એના પિતા અનુભાઈ તેજાણી સુરતના ડાયમંડ બિઝનેસનું જાણીતું નામ. પતિ જગદીશ ઈટાલિયા શિક્ષણ, કળા અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું પ્રતિષ્ઠિત નામ. આ બન્નેની ઘટાટોપ છાયા વચ્ચે તેજસ્વી કિરણ જેવી ઓળખ બનાવવી એ એક કપરું કામ હતું.
એની પાસે દુનિયાનું બધું સુખ હતું. નહોતી તો એની પોતાની આગવી ઓળખ. જો કે ધીરજ, મહેનત અને ખંતથી એણે એ ઓળખ પ્રાપ્ત કરી, એ પણ ઘર અને કરિયર વચ્ચે અદ્ભુત બૅલેન્સ રાખીને. આજે એને લોકો પિતા કે પતિના નામે નહીં, પણ એણે પોતે ઊભી કરેલી ઓળખથી પિછાણે છે. એનું નામ છેઃ અજિતા ઈટાલિયા.
સિન્સિયર્લી યૉર્સ... આ શબ્દ મને બહુ ગમે છે. સ્ત્રી એની સાથે જોડાયેલી પ્રત્યેક વ્યક્તિ માટે એની બનીને આખી જિંદગી જીવી જતી હોય છે. આવું કરતાં ક્યારેક એને કંટાળો આવે, રડવું પણ આવે. હું શા માટે આ બધું વેંઢારું છું? એવો સવાલ પણ થાય, છતાં એ બધા સવાલની વચ્ચે એ સિન્સિયર્લી યૉર્સ કહેતાં કહેતાં આંખોની ભીનાશ વચ્ચે સપનાં સાચવીને જીવતી રહે છે... અજિતા ઈટાલિયા પોતાની ડાયરી (સિન્સિયર્લી યૉર્સ)ની પૂર્વભૂમિકામાં આ શબ્દો લખીને ઉમેરે છેઃ આમ તો આ એક અંગત ડાયરી છે, પણ એ દરેક સ્ત્રીની ડાયરી હોઈ શકે છે.
આજે આ અજિતા ઈટાલિયા પ્રિયદર્શિની સમક્ષ એની જિંદગીની ડાયરીનાં પાનાં ખોલે છે...
ડાયમંડ બિઝનેસમૅન અનુભાઈ તેજાણી અને મંજુલાબહેન તેજાણીનું એકમાત્ર સંતાન એટલે અજિતા. અજિતાનો જન્મ એના મામાને ઘરે સૌરાષ્ટ્રના ગારિયાધારમાં. નર્સરીનો અભ્યાસ ડાયમંડ નગરીમાં અને પછી પરિવાર મુંબઈ શિફ્ટ થયો એટલે છ ધોરણ સુધીનું શિક્ષણ માયાનગરી મુંબઈમાં. જો કે કામકાજને કારણે પરિવાર ફરી સુરત આવી ગયો એટલે બારમા ધોરણ સુધીનું શિક્ષણ સુરતની લુડ્સ કૉન્વેન્ટ સ્કૂલમાં.
Denne historien er fra October 07, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 07, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
સોશિયલ મિડિયા એડિક્શનઃ તમે ભાન ભૂલી ગયા છો?
બીજાની ‘લાઈક્સ’ મેળવવાનો નશો વળગણ બની જાય એ પહેલાં ચેતો તો સારું.
આ બચૂકડાં બિયાં છે બડાં ગુણકારી
જીવનજરૂરી સત્ત્વોથી ભરપૂર સીડ્સ ઘણી બીમારી સામે આપે છે રક્ષણ.
કંઈ કરવાની જરૂરત નહોતી, પણ એને તો ઝંખના હતી સ્વઓળખ મેળવવાની
એનો જન્મ જાહોજલાલી વચ્ચે થયો. ધનાઢ્ય પિતાની એકમાત્ર દીકરી તરીકે ઉછેર પણ ભારે લાડકોડભર્યો અને પછી સાધનસંપન્ન પરિવારમાં લગ્ન. સુખસાગરથી છલોછલ આ નારીને તેમ છતાં કંઈક અધૂરપ લાગતી, હજી કંઈક ખાલીપો છે એવું લાગતું. એ ખાલી જગ્યા હતી સ્વઓળખ માટેની, જેને મેળવવા માટેની જાત સાથેની જ લડાઈ અનેક મહિલાને પ્રેરણા આપે છે.
ભારતના દિલમાં વાઘ ઉપરાંત શું શું છે જોવા જેવું?
