ભારતમાં ચિત્તાના અસ્તિત્વના પ્રમાણ મૂળે આદિકાળથી મળે છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં નવપાષાણયુગનાં ગુફાચિત્રો એ સ્પષ્ટ કરે છે કે ચિત્તા એક સમયે સમગ્ર દેશમાં જોવા મળતા હતા. ભાષાવિદોના મત મુજબ, સ્થાનિક નામ ‘ચિત્તા’ ઉત્તર ભારત અને પાકિસ્તાનમાં બોલાતી હિન્દુસ્તાની ઉર્દૂનો શબ્દ છે. કદાચ આ એકમાત્ર સસ્તન પ્રાણી છે જેને સમગ્ર વિશ્વમાં એક જ નામે, ચિત્તા તરીકે ઓળખાય છે. ‘ચિત્તા’ શબ્દ સંસ્કૃત શબ્દ ચિત્રક ચિત્રકાયનો અપભ્રંશ છે, જેનો અર્થ ટપકાંયુક્ત એટલે કે સ્પોટેડ એવો થાય છે.
Felidae એટલે કે બિલાડી કુળની ૩૯ અન્ય પ્રજાતિઓથી (જેમાં દીપડો, વાઘ, સિંહ વગેરેનો સમાવેશ થાય છે) ચિત્તા આકારશાસ્ત્ર, શરીરરચના તેમ જ વર્તનની દૃષ્ટિએ ઘણા અલગ છે. આ પ્રજાતિની વિશેષતા એ છે કે ચિત્તા તેના પંજા બંધ કરી શકતા નથી, તેથી તેની પકડ નબળી હોવાથી ઝાડ પર ચઢી શકતા નથી, પરંતુ તે ‘પૃથ્વી પર રહેતું સૌથી ઝડપી પ્રાણી’ છે. ૧૨૦ km પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરવામાં સક્ષમ છે તેમ જ તેની મહત્તમ ઝડપ ૧૩૦ કિ.મી. પ્રતિ કલાક છે.વળી, તે માત્ર ૩ સેકન્ડમાં શૂન્યથી ૧૦૦ કિ.મી. સુધીની ગતિ પ્રાપ્ત કરવામાં સક્ષમ છે, જે વિશ્વની અતિ મોંઘી લેવિશ કારના પિઅપ કરતાં પણ વધુ છે. ચિત્તા તેની મહત્તમ ઝડપથી દોડતી વખતે ૭ મીટર સુધીની છલાંગ લગાવી શકે છે. હળવું, પાતળું અને ચપળ શરીર જે એરોડાઇનેમિક્સના સિદ્ધાંતોને અનુરૂપ છે.
નાનું માથું, લાંબી પૂંછડી જે દોડતી વખતે દિશા ઝડપથી બદલવામાં અને સંતુલન જાળવવામાં મદદ કરે છે, તો મોટા નસકોરાં જે મહત્તમ ઑક્સિજન ગ્રહણ કરવામાં સહાયક છે. પ્રમાણમાં મોટું હૃદય અને ફેફસાં જે કાર્યક્ષમ રીતે ઑક્સિજનનું પરિભ્રમણ થાય એ રીતે એકસાથે કામ કરે છે. શરીર રચનાની આ બધી વિશેષતા ચિત્તાને પૃથ્વી પરનો સૌથી ઝડપી દોડવીર બનાવે છે. બંને આંખથી લઈને મોં સુધી ‘કાજલ’ જેવી કાળી પાતળી પટ્ટી, (ટીયર લાઇન) આ પ્રાણીની ઓળખ છે જે તેને, ખાસ કરીને દીપડાથી અલગ પાડવામાં મદદ કરે છે. ચિત્તાના શરીર પર લગભગ ૨,૦૦૦ જેટલા કાબરચિતરા સ્પોટ હોય છે અને દરેકમાં એક વિશિષ્ટ પેટર્ન હોય છે, જે તેને અન્ય ચિત્તાઓથી અલગ પાડે છે.
This story is from the January 06, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 06, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ
નંદિનીનું વડું મથક જીપીએસ સિસ્ટમ મારફત ટૅન્કરો પર નજર રાખશે. ટૅન્કરો પર ગોઠવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક લૉકને માત્ર વડામથક દ્વારા મોકલવામાં આવેલ ઓટીપી દ્વારા જ ખોલી શકાશે
હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...
એક એવી કથા છે કે ભગવાને સૃષ્ટિની રચના કરી અને બધી વસ્તુઓ યોગ્ય જગ્યા પર ગોઠવી. એમાં છેલ્લે સત્ય વધ્યું, ઘણું વિચાર્યા બાદ ભગવાને સત્યને માણસના હૃદયમાં મૂક્યું !
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે
બિજ-થિંગ.
‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા
લાફ્ટર વાઇરસ
...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!
કચ્છમાં મળી નવી વનસ્પતિ
જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.
વિવાદ
ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે
હેલ્થ સ્પેશિયલ
નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.