જૈનાચાર્ય યોગતિલકસૂરીશ્વરજી જીવસૃષ્ટિનાં કલ્યાણ માટે જરૂરી છે ગ્રંથોનું સંશોધન, પ્રકાશન અને પઠન.
એક લાઈબ્રેરીમાં શું હોઈ શકે? અથવા શું હોવું જોઈએ? વિવિધ ભાષા અને વિષયનાં અઢળક પુસ્તકો, એ સરળતાથી જોઈ અને મેળવી શકાય એવી વ્યવસ્થા તથા વાચકો અને અભ્યાસુઓ માટે સારી બેઠકવ્યવસ્થા. હા, શાંતિપૂર્ણ વાતાવરણ તો ખરું જ. પ્રાચીન અને અલભ્ય પુસ્તકો ધરાવતી આવી ઘણી લાઈબ્રેરી જોવાલાયક હોય છે.
ગુજરાતમાં એવાં કેટલાંક જાણીતાં પુસ્તકાલયો-ગ્રંથાલયો છે, એમાં સુરતની એક જૈન લાઈબ્રેરી પણ ખરી. આ જૈન પુસ્તકાલય અર્થાત્ જ્ઞાનભંડાર કે શાસ્ત્રસંગ્રહ તો ખરેખર દર્શનીય છે.
સુરતના જૈન સંસ્થાન શ્રી શાંતિ કનક શ્રમણોપાસક ટ્રસ્ટ-અધ્યાત્મ પરિવાર સંચાલિત અધ્યાત્મ જ્ઞાનતીર્થ નામનો જ્ઞાનભંડાર હમણાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
આવો જાણીએ, આ જૈન જ્ઞાનભંડારની વિશેષતા.
સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા જૈન ધર્મનાં સાત ક્ષેત્રની ભક્તિ સુરક્ષા માટે કટિબદ્ધ એવા અધ્યાત્મ પરિવાર દ્વારા શ્રી હરિભદ્રસૂરિ શાસ્ત્રસંગ્રહ છ વર્ષથી કાર્યરત હતું. હવે એ કૉર્પોરેટ લુકની ચાર મજલાની લાઈબ્રેરી બન્યું છે. એમાં વિશેષતઃ જૈન સાહિત્ય છે. એ ઉપરાંત, ૭૦ હજાર જેટલાં જીવનમૂલક પુસ્તકો છે. ગ્રંથાલયનું અદ્યતન ઢબે વિસ્તરણ કરીને એનું નવતર નામકરણ કરવામાં આવ્યું: અધ્યાત્મ જ્ઞાનતીર્થ. એની પ્રવૃત્તિ કહો કે ઉદ્દેશ છેઃ ગ્રંથસંગ્રહ, ગ્રંથસંશોધન, નવસર્જન અને ગ્રંથસુરક્ષા.
નિઃશુલ્ક ચાલતું જ્ઞાનતીર્થ દેશભરના દાતાઓના સહયોગ તથા શ્રી શાંતિ કનક શ્રમણોપાસક ટ્રસ્ટ-અધ્યાત્મ પરિવારના ટ્રસ્ટીઓ અને સેવાભાવી કાર્યકરોના લીધે સાકાર થયું છે.
એક તરફ દુર્લભ ગ્રંથો અને હસ્તપ્રતોને હાઈ રેન્જ સિસ્ટમથી સ્કેન કરી એની સાચવણીનું કામ ચાલે છે તો લાઈબ્રેરીનાં હજારો પુસ્તકો આવનારા વર્ષોમાં લોકોની જ્ઞાનવૃત્તિ સંતોષશે.
This story is from the July 31, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 31, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.