અલગ-અલગ -અલગ પ્રકારનું પર્યાવરણ, તાપમાન ધરાવતા વિશાળ ભારત દેશમાં સજીવ સૃષ્ટિ પણ ભારે વૈવિધ્યપૂર્ણ છે. સિંહ, વાઘ જેવાં મોટાં માંસાહારી પ્રાણીઓથી માંડીને સસલા, હરણા જેવાં તૃણાહારી પ્રાણીઓ પણ જોવા મળે છે. જોકે અત્યાર સુધી વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યે જોઈએ તેવું ધ્યાન અપાયું ન હતું. તેના કારણે અનેક સજીવો નામશેષ થયા છે અથવા થવાની કગાર ઉપર છે. જૈવવૈવિધ્ય જાળવી રાખવા, કુદરતની શૃંખલા જળવાઈ રહે તે માટે તેમનું અસ્તિત્વ ટકી રહે તે માટે પ્રયત્ન કરવા જરૂરી બન્યા છે. વિશ્વનું સૌથી વધુ ઝડપે દોડનારું વન્ય પ્રાણી ચિત્તા એક જમાનામાં ભારતમાં રુબાબથી વિચરતું હતું, પરંતુ તે માનવીય અવિચારીપણાનો ભોગબનીને નામશેષ થઈ ગયું છે. બ્રિટિશ શાસન દરમિયાન રાજામહારાજાઓ દ્વારા થયેલા બેફામ શિકારનો તે ભોગ બન્યા હતા. આ ઉપરાંત છેલ્લા થોડા દાયકાથી ઘટતાં જંગલો, ઘટતી રહેઠાણની જગ્યા અને શિકારનાં પ્રાણીઓની સંખ્યા, વધેલી પશુપાલકોની સંખ્યા પણ ચિત્તા નામશેષ થવા માટે જવાબદાર છે.
એશિયાઈ ચિત્તા માત્ર ઈરાનમાં જ છે. તે પણ માત્ર બે અંકી વર્ષ સંખ્યામાં. ૨૦૨૨માં ૧૨ જ હતા અને વર્ષ ૨૦૨૩માં તેની સંખ્યા ૩૦થી ૪૦ હોવાનું નોંધાયું છે. હવે ફરી વખત ભારતમાં ચિત્તાના સંવર્ધન માટે સરકાર પ્રયત્ન કરી રહી છે.
જોકે એશિયાઈ ચિત્તાની સંખ્યા ખૂબ જ ઓછી હોવાના કારણે તેનું પુનર્વસન ભારતમાં કરી શકાય તેમ નથી. આથી દક્ષિણ આફ્રિકાના દેશ નામિબિયાથી આફ્રિકન ચિત્તા લાવીને તેને મધ્યપ્રદેશના કુનો અભયારણ્યમાં ઉછેરવા, વસાવવા પ્રયત્ન થઈ રહ્યો છે. જે ચિત્તાઓ આવ્યા છે તેમાંથી ઘણાનાં મોત થયા છે, પરંતુ તે ઘટના કુદરતી હોવાનું નિષ્ણાતો માને છે. કોઈ પણ સજીવને તેના કુદરતી આવાસથી બીજી જગ્યાએ વસવા માટે સ્થિર થવામાં ૩-૪ પેઢીનો સમય તો લાગતો જ હોય છે. કુનો અભયારણ્ય પછીના બીજા તબક્કામાં નિષ્ણાતોની દેખરખ હેઠળ બંધ આવાસમાં પ્રજનન (કેપ્ટિવ બ્રિડિંગ) કરાવવા પ્રયત્ન થઈ રહ્યા છે. જે માટે કચ્છના બન્ની પ્રદેશ ઉપર પસંદગી ઉતારાઈ છે. બન્નીનાં ઘાસિયાં મેદાનમાં ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન માટેના રાજ્ય સરકારના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયે મંજૂરી આપતાં હવે કચ્છમાં ચિત્તાનાં પાવન પગલાં થઈ શકશે. આ માટે ઘડીઓ ગણાઈ રહી છે. આ પ્રોજેક્ટનો ફાયદો કચ્છમાં એક મોટા ઉદ્યોગની જેમ ઊભરી રહેલા પ્રવાસનને પણ થશે.
This story is from the January 06, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 06, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ
નંદિનીનું વડું મથક જીપીએસ સિસ્ટમ મારફત ટૅન્કરો પર નજર રાખશે. ટૅન્કરો પર ગોઠવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક લૉકને માત્ર વડામથક દ્વારા મોકલવામાં આવેલ ઓટીપી દ્વારા જ ખોલી શકાશે
હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...
એક એવી કથા છે કે ભગવાને સૃષ્ટિની રચના કરી અને બધી વસ્તુઓ યોગ્ય જગ્યા પર ગોઠવી. એમાં છેલ્લે સત્ય વધ્યું, ઘણું વિચાર્યા બાદ ભગવાને સત્યને માણસના હૃદયમાં મૂક્યું !
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે
બિજ-થિંગ.
‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા
લાફ્ટર વાઇરસ
...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!
કચ્છમાં મળી નવી વનસ્પતિ
જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.
વિવાદ
ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે
હેલ્થ સ્પેશિયલ
નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.