સાતપૂડા ટાઈગર રિઝર્વ મધ્ય પ્રદેશમાં છ-છ ટાઈગર રિઝર્વ છે. જો કે એ બધાંમાં સાતપૂડાનું સ્થાન કંઈક ઔર છે. ખાસ્સો મોટો વિસ્તાર અને એમાં વન્યજીવોની ભરમાર. છોગામાં, સદીઓ અગાઉના રૉક પેન્ટિંગ્સ સાથેની અનેક ગુફા સાતપૂડાને અન્ય જંગલથી અલગ પાડે છે. વળી, એની નજીકમાં જ છે મધ્ય પ્રદેશનું કશ્મીર ગણાતું પંચમઢી હિલસ્ટેશન.
નકલી ઘી એટલે ક્ષતિ કે ષડયંત્ર?
બાલાજી મંદિર ૧૮૫૭માં ગૌમાંસની ચરબી ચોડેલા કારતૂસની અફવા પ્રસરી ત્યારે અંગ્રેજો સામે ભારતીયોએ વિપ્લવ કર્યો હતો, હવે તિરુપતિના વેંકટેશ્વરા મંદિરના લાડુપ્રસાદમાં વપરાયેલાં ઘીમાં ગાયની ચરબી તથા અન્ય વાંધાજનક સામગ્રી મળી હોવાના લૅબ રિપોર્ટથી દુનિયાભરના હિંદુઓ ખળભળી ઊઠ્યા છે. વિશ્વમાં સૌથી ધનિક ગણાતા આ બાલાજી મંદિરનું સંચાલન રાજ્ય સરકાર નિયંત્રિત બોર્ડના હાથમાં છે. નકલી ઘીનો વર્તમાન વિવાદ મોટી આગ પકડશે તો આ દેવસ્થાનમમાં ભક્તોએ ભાવથી ચઢાવેલી રોકડ ભેટનો ઉપયોગ ઈતર ધર્મીઓના તુષ્ટીકરણ માટે થતો હોવાનો અને એના વહીવટી મંડળમાં બિનહિંદુઓના સમાવેશના મુદ્દા પણ ઊછળશે જ.
વેદનાની હાઈ-ટેક વસૂલાત...
પેજર, વૉકીટૉકી બૉમ્બધડાકા, એક જ હવાઈ હુમલામાં સાડા ચારસોથી વધુ લેબનીસ નાગરિકનાં મોત... લેબેનોનમાં હિઝબુલ્લાહના વિનાશવાદીઓ સામે બદલો લેવા ઈઝરાયલે કરેલા હાઈ-ટેક અટેક પાછળ જેનું ભેજું કામ કરે છે એ યુનિટ તથા એની વિવિધ કામગીરીની અલ્પ જાણીતી વાતો.
જૂથવાદનો ગિરનારી પવન કોનું વહાણ ડુબાડશે?
ભાજપમાં એક તરફ સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં જવાહર ચાવડાએ પાર્ટી સામે જાહેરમાં જંગ છેડીને પ્રદેશ નેતાગીરીને પડકારી છે.
૩૬૫ દિવસ ૨૪ કલાક ખુલ્લું રહેતું પુસ્તકાલયઃ ન કોઈ ડિપોઝિટ-ન લવાજમ
આ છે જિતુભાઈ ચૂડાસમાની તાળાં વારની લાઈબ્રેરી: અહીં તો વાચકો જ બને છે પુસ્તકોના રખેવાળ.
મન કે ઝરોખે મેં ઝાંક કર તો દેખિયે...
‘રણ સહસ્ર યોદ્ધા લડે, જીતે યુદ્ધ હજાર, પર જો જીતે સ્વયં કો, વહી શૂર સરદાર.’ અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ જેવા ભવરોગથી મુક્તિ પામવા સ્વયંને જીતવાની સાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સંસારની દરેક વ્યક્તિ બુદ્ધપદે ન પહોંચી શકે, પણ બુદ્ધે આપેલી વિપશ્યના સાધનાના અભ્યાસ થકી પોતાના મનને તો જીતી જ શકે. અઢી સૈકા જૂની, પણ ભારતમાંથી લુપ્ત થયેલી આ પ્રાચીન ધ્યાનપદ્ધતિને પંચાવન વર્ષ પહેલાં ફરી સ્વદેશ લઈ આવનારા સત્યનારાયણ ગોએન્કાજીએ મુંબઈમાં નિર્મિત કરેલા પગોડામાં ભગવાન બુદ્ધનો સંદેશ હવે લાઈટ ઍન્ડ સાઉન્ડ મ્યુઝિયમ રૂપે સમજવા મળે છે.
આપણે કોની પાછળ ભાગીએ છીએ?
આંબી શકતા નથી ચરણ એને એટલી ઝડપે પ્યાસ ચાલે છે એમ ચાલે છે જિંદગી જાણે જિંદગીનો રકાસ ચાલે છે.