ધૂંવા ૫૨ સૂસવાતો પવન ધરતીની ત્વચા પર પડેલા સળને પંપાળતો હશે કે વધારે રુક્ષ કરી નાખતો હશે? તાપથી સળગી ઊઠતી રેતીની ડમરીઓ ઊંચકાઈ-ઊંચકાઈને પટકાતી હશે ત્યારે અડવાણું આભ શી રીતે નિસ્પૃહ રહી શકતું હશે? એવું પણ બને કે માણસ, માણસને લાત મારીને તિરસ્કૃત કરે. અલબત્ત, તેનો જીવ લેવા તૈયાર થઈ જાય. ત્યારે અબોલ પ્રાણીઓ પાસેથી તેને આત્મીય આવકાર મળે! જીવનથી છલોછલ પ્રદેશમાં જીવતાં માણસને ઉજ્જડ રેગિસ્તાનમાં ફેંકી દેવામાં આવે ત્યારે કયું તત્ત્વ એને જીવંત રાખતું હશે? જ્યાં પાણીનું જ નહીં, માણસની જિજીવિષાનું પણ બાષ્પીભવન થઈ જતું હોય તેવી બળબળતી ત્રાસદીને પાર કરીને એક માણસ ફરીથી જીવનને મોઢે માંડવા પામે એ વાત કોઈ અજાયબીથી કમ નથી. આ માણસ એટલે કેરળનો નિવાસી નજીબ મુહમ્મદ અને તેની નિતાંત તરસની કથા એટલે તાજેતરમાં વર્લ્ડ વાઇડ રિલીઝ થયેલી મલયાલી ફિલ્મ ‘આડુજીવિતમ : The Goat Life'.
આ ફિલ્મ કેરળમાં વસતા યુવાન નજીબ મહોમ્મદના જીવનની કરુણ કથા છે. જેને સૌપ્રથમ લેખક બેન્યામીનની મલયાલી નવલકથા ‘આડુજીવિતમ’માં શબ્દો મળ્યા હતા. આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ ‘Goat days' તરીકે ડૉ. જોસેફ કોયપ્પલ્લીએ કરેલો. વર્ષ ૨૦૦૯માં નવલકથાના આધારે ડિરેક્ટર બ્લેસીએ આ ફિલ્મની પરિકલ્પના કરી. ત્યાર બાદ તેમાં અન્ય કલાકારો જોડાતા ગયા. જેમાં મુખ્ય અભિનેતા પૃથ્વીરાજ સુકુમારને અનન્ય ભૂમિકા ભજવી છે.
આ સિવાય અન્ય કલાકારોએ પણ પોતાની ભૂમિકા ખૂબ વાસ્તવિક રીતે પડદા પર ઉતારી છે. સોળ વર્ષના સમય, અનિશ્ચિતતા અને સંઘર્ષના વહેણ પાર કરીને ડિરેક્ટર બ્લેસી સાથે સિનેમેટોગ્રાફર સુનીલ કે. એસ., એડિટર શ્રીકર પ્રસાદ અને સાઉન્ડ એડિટર રેસુલ પુકુટ્ટીએ સ્ક્રીન પર એક જાઈજેન્ટિક પ્રોજેક્ટને સફળતાપૂર્વક સાકાર કર્યો છે, તેમાં બેમત નથી. હાલના તબક્કે આ ફિલ્મને મલયાલમ સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મ માનવામાં આવી છે.
This story is from the Abhiyaan Magazine 27/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 27/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?