તહેવારો આપણને આપણા સ્વજનો સાથે આનંદની ક્ષણોની ઉજવણી કરવાનો અને ભૂતકાળની ભૂલ અથવા દુઃખદાયક યાદને ક્ષમાની ભાવના સાથે જોવાની ક્ષમતા આપે છે.
ઘરની સાફસફાઈ કરી એને સજાવવું, જુદી જુદી જાતની મીઠાઈ-ફરસાણ બનાવવાં, પ્રિયજનોને મળવું, પૂજાપાઠ જેવી વિધિમાં ભાગ લેવો... આ બધું આપણે દર દિવાળીએ કરીએ જ છીએ, પણ શું તમે જાણો છો કે આ બધી પ્રવૃત્તિના ફાયદા આપણા માનસિક આરોગ્ય પર પણ થાય છે?
કઈ રીતે એ પણ જોઈએઃ
+દિવાળી આવતાં પહેલાં જ આપણે ઘર-ઑફિસ-દુકાનની સાફસફાઈ કરવામાં લાગી જઈએ. સામાન્ય દિવસોને બદલે દિવાળીમાં આપણે ડીપ ક્લીનિંગ (deep cleaning) એટલે કે ઘણી વધારે બારીકાઈથી સાફસૂફી કરતાં હોઈએ છીએ. ઘરનો દરેક ખૂણો, માળિયા, દીવાલ, વગેરે બધું એમાં આવી જાય.
+કબાટ કે ખાનામાં મૂકેલી એક-એક વસ્તુ કાઢી એને સાફ કરીને આપણે એ પાછી ગોઠવીએ અને અમુક જૂની વસ્તુ કાઢી નાખીએ અથવા તો એ ઉપયોગ કરવાલાયક હોય તો કોઈને આપી દઈએ. આવી બિનજરૂરી વધારાની વસ્તુ કાઢી નાખવી એને ડિક્લટરિંગ (De-cluttering) પણ કહેવાય છે. કેટલાંક સંશોધન કહે છે કે જેમ આસપાસની બિનજરૂરી ચીજો અને અવ્યવસ્થા ઓછી થાય એમ મનની અસ્વસ્થતા પણ ઓછી થાય છે. ઘરના ડિક્લટરિંગથી મનનું પણ ડિક્લટરિંગ થાય છે-તણાવ stress ઓછો થાય છે અને પોઝિટિવિટી વધે છે.
This story is from the November 13, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 13, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.