લોકસભાની ચૂંટણીમાં પ્રત્યેક બેઠકનું મહત્ત્વ છે, પરંતુ ગુજરાતનું વિશેષ મહત્ત્વ એ રીતે છે કે તે સત્તાધારી પક્ષના બે સૌથી મહત્ત્વના નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી ઉપરાંત ચૂંટણીના ચાણક્ય અમિત શાહની હોમ પીચ છે. આ લેખ પ્રકાશિત થશે ત્યારે ત્રીજા તબક્કાના મતદાનને આડે ચારેક દિવસ બાકી રહ્યા હશે. આ તબક્કાનું મતદાન ૭ મેના રોજ છે, જેમાં ગુજરાતની બધી ૨૬ બેઠકો સામેલ છે. સુરત બેઠકના મતદારોનો મતાધિકાર વગર વાંકે છીનવાઈ ગયો, તે આપણા વર્તમાન રાજકારણની બલિહારી છે! આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં, તેમ જ બાકીના ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા સુરત બેઠક ભાજપને ફાળે ગઈ છે. હવે બાકીની ૨૫ બેઠકો પર ૨૬૬ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ૧૯ મહિલાઓ સામેલ છે. અહીંયા વિધાનસભાની પાંચ બેઠકો વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયાના કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જતા આ બેઠકો પર પેટા ચૂંટણી પણ સાથે જ યોજાઈ રહી છે.
ગુજરાતનું રાજકીય ચિત્ર કેવું છે?
લોકસભાની ૨૦૧૪ અને ૨૦૧૯ની બંને ચૂંટણીમાં ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે બધી જ બેઠકો જીતેલી છે. આમ પણ ગુજરાતમાં છેલ્લાં પચ્ચીસ કરતાં વધારે વર્ષોથી ભારતીય જનતા પક્ષનું એકચક્રી શાસન ચાલી રહ્યું છે. સ્થાનિક સ્તરે સતત નબળી નેતાગીરીના કારણે કોંગ્રેસની સ્થિતિ છેલ્લાં ઘણાં વર્ષોથી ભાજપ માટે પડકારજનક નથી રહી. છેલ્લાં ૧૦ વર્ષ દરમિયાન કોંગ્રેસના મોટા ગજાના ઘણા નેતાઓ કે જેઓ જુદા-જુદા સમુદાયો પર પ્રભુત્વ ધરાવતા હતા, તેઓ ભાજમાં જોડાઈ ગયા છે. આ સિલસિલો આજે પણ ચાલુ છે. કોંગ્રેસનું આવું પતન રોકનાર કોઈ પ્રભાવશાળી નેતા સ્થાનિક સ્તરે અહીં કોંગ્રેસમાં ન હોવાથી કોંગ્રેસની વિચારધારાને પ્રતિબદ્ધ મતદારો અને કાર્યકર્તાઓ નિરાશ છે. વળી, આ કારણે જ નવી પેઢીના યુવાનો પણ કોંગ્રેસ સાથે જોડાતા ખચકાટ અનુભવે છે.
This story is from the Abhiyaan Magazine 11/05/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 11/05/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?