અયોધ્યામાં આકાર પામેલા રામમંદિરમાં સૌ પ્રથમ રામનવમીના દિવસે રામલલ્લાના ભાલ પર સૂર્ય-તિલક થવાનું છે. આ સૂર્ય-તિલક કઈ રીતે થવાનું છે, તે જાણવાની ઇચ્છા આજકાલ લોકોને તીવ્ર બનતી જાય છે. આમાં વિજ્ઞાનનો રોલ કેટલો છે, ટૅક્નોલૉજીનો રોલ કેટલો છે તે જાણવાનો પ્રયત્ન કરીશું.
ભારતનાં પ્રાચીન મંદિરો એટલે એ જમાનાના સાયન્સ સેન્ટર. વિજ્ઞાનના કોન્સેપ્ટનો વ્યવહારિક ઉપયોગ કઈ રીતે કરવો તે મંદિરોમાં સ્થાપિત કરેલાં જાતજાતનાં સાધનો તેમ જ વિજ્ઞાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને ચમત્કાર પણ બતાવવામાં આવતા હતા. તે વખતે સાયન્સ સેન્ટર અલગથી ન હતાં, તેથી જે વ્યક્તિઓ મંદિરમાં આવે ત્યારે વિજ્ઞાનના સિદ્ધાંતની સમજ પણ મેળવે અને તેનો વ્યાવહારિક ઉપયોગ કઈ રીતે કરવો તેની પણ જાણકારી મેળવીને જતા હતા. જો તમે ભારતનાં પ્રાચીન મંદિરોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરો તો તેમાં તમને ઘણું બધું વિજ્ઞાન જોવા મળે છે. જે મારી અગાઉની ઘણી બધી પોસ્ટમાં વિસ્તૃત રીતે સમજાવેલું છે. માત્ર વિજ્ઞાન નહીં, સંસ્કાર, સમજ, કલા સંસ્કૃતિ, ભાષા, જ્ઞાન, વિદ્યા, એ જમાનાના એટલે કે ઋષિમુનિઓ સાથેની ચર્ચા જેવી ઘણી બધી બાબતો એક જ જગ્યાએ એટલે કે મંદિરમાંમળી રહેતી.
મારા ધારવા પ્રમાણે વિજ્ઞાનનાં જુદાંજુદાં ક્ષેત્રની સમજ આપવા માટેના મોડલ આ બધાં મંદિરોમાં રાખેલાં જ હશે, પરંતુ હજારો વર્ષ પછી માત્ર પથ્થરની બનેલી વસ્તુઓ જ સચવાઈ રહેલી હોવાથી અત્યારે આપણને દેખાય છે. બાકીની બધી વસ્તુ નષ્ટ થઈ ગઈ હશે, ચોરાઈ ગઈ હશે, રિસાઇકલ થઈ ગઈ હશે. ઘણા લોકોને આ વાત ગળે ઊતરતી નથી, પરંતુ તેમને જો પૂછવામાં આવે કે તમારો સૌ પ્રથમ મોબાઇલ કર્યો હતો? અથવા અત્યારે ક્યાં છે? તો આ બંનેના જવાબો કદાચ એમની પાસે નહીં હોય. અત્યારે બધાં મંદિરો જોવામાં આવે તો સૌથી વધારે કાર્યરત વિજ્ઞાનનાં મોડલો ખગોળશાસ્ત્રને આધારિત જોવા મળશે. ખાસ કરીને સૂર્યમંદિરોમાં આ વાત વિશેષ જોવા મળે છે.
This story is from the Abhiyaan Magazine 27/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 27/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?