કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ
ABHIYAAN|Abhiyaan Magazine 11/05/2024
દુશ્મનોથી નગરનું રક્ષણ કરવા માટે રાજાશાહી જમાનામાં કિલ્લાઓ બંધાતા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં ખૂબ મોટા કિલ્લાઓ છે. ગુજરાતમાં સૌથી વધુ એટલે કે ૩૦૦થી વધુ કિલ્લાઓ કચ્છમાં છે. સિંધુ સંસ્કૃતિના સમયનાં નગરોમાં પણ કિલ્લાના અવશેષો જોવા મળે છે. કચ્છમાં સળંગ ૪૫૦ વર્ષ સુધી જાડેજા વંશનું શાસન રહ્યું છે. તેમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન રાજ કરનારા ૧૮ રાજવીઓએ કિલ્લાઓનું નિર્માણ કરાવ્યું હતું, તેમ જ તેમના ભાયાતો દ્વારા દરબારગઢોનું નિર્માણ થયું હતું. કોઈએ ગામગઢ પણ બનાવરાવ્યા હતા. જોકે આજે ભૂકંપનો માર અને આધુનિક કાળના વહીવટકર્તાઓની ઇતિહાસની સ્મૃતિ સાચવવાની બેદરકારીથી બહુ થોડા કિલ્લા, ગઢ સારી અવસ્થામાં છે. મોટા ભાગના કિલ્લામાં મુખ્ય દ્વાર, ઝરુખાઓ, પાયા, કોઠાના અવશેષો જ જોવા મળે છે.
સુચિતા બોઘાણી કનર
કચ્છનું રજવાડી સ્થાપત્ય, ગઢ અને કિલ્લાઓ

કચ્છની ઐતિહાસિક વિરાસતો લોકોમાં આકર્ષણ ઊભું કરે છે. તેમાં પણ ઓછી ઊંચાઈના ડુંગરો ધરાવતા કચ્છમાં સેંકડો વર્ષોથી રાજાઓએ કિલ્લાઓ બંધાવ્યા છે. તે પહેલાં પણ સિંધુ સંસ્કૃતિના અવશેષો કચ્છમાં જ્યાં જ્યાંથી મળે છે, ત્યાં ત્યાં કિલ્લા હોવાના પુરાવા પણ પ્રાપ્ત થાય છે. આજે પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતું કચ્છ રાજાશાહી જમાનામાં પણ સિંધ જેવા દુશ્મન રાજ્યની ખૂબ જ નજીક હતું. તેથી જ પોતાના રાજ્યની, નગરોની અને પ્રજાની રક્ષા કરવા માટે કચ્છના રાજવીઓએ કિલ્લાઓ બાંધવાને મહત્ત્વ આપ્યું હતું. કચ્છમાં વિશેષતઃ જમીન ઉપરના કિલ્લાઓ વધુ જોવા મળે છે. ડુંગર ઉપર પણ અમુક જગ્યાએ કિલ્લાઓ બનાવાયા છે. કચ્છમાં ૩૦૦થી વધુ કિલ્લાઓ છે. રાજસ્થાનની માફક જો આ કિલ્લાઓની જાળવણી થાય, પ્રવાસીઓ માટે સુવિધા વિકસાવાય તો પ્રવાસનની દૃષ્ટિએ નવું આકર્ષણ ઊભું થઈ શકે તેમ છે.

માનવ જ્યારથી સમજણો થયો, પરિવારમાં રહેતો થયો ત્યારે ટાઢ, તડકા વરસાદથી બચવા ઘર બનાવ્યાં, પોતાની ટોળીના તાકાતવાન વ્યક્તિને તેણે મુખી તરીકે સ્વીકાર્યો. આ મુખીએ પોતાની ટોળીના રહેઠાણો માટે ગામ બનાવ્યાં અને ગામના રક્ષણ માટે કિલ્લાઓ બનાવવાનું શરૂ કર્યું હોવાનું મનાય છે. કચ્છમાં કિલ્લાઓ શત્રુથી બચવા માટે બનાવાયા હતા. રાજાશાહી જમાનામાં સિંધ પ્રાંતના ખોસા લોકો ખૂબ લૂંટફાટ કરતા હતા. આ લોકો આસપાસના ગામમાં જઈને ઊંટ, ગાય, બકરી, ઘેટાં જેવું પશુધન લૂંટી અને ગામ સળગાવીને જતા હતા. તેનાથી રક્ષણ કરવા માટે પણ કિલ્લા કે ગઢ ખૂબ ઉપયોગી થતા હતા. સરહદી વિસ્તાર નજીકના અબડાસા તાલુકામાં તો દર ૫-૬ કિ.મી.ના અંતરે કિલ્લા જોવા મળે છે. દેશનાં અન્ય રાજ્યોના કિલ્લાની સરખામણીમાં કચ્છના કિલ્લાઓ નાના અને સાદા ગણાય છે, પરંતુ આ કિલ્લાઓ બહારી હુમલા સામે ભારે ટક્કર ઝીલીને અભેદ્ય રહ્યા હતા.

This story is from the Abhiyaan Magazine 11/05/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 11/05/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ABHIYAAN

નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે

ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
ABHIYAAN

ચાલો, ફરી શેરીઓમાં રમીએ

આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
આ મેઘરાજાની મહેર કે કહેર?
ABHIYAAN

આ મેઘરાજાની મહેર કે કહેર?

સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
પ્રવાસન.
ABHIYAAN

પ્રવાસન.

મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
ABHIYAAN

સબૉટેજ : આતંકનું આસુરી અત્ર

*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
ABHIYAAN

ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના

*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?

time-read
6 mins  |
Abhiyaan Magazine 14/09/2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?

time-read
5 mins  |
Abhiyaan Magazine 14/09/2024