ઇતિહાસ સાક્ષી છે કે ભારત માટે ધર્મ છે કેન્દ્રવર્તી બાબત છે અને ધર્મની મધ્યસ્થ બાબત છે આધ્યાત્મિકતા. ભૌતિકતાના કલિકાળમાં સામાન્ય આસ્તિક કે હિન્દુ પોતાના જીવન, કુટુંબ કે ઘરની સમસ્યા દૂર કરવા ઉચ્ચ શક્તિને વંદન કરે એ માનવ સહજ પ્રતિક્રિયા છે. નિરાકાર પર ધ્યાન કરવું અપવાદરૂપ મનુષ્ય માટે જ સહેલું હોય છે. આધ્યાત્મિકતામાં આગળ વધવાના પાયામાં મંદિર અને મૂર્તિ હોય એમાં નવાઈ નથી. આમ ઇન્સાન તીર્થસ્થળની યાત્રા અને પ્રતિમાનાં દર્શન સાથે હર્ષોલ્લાસ જોડે એ સમજી શકાય છે. અમુક અંતરાલથી ધર્મ, મંદિર અને યાત્રાના બળથી અર્થતંત્રને પણ સ્પષ્ટ વેગ મળ્યો છે. પ્રસાદ, શૃંગાર અને ઉત્સવનો પ્રભાવ વધ્યો છે. એવામાં જેમને પ્રભુનાં દર્શન થાય તેવી અભિલાષા છે, જેમને મોક્ષ યા આત્મસાક્ષાત્કાર માનવ જન્મનો હેતુ લાગે છે તેમણે આધ્યાત્મિકતામાં સાદગીના મહત્ત્વ અંગે ચિંતન કરવું જોઈએ.
સાદગી અને સાદાઈ શબ્દ મૂળે સંસ્કૃત કે ગુજરાતી નથી, ફારસી વા પર્શિયન છે. સંસ્કૃતમાં સરલ અને ગુજરાતીમાં સરળ શબ્દ છે. આસપાસ પર અસર પાડ્યા વિના અને આસપાસથી અસર પામ્યા વિના તરલ રીતે આગળ વધી જવું એટલે સરલતા. સંસ્કૃતમાં એક શબ્દ છે - સારણ્ય જેના પરથી ખાસ સમજાય કે સાર બનતા જઈ પૂર્ણ સાર બની જવા અંતિમ સાર તરફ આગળ વધવું એ છે સારલ્ય. ક્રિયાપદ છે સરલયતિ જેનો અર્થ સાધુ શબ્દ જેના પરથી આવ્યો છે તે ક્રિયાપદ સાધયતિનો થાય છે તે જ થાય છે. સાધ્ય સાધવા માટેની સાધકની સીધી ગતિ એટલે સરલતા કે સારણ્ય. સીધી એટલે સ્ટ્રેટ. સ્પષ્ટ. પ્રત્યક્ષ. અવિચલિત. નિશ્ચલ. નદી સરળતાથી સાગરમાં ભળે છે તેવું કહેવાય, કેમ કે એ બને એટલું જલ્દી પહોંચાય તે રસ્તે જાય છે. રસ્તામાં ભટક્યા કે રોકાયા વિના. સરલતાના બીજા અર્થ છે કરેક્ટ, ઓનેસ્ટ, રાઇટ, નોટ ઇવિલ, સિન્સિયર. એ જ રીતે સાદગી કે સરલતાનો અર્થ સિમ્પલ અને પ્લેન કાઢી શકાય. ના, ઇઝી અર્થ નથી. યસ, સાદગી કે સરલતાનો એક અર્થ છે ફ્રેન્ક.
This story is from the Abhiyaan Magazine 13/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 13/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એનાલિસિસ.
અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.