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કરતાં ચાર ઓગસ્ટે શેખ હસીના ઢાકાથી એક માલવાહક વિમાનમાં ઊડીને દિલ્હી પહોંચ્યાં હતાં.

અલબત્ત, છેલ્લા સમાચાર મુજબ, બાંગ્લાદેશના હંગામી વિદેશપ્રધાન

મોહમ્મદ હુસૈન ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની વાટાઘાટ ચલાવી રહ્યા છે, કારણ કે હસીના પર મર્ડર, ટૉર્ચર અને સામૂહિક હત્યાના આરોપ છે, એ અંગે કેસ પણ ચાલી રહ્યા છે.

એમ તો ભારત આવતાં પહેલાં શેખ હસીનાએ યુનાઈટેડ કિંગ્ડમ પાસે રાજકીય આશ્રયની માગ કરી હતી, પણ યુકે સરકારે એમને નજીકના, ઝડપથી પહોંચી શકાય એવા દેશમાં જવાની સલાહ આપી આથી એ ગાઝિયાબાદના હિંડન ઍરબેઝ પર ઊતર્યાં હતાં. ૧૯૭૧માં સ્થાનિક રહેવાસીઓની સશસ્ત્ર ક્રાંતિને પગલે ઈસ્ટ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ બનેલા આ રાષ્ટ્રના સ્થાપક શેખ મુજીબ-ઉર-રહેમાન અને એમના પરિવારના સાત સભ્યોને બાંગ્લાદેશી સૈનિકોએ મારી નાખ્યા (ઓગસ્ટ, ૧૯૭૫) ત્યારે જર્મનીમાં પતિ અને બહેન સાથે રહેતાં શેખ હસીનાએ ઈન્દિરા ગાંધી પાસે મદદ માગી હતી. ઈન્દિરા ગાંધીએ એમને દિલ્હી તેડાવી લઈ રાજકીય આશ્રય આપ્યો હતો. ૧૯૮૧માં બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સુધરતાં શેખ હસીના પોતાના દેશ પાછાં ફર્યાં હતાં. હવે ભારત કે બીજા કોઈ દેશ હસીનાને રાજ્યાશ્રય આપે છે કે નહીં એ જોવાનું છે.

ચીને તિબેટ પર કબજો જમાવવા માંડ્યો ત્યારે દલાઈ લામા ભારત નાસી આવ્યા અને ભારતે એમને રાજકીય આશ્રય પણ આપ્યો.

Denne historien er fra September 02, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra September 02, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 mins  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 mins  |
September 16, 2024
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
Chitralekha Gujarati

આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?

આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.

time-read
3 mins  |
September 16, 2024
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
Chitralekha Gujarati

યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે

અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.

time-read
3 mins  |
September 16, 2024
બાપ્પાને ચઢાવો બેસનના લાડુ કોપરાની બરફીનો ભોગ
Chitralekha Gujarati

બાપ્પાને ચઢાવો બેસનના લાડુ કોપરાની બરફીનો ભોગ

જ દુંદાળા દેવ માટે ઘરે જ બનાવો ગણરાયાને પસંદ આવે છે એવો પ્રસાદ.

time-read
4 mins  |
September 16, 2024
સૌંદર્યના વ્યવસાય સાથે અનેક મહિલાનાં જીવનની નવરચના
Chitralekha Gujarati

સૌંદર્યના વ્યવસાય સાથે અનેક મહિલાનાં જીવનની નવરચના

પિતાની ઈચ્છા હતી કે એ ડૉક્ટર બને, પરંતુ એને તો સ્ત્રીઓને પગભર કરવા માટે કામ કરવું હતું. હાથની રેખા એને લગ્ન પછી દુબઈ લઈ ગઈ. પછી એ જ હાથે હજારો યુવતીઓને મેંદી મૂકી એણે પોતાનું તકદીર લખ્યું અને બીજી મહિલાઓને પણ એ કામ શીખવી કમાણી કરતાં શીખવ્યું. એમની આ મહેનતનો રંગ ક્યારેય નહીં ઊતરે.

time-read
3 mins  |
September 16, 2024
એક સાધારણ શિક્ષકે આખા ગામને અપાવી અસાધારણ સિદ્ધિ
Chitralekha Gujarati

એક સાધારણ શિક્ષકે આખા ગામને અપાવી અસાધારણ સિદ્ધિ

સૌરાષ્ટ્રમાં કોડિનાર નજીક આવેલા સરખડી ગામની ઓળખ એક શિક્ષકે અપાર સંઘર્ષ અને ધૈર્યથી બદલી નાખી છે. આજે આ ગામ દેશભરમાં ‘વૉલીબૉલ વિલેજ’ તરીકે જાણીતું બન્યું છે. શિક્ષક દિન નિમિત્તે જાણીએ, એમની જહેમતની જોશભરી વાત.

time-read
4 mins  |
September 16, 2024
અનોખી પ્રતિજ્ઞા... અખંડ શ્રદ્ધા
Chitralekha Gujarati

અનોખી પ્રતિજ્ઞા... અખંડ શ્રદ્ધા

ગુજરાતના છેવાડાના ગામ રામગ્રીમાં એક જૈન મુનિએ જીવદયાની સમજ આપી અને એ માટે ગામલોકો પાસે પ્રતિજ્ઞા લેવડાવી, જે એક તક્તીમાં અંકિત થઈ. રામગ્રીમાં જૈનોની વસતિ નથી, પણ ગામના તમામ જૈનેતર લોકો ૭૭ વર્ષથી એ પ્રતિજ્ઞા પાળે છે. આવો જાણીએ, એક ગામની અતૂટ શ્રદ્ધાની કથા.

time-read
4 mins  |
September 16, 2024
પાછલા ચોમાસે પણ વીજળીથી તો રહો સાવધાન
Chitralekha Gujarati

પાછલા ચોમાસે પણ વીજળીથી તો રહો સાવધાન

વરસાદી વાદળમાંથી સરીને પૃથ્વી પર પટકાતી અગ્નિરેખા એટલે વીજળી. ચિત્ર, તસવીર કે ફોટોફ્રેમમાં અદ્ભુત રંગછટા વેરતી આ આકાશી વીજ ખરેખર તો દર વર્ષે વિશ્વના ૪૫,૦૦૦થી વધુ લોકોનો ભોગ લે છે. આપણાં કમનસીબે વીજળીથી થતી જાનહાનિમાં ભારત અગ્રસર છે.

time-read
4 mins  |
September 16, 2024
ચેતનાના સામાજિક-રાષ્ટ્રીય રંગોથી રંગાયેલો અવસર
Chitralekha Gujarati

ચેતનાના સામાજિક-રાષ્ટ્રીય રંગોથી રંગાયેલો અવસર

સ્વતંત્રતા સંગ્રામમાં એકતાના પ્રતીક રૂપે ખીલેલા ગણેશોત્સવે પાછલાં વર્ષોમાં કંઈકેટલા રંગ બદલ્યા. દરેક પ્રાંતમાં એની ઉજવણીનો માહોલ જુદો એ ન્યાયે ડાયમંડ નગરી સુરતમાં આ ઉજવણીનાં રૂપ-રંગ અનોખાં છે.

time-read
5 mins  |
September 16, 2